Russia-Ukraine War: યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું દૂતાવાસની સલાહનું પાલન કર્યું, ગભરાવાની જરૂર નથી

|

Feb 24, 2022 | 1:09 PM

યુક્રેનથી પરત ફર્યા બાદ ભારતીય વિદ્યાર્થીએ કહ્યું, 'મારા દેશમાં પાછા આવીને હું ખુશી અનુભવી રહ્યો છું.' ગભરાવવાની જરૂર નથી.

Russia-Ukraine War: યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું દૂતાવાસની સલાહનું પાલન કર્યું, ગભરાવાની જરૂર નથી
Followed advisory of Indian Embassy say Indian students after returning from Ukraine

Follow us on

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ મંગળવારે રાત્રે યુક્રેનથી ભારત પહોંચી ગયા છે. ભારત પહોંચ્યા પછી, વિદ્યાર્થીએ કહ્યું કે તે રશિયા અને પૂર્વીય યુરોપીયન દેશ વચ્ચે વધતા તણાવ (Russia-Ukraine Conflict) વચ્ચે તેના વતનમાં પાછા આવીને ખુશ છે. તમને જણાવી દઈએ કે તમામ વિદ્યાર્થીઓ મેડિકલના છે, આમાંથી ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતના છે અને ઘણા દિલ્હીના છે. પીટીઆઈના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે તેણે કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કર્યું. ખાર્કીવ શહેરમાં ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટી (KNMU) માં MBBS ના ચોથા વર્ષના વિદ્યાર્થી 22 વર્ષીય અનિલ રાપ્રિયાએ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી કહ્યું, ‘મારા દેશમાં પાછા આવીને મને આનંદ થાય છે.’

તેમનો પરિવાર દિલ્હીના નાંગલોઈમાં રહે છે. અનિલનો ભાઈ મનીષ રાપરિયા T3 ટર્મિનલના અરાઈવલ લોન્જમાં અધીરાઈથી રાહ જોઈ રહ્યો હતો. મનીષે કહ્યું, “તે 2018માં MBBS કોર્સ માટે ગયો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ મેં તેમની સાથે ફોન પર વાત કરી હતી. અમને ખુશી છે કે તે પાછો આવ્યો છે, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને જોતા પરિસ્થિતિ બદલાઈ શકે છે. 21 વર્ષનો મનીષ IGNOUમાંથી પોલિટિકલ સાયન્સમાં MA કરી રહ્યો છે. તાજેતરના અઠવાડિયામાં, યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે, અને સોમવારે રશિયાએ પૂર્વ યુક્રેનમાં બે અલગતાવાદી વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી.

મંગળવારે, કિવમાં ભારતીય દૂતાવાસે વધતા તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવા કહ્યું. મેડિકલ સ્ટુડન્ટ્સનું એક જૂથ તુર્કી એરલાઈન્સને કિવથી ઈસ્તાંબુલ અને પછી કતાર અને પછી કતાર એરવેઝથી દિલ્હી એરપોર્ટ લઈ ગયું. જણાવી દઈએ કે યુક્રેનથી દિલ્હી પહોંચેલા વિદ્યાર્થીઓમાં કીર્તન કલાથિયા, નીરવ પટેલ, ભાવનગરના વિનીત પટેલ અને ગુજરાતના સુરેન્દ્ર નગરના ક્રિશ રાજ પણ સામેલ હતા.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

રાજે કહ્યું, અમે બધા ચેર્નિવત્સીની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી (BSMU)માં અભ્યાસ કરીએ છીએ, અમે અમારા કૉલેજ સત્તાવાળાઓને જાણ કરી છે અને વર્ગો હવે ઑનલાઇન થશે. ચેર્નિવત્સીમાં વસ્તુઓ સારી છે, કારણ કે તે સરહદ વિસ્તારથી દૂર છે.

આ પણ વાંચો –

Russia Ukraine Conflict : રશિયા- યુક્રેન વિવાદ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી યુદ્ધની જાહેરાત

આ પણ વાંચો –

Russia Ukraine War Live Updates: રશિયાને જડબાતોબ જવાબ આપવા અમેરિકા તૈયાર, યુક્રેનની મદદ માટે અમેરિકાના 2 બોમ્બરે ભરી ઉડાન

આ પણ વાંચો –

Russia Ukraine Conflict: યુક્રેનમાં ફસાયા 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ, સરકાર પરત લાવવાનો કરી રહી છે પ્રયાસ

Next Article