AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પાર કરવા માટે આ ચારેય લોકોને દસથી બાર કલાક ચાલીને ત્યાં પહોંચવું પડ્યું હતું અને પછી માનવ-તસ્કરોની ટોળકીની મદદથી સરહદ પાર કરીને અમેરિકા આવવું પડ્યું હતું, પરંતુ આવું થઈ શક્યું નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 7:19 AM
Share

થોડા સમય પહેલા કેનેડા-અમેરિકા બોર્ડર  (US-Canada Border) પર બરફમાં નવજાત શિશુ સહિત ચાર લોકોના મોતની ઘટનાએ સૌને દુઃખી કરી દીધા હતા. હવે આ ચારેય લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેઓનું કનેક્શન ગાંધીનગર સાથે છે. ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ જેઓની ઓળખ કરવામાં આવી છે તેમાં ગાંધીનગર જિલ્લાના કલોલના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ (ઉંમર 39), તેમની પત્ની વૈશાલી પટેલ (ઉંમર 37), પુત્રી વિહાંગી પટેલ (ઉંમર 11)નો અને પુત્ર ધરમ પટેલ (ઉંમર 3)નો સમાવેશ થાય છે.

ટીવી 9 ગુજરાતીએ સૌ પ્રથમ આ અંગેનો અહેવાલ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર પરિવારના વડા જગદીશે પહેલા શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું અને બાદમાં કલોલ શહેરમાં અલગ-અલગ જગ્યાએ ધંધો શરૂ કર્યો. પરિવારનું ડીંગુચામાં એક ઘર છે. જેને હાલમાં તાળું લાગ્યુ છે. આ પરિવાર 15 દિવસ પહેલા કેનેડા જવા રવાના થયો હતો, જેના કારણે છેલ્લા 8 દિવસથી પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતની બહાર અમેરિકા અને કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે.

અમેરિકાના મિનેસોટાના અધિકારીઓએ આ કેસમાં ફ્લોરિડાના 47 વર્ષના સ્ટીવ શેન્ડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર ગેંગે અકસ્માતનો ભોગ બનેલા લોકો સહિત ઘણા લોકોને પૈસાની મદદની લાલચ આપી હતી. જ્યારે કેટલાક લોકો કેનેડાથી યુએસ બોર્ડરની અંદર આવ્યા ત્યારે યુએસ બોર્ડર પોલીસ દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, 24 જાન્યુઆરીના રોજના તેમને ટીવી 9 ગુજરાતીએ જણાવ્યું હતું કે કલોલના ડીંગુચા ગામનો ચાર લોકોનો પરિવાર કેનેડામાં મૃત અવસ્થામાં મળી આવેલા. તેઓ ડીંગુચાથી કેનેડા ગયા પછી છેલ્લા અઠવાડિયાથી ગુમ છે.

નાના બાળકની ગેરહાજરી અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ

જ્યારે પોલીસે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા આ લોકોની તપાસ લીધી ત્યારે તેમાંથી એક નાના બાળકોના ખાદ્યપદાર્થો અને ડાયપર વગેરે પણ મળી આવ્યા હતા. પોલીસને શંકા ગઈ અને નાના બાળકની ગેરહાજરી અંગે પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર રહસ્ય ખુલ્યું હતું. અમેરિકા બોર્ડર પોલીસે તરત જ સરહદ પરના કેનેડિયન સત્તાવાળાઓનો સંપર્ક કર્યો, ત્યારે બંને દેશોની સરહદ નજીકથી એક નવજાત શિશુ સહિત ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

આ પરિવાર માનવ-તસ્કરી કરતી ટોળકીમાંથી કોઈ તેમની મદદ માટે આવે તેની રાહ જોઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સરહદ પાર કરવા માટે આ ચારેય લોકોને દસથી બાર કલાક ચાલીને ત્યાં પહોંચવું પડ્યું હતું અને પછી માનવ-તસ્કરોની ટોળકીની મદદથી સરહદ પાર કરીને અમેરિકા આવવું પડ્યું હતું, પરંતુ આવું થઈ શક્યું નહીં.

પરિવારના વડા જગદીશ પટેલ ભૂતકાળમાં શાળામાં શિક્ષક તરીકે કામ કરતા હતા અને કલોલ શહેરમાં અલગ-અલગ ધંધા કર્યા હતા. પરિવારનું ડીંગુચામાં એક માળનું મકાન છે, જે જગદીશના પિતા બલદેવ પટેલ પણ ગામ છોડીને ચાલ્યા ગયા હોવાથી તે બંધ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પરિવાર પખવાડિયા પહેલા વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો.

આ પણ વાંચો : Pakistan Terrorist Attack: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 10 સૈનિક થયા શહિદ, એક આતંકવાદી ઠાર

આ પણ વાંચો : India-Central Asia Summit: અફઘાનિસ્તાન પર જોઈન્ટ વર્કિગ ગ્રુપનું થશે ગઠન, મધ્ય એશિયાઈ દેશોની સાથે સંમેલનમાં લેવામાં આવ્યો નિર્ણય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">