USA ના વિઝા આપવામા થઈ રહેલા વિલંબનો મુદ્દો ઉઠાવતા વિદેશ પ્રધાન એસ. જયશંકર, જાણો શુ કહ્યું અમેરિકાના વિદેશ પ્રધાને

TV9 GUJARATI

|

Updated on: Sep 28, 2022 | 9:04 AM

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુ.એસ.ના વિઝિટર વિઝા મેળવવા માંગતા ભારતીયો માટે વેઇટિંગ પિરિયડ વધીને 800 દિવસનો થઈ ગયો છે. વિદ્યાર્થી કે એક્સચેન્જ વિઝિટર વિઝા અને અન્ય નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે રાહ જોવાનો સમયગાળો આશરે 400 દિવસનો છે.

USA ના વિઝા આપવામા થઈ રહેલા વિલંબનો મુદ્દો ઉઠાવતા વિદેશ પ્રધાન એસ. જયશંકર, જાણો શુ કહ્યું અમેરિકાના વિદેશ પ્રધાને
USA VISA

વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન (Antony Blinken) સાથે મુલાકાત કરી. જયશંકરે બ્લિંકન સામે વિઝા આપવા અંગેની સમસ્યાઓ વિશે જણાવ્યું. તેના પર અમેરિકાના ટોચના રાજદ્વારીએ કહ્યું કે તેઓ આ મામલાને લઈને સંવેદનશીલ છે અને તેને જલ્દીથી ઠીક કરવામાં આવશે. જયશંકરે કહ્યું કે પ્રતિભાના વિકાસ અને ગતિશીલતાને સરળ બનાવવી એ પણ અમારા પરસ્પર હિતમાં છે. જયશંકરે એક કલાકથી વધુ ચાલેલી બેઠક બાદ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ફોગી બોટમ હેડક્વાર્ટર ખાતે બ્લિંકન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ વાત કહી.

માર્ચ 2020 પછી, કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી, લોકોને વિઝા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હવે ટોચના યુએસ અધિકારીએ ભારતને ખાતરી આપી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે સમગ્ર બેકલોગનો અંત લાવશે. ટેક ઉદ્યોગમાં ઘણા કુશળ વિદેશી કર્મચારીને આપવામાં આવતા H-1B અને અન્ય વર્ક વિઝા પ્રાપ્ત કરનારાઓમાં ભારતીયોનો મોટો હિસ્સો છે. H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીને નોકરી આપવાની મંજૂરી આપે છે. જો કે, ભારતીય વિદેશ મંત્રીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન H-1B વિઝા મુદ્દાનો ખાસ ઉલ્લેખ કર્યો ન હતો.

ભારતીયો મોટી સંખ્યામાં અમેરિકા જાય છે

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે અમેરિકા જાય છે. યુ.એસ.ના વિઝિટર વિઝા મેળવવા માંગતા ભારતીયો માટે વેઇટિંગ પિરિયડ વધીને 800 દિવસનો થઈ ગયો છે. વિદ્યાર્થી કે એક્સચેન્જ વિઝિટર વિઝા અને અન્ય નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે રાહ જોવાનો સમયગાળો આશરે 400 દિવસનો છે. જયશંકરે કહ્યું કે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઊંડો રસ છે. અમે સમજીશું કે આ અમારી ભાગીદારીને વિસ્તૃત કરવા માટે કેવી રીતે શ્રેષ્ઠ કામ કરી શકે છે.

કોરોનાના કારણે સર્જાયેલી સમસ્યા, ટૂંક સમયમાં ઉકેલાશે – બ્લિંકન

વિઝાના પ્રશ્ન પર બ્લિંકને કહ્યું કે હું તેના માટે ખૂબ જ સંવેદનશીલ છું. બ્લિંકને ભારતીય નાગરિકો માટે વિઝા અરજીઓના બેકલોગ માટે COVID-19 રોગચાળાને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે હું તમને કહી શકું છું કે આ એક પડકાર છે. જેનો આપણે સમગ્ર વિશ્વમાં સામનો કરી રહ્યા છીએ, અને તે મોટાભાગે કોવિડ રોગચાળાને કારણે ઉભો થયો છે. COVID દરમિયાન વિઝા આપવાની અમારી ક્ષમતામાં ઘટાડો થયો છે. બ્લિંકને કહ્યું કે તેમની પાસે તેનો વ્યવહારુ ઉકેલ લાવવાની યોજના છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati