ભારત પ્રવાસ પર EU ચીફ ઉર્સુલા વોન, કહ્યું રશિયા આખી દુનિયા માટે ખતરો, યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે અને રાયસિના ડાયલોગ શરૂ કરશે. તેણે કહ્યું કે, તે સ્પષ્ટ સંદેશ સાથે ભારત સાથે યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે.

ભારત પ્રવાસ પર EU ચીફ ઉર્સુલા વોન, કહ્યું રશિયા આખી દુનિયા માટે ખતરો, યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે
ભારત પ્રવાસ પર EU ચીફ ઉર્સુલા વોનImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 8:07 AM

Ursula von der Leyen : યુરોપિયન કમિશન (European Commission) ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન  આજે બે દિવસીય ભારતની મુલાકાતે આવ્યા છે. ભારત પહોંચતા પહેલા તેમણે કહ્યું છે કે, યુક્રેન પર રશિયા (Russia-Ukraine War) ના અન્યાયી હુમલાને પડકાર્યા વિના મંજૂરી આપવાથી એવી દુનિયાનું નિર્માણ થઈ શકે છે જ્યાં તેની અસર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પાછળથી જોવા મળી શકે છે. ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે અને રાયસીના ડાયલોગ શરૂ કરશે. તેમણે કહ્યું કે તે સ્પષ્ટ સંદેશ સાથે યુક્રેન સંકટ પર ભારત સાથે ચર્ચા કરશે અને આ આક્રમણને રોકવાનો પ્રયાસ કરશે.

લેયને (Ursula von der Leyen) ભારત આવતા પહેલા ટ્વિટ કર્યું હતું કે, “ભારત-EU સંબંધોના 60 વર્ષ પૂરા થવાના અવસર પર નવી દિલ્હી માટે રવાના થઈ રહી છું. 60 વર્ષથી અમે એક મજબૂત મિત્રતા બનાવી છે અને હવે અમે આ સહયોગને આગલા સ્તર પર લઈ જવા માંગીએ છીએ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી ચર્ચાની આતુરતાથી રાહ જોઈ રહી છું. યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે લેયેનની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેમની આ મુલાકાત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત મુલાકાતના બે દિવસ બાદ થઈ રહી છે.

તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રશિયાની આક્રમકતા માત્ર વ્યક્તિગત દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. તેમણે કહ્યું, ‘ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં ચીનના ઘણા દેશો સાથે વણઉકેલાયેલા સરહદ વિવાદો છે. હું માનું છું કે આ પડકાર ચાલુ રહેશે. આપણે આગળની દુનિયાનો સામનો કરી શકીએ છીએ . EU કાયદાના શાસન માટે છે, બંદૂકના શાસન માટે નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અમે ઈન્ડો-પેસિફિકમાં તણાવમાં વધારો જોઈ શકીએ છીએ: EU ચીફ

યુરોપિયન કમિશનના પ્રમુખે કહ્યું કે હાલમાં, આ સમસ્યા માત્ર યુરોપમાં જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિકમાં પણ માન્ય છે, જ્યાં આપણે વધતા તણાવને જોઈ શકીએ છીએ. અમારી ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના સાથે, અમે સ્પષ્ટપણે સૂચવ્યું છે કે, ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સમૃદ્ધિમાં EUનો મજબૂત હિસ્સો છે. અમે અમારા મિત્રો અને ભાગીદારો સાથે કામ કરવા માંગીએ છીએ.

તમને જણાવી દઈએ કે, લેયનના ભારતમાં આગમન પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે યુરોપિયન કમિશનના પ્રમુખના કેબિનેટ ચીફ બજોર્ન સિબર્ટ સાથે વાતચીત કરી હતી. EU ભારતમાં સૌથી મોટું રોકાણકાર છે અને વર્ષ 2015-20 વચ્ચે કુલ વિદેશી રોકાણમાં તેનો હિસ્સો 16 ટકા છે. EU એ 2000 થી 2021 વચ્ચે 83 બિલિયન યુરોનું રોકાણ કર્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

Gujarat Election 2022: ભાજપના કાર્યકરોને ચાર દિવસની રજા મળી, સીઆર પાટીલે કહ્યું આગામી છ મહિના સુધી બ્રેક વિના કામ કરવું પડશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">