AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર, તાત્કાલિક અસરથી શહેર છોડવાની સલાહ

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યા સુધીમાં ખાર્કિવ શહેર છોડી દેવું જોઈએ.

Russia Ukraine War: ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર, તાત્કાલિક અસરથી શહેર છોડવાની સલાહ
Embassy of India in Ukraine issues an urgent advisory to Indian nationals in Kharkiv
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 5:53 PM
Share

Russia Ukraine War: આ સમયે યુક્રેનના ખાર્કિવમાંથી (Kharkiv) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે અહીં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક અસરથી શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી હતી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકોએ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યા સુધીમાં ખાર્કિવ છોડી દેવું જોઈએ. ભારતીય દૂતાવાસે ખાર્કિવમાં હાજર ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે પેસોચિન, બાબાયે અને બેઝલ્યુડોવકા જવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રાજધાની કિવ અને ખાર્કિવ પર રશિયાનો હુમલો સતત ચાલુ છે.

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી એવા સમયે આપી છે જ્યારે રશિયાના યુક્રેન પર હુમલાને કારણે આ પૂર્વી યુરોપીયન દેશમાં સ્થિતિ વણસી ગઈ છે. ખાસ કરીને ખાર્કીવ પર હુમલા તીવ્ર બનવાના અહેવાલો છે. યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં પ્રાદેશિક પોલીસ અને ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પરના હુમલાનો વીડિયો ઓનલાઈન ફરતો થઈ રહ્યો છે, જેમાં એક ઈમારતની છત ઉડી ગઈ છે અને તેના ઉપરના માળે આગ લાગી છે.

યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે ‘ઓપરેશન ગંગા’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભારતીયોને હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી યુક્રેન છોડ્યા બાદ જમીની સરહદ ચોકીઓ દ્વારા હવાઈ માર્ગે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો –

રશિયાએ દુનિયાને આપી પરમાણુ યુદ્ધની ધમકી, વિદેશપ્રધાન લાવરોવે કહ્યું- ત્રીજુ વિશ્વ યુદ્ધ ખુબ વિનાશકારી હશે

આ પણ વાંચો –

દેશની જાણીતી BAPS સંસ્થા સેવા માટે યુક્રેનમાં આગળ આવી, પીએમ મોદી દ્વારા હુંકાર કરતા સંસ્થા કામે લાગી કામે

આ પણ વાંચો –

Russia Ukraine War : ‘છ દિવસના યુદ્ધમાં 6000 રશિયન સૈનિકો માર્યા ગયા’,યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">