Earthquake Breaking News: ફિલીપીન્સમાં અનુભવાયો 6.1ની તીવ્રતાનો ભૂકંપ, મસ્બાતે ક્ષેત્રથી 35 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

Philippines Earthquake : ફિલીપીન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે.

Earthquake Breaking News: ફિલીપીન્સમાં અનુભવાયો 6.1ની તીવ્રતાનો ભૂકંપ, મસ્બાતે ક્ષેત્રથી 35 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
Philippines Earthquake Image Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 6:35 AM

ફિલીપીન્સથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. ફિલીપીન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. જોકે, હમણા સુધી જાનહાનિ કે આર્થિક નુકશાનની કોઈ માહિતી સામે આવી નથી.જણાવી દઈએ કે ફિલીપીન્સમાં એક મહિના પહેલા 18 જાન્યુઆરીના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ફિલીપીન્સના દક્ષિણ ભાગમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે પણ મોટું નુકશાન થયું ન હતું.

હાલમાં જ તુર્કિયે અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે આજદિન સુધીમાં 41,000 લોકોના મોત થયા છે, જ્યારે 1 લાખથી વધારે ઘાયલ થયા છે. જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીના રોજ તુર્કિયેના દક્ષિણ-પૂર્વી અને સીરિયાના ઉત્તર-પશ્વિમ ભાગમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ પણ નાના મોટા ભૂકંપના આંચકા આ ક્ષેત્રમાં અનુભવાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મળતી માહિતી અનુસાર, ફિલીપીન્સના મસબાતે ક્ષેત્રથી 35 કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. આ ભૂકંપના કારણે હમણા સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ આજે મોડી રાત્રે 1.45થી 2 વાગ્યાની વચ્ચે અનુભવાયો હતો.આ ભૂકંપને કારણે ત્સુનામીની પણ શકયતા સેવાઈ રહી છે.

ભૂકંપના કારણે સ્કૂલોમાં રજા

ભૂકંપના 1 કલાક બાદ પણ ભૂકંપના નાના-મોટા આંચકા આવી રહ્યાં હતા. જેને કારણે મસ્બાતે વિસ્તારની સ્કૂલોમાં કેટલાક દિવસો માટે રજા જાહેર કરવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વારંવાર ધ્રુજી રહી છે ધરા

વર્ષની શરુઆતથી જ દુનિયાના અલગ અલગ ભાગોમાંથી ભૂકંપના સમાચાર સામે આવી રહ્યાં છે. ગઈકાલે 15 ફેબ્રુઆરીના રોજ ન્યુઝીલેન્ડમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ નોર્થ આઈસલેન્ડ શહેર લોરહાટથી 78 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. ભૂકંપ સાંજે 7.38 કલાકે 76 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપના કારણે પણ કોઈ મોટા નુકશાનના સમાચાર સામે આવ્યા ન હતા.

આ પણ વાંચો: New Zealand Cyclone Gabrielle: ચક્રવાત ગેબ્રિયલની ન્યુઝીલેન્ડમાં તબાહી ! 58000 ઘરોમાં પાવર કટ, 509 ફ્લાઈટ્સ રદથી જનજીવન અસ્તવ્યસ્ત

15 દિવસમાં 11 વાર ધ્રુજીગુજરાતની ધરા

  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">