Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાઉન્ટડાઉન શરૂ, 31 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે ચર્ચા, ઈમરાન ખાનની ખુરશી જવાનો ખતરો વધ્યો

ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ ગૃહને 31 માર્ચ સુધી સ્થગિત કરી દીધું. 31 માર્ચે સાંજે 4 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. સાથે જ ઈમરાન વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 1થી 4 એપ્રિલની વચ્ચે મતદાન થઈ શકે છે.

કાઉન્ટડાઉન શરૂ, 31 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે ચર્ચા, ઈમરાન ખાનની ખુરશી જવાનો ખતરો વધ્યો
Imaran Khan (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 8:44 PM

પાકિસ્તાન (Pakitsan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ના ભાવિનો નિર્ણય આગામી સપ્તાહમાં થવા જઈ રહ્યો છે. હકીકતમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી (Pakistan National Assembly) સોમવારે એક મહત્વપૂર્ણ સત્ર માટે શરૂ થઈ, જ્યાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No-confidence Motion) રજૂ કર્યો. આ પછી ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ ગૃહને 31 માર્ચ સુધી સ્થગિત કરી દીધું. 31 માર્ચે સાંજે 4 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. સાથે જ ઈમરાન વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 1થી 4 એપ્રિલની વચ્ચે મતદાન થઈ શકે છે.

બે દિવસના અંતર પછી અતિ ઉત્સાહી નેશનલ એસેમ્બલી સત્ર શરૂ થયું. નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ તેની અધ્યક્ષતા કરી હતી. સત્ર શરૂ થયા પછી વિપક્ષના નેતા શાહબાઝ શરીફે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ડેપ્યુટી સ્પીકર પાસે મંજૂરી માંગી. તેમણે કહ્યું ‘હું વિનંતી કરીશ કે તમે (સૂરી) આ આઈટમને ગૃહમાં રજૂ કરવાની મંજૂરી આપો, કારણ કે આ પ્રસ્તાવ પહેલેથી જ એજન્ડામાં હતો.’ આ પછી દરખાસ્ત સ્વીકારવામાં આવે છે કે કેમ તે જાણવા માટે મતદાન યોજવામાં આવ્યું હતું. નિયમો અનુસાર ગૃહમાં હાજર કુલ સાંસદોના ઓછામાં ઓછા 20 ટકાનું સમર્થન જરૂરી છે.

31 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે ચર્ચા

161 સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં હા પાડી. આ પછી શરીફ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી, જેણે બંધારણીય પ્રક્રિયાના પ્રથમ તબક્કાની મર્યાદા નક્કી કરી હતી. બંધારણીય નિયમો અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા પછી તેના પર 3-7 દિવસમાં મતદાન કરવાનું હોય છે. ડેપ્યુટી સ્પીકર સૂરીએ 31 માર્ચે સાંજે 4 વાગ્યા સુધી નેશનલ એસેમ્બલી સ્થગિત કરી દીધી હતી. આ દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ જીતવા માટે 342 સભ્યોના ગૃહમાં 172 સાંસદોના સમર્થનની જરૂર પડશે. પરંતુ ઈમરાનનો રસ્તો કઠિન લાગે છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

8મી માર્ચે દરખાસ્ત રજૂ કરવામાં આવી

વાસ્તવમાં ઈમરાનના 23 સભ્યો તેને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ જણાતા નથી અને સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના લગભગ બે ડઝન ધારાસભ્યોએ તેને ટેકો આપવાનો ઈન્કાર કર્યો છે. આવી સ્થિતિમાં ઈમરાનની ખુરશી ખતરામાં છે. ઉલ્લેખનીય છે કે 8 માર્ચે વિપક્ષી દળોએ ઈમરાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીના સચિવાલય સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક સંકટ માટે ઈમરાન ખાનની સરકાર જવાબદાર છે. ત્યારથી દેશના રાજકારણમાં અનિશ્ચિતતાના વાદળો મંડરાઈ રહ્યા છે. વિપક્ષે ગૃહના અધ્યક્ષને 14 દિવસમાં સત્ર બોલાવવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાયા, કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી, જાણો કઈ પોસ્ટ પર મંગાવાઈ છે અરજી

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">