AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Tensions : યુક્રેન સંકટ પર સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું, યુદ્ધ થશે તો મુદ્દો બે-ત્રણ દેશોનો નહીં હોય

Russia-Ukraine Tensions રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવો જોઈએ.

Russia-Ukraine Tensions : યુક્રેન સંકટ પર સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું, યુદ્ધ થશે તો મુદ્દો બે-ત્રણ દેશોનો નહીં હોય
Defense Minister Rajnath Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 3:19 PM
Share

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ (Russia-Ukraine Tensions) પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)કહ્યું છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો આ મુદ્દો બે-ત્રણ દેશોનો નહીં હોય. તેમણે કહ્યું કે ભારત (India Role in Ukraine Crisis) ઈચ્છે છે કે આ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવામાં આવે. TV9 સાથે વાત કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતના પક્ષમાં છે. અમારું માનવું છે કે આ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા જ મળવો જોઈએ. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ દિશામાં પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

રાજનાથ સિંહે કહ્યું કે યુદ્ધની સ્થિતિ અથવા યુદ્ધના કારણે સર્જાયેલ તણાવ વર્તમાન વિશ્વ પરિદ્રશ્ય માટે સારી નથી. આ હવે માત્ર 2-3 દેશો વચ્ચેનો મુદ્દો રહેશે નહીં. તેમણે કહ્યું કે અમારી માહિતી મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) વચ્ચે વાતચીતનો માર્ગ ખુલી રહ્યો છે. બંને નેતાઓ વચ્ચે ટૂંક સમયમાં વાતચીત થવાની છે. રાષ્ટ્રપતિ બાઈડન વાટાઘાટો માટે સંમત થયા છે. સોમવારે, વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડન અને તેમના રશિયન સમકક્ષ પુતિન વચ્ચે વાતચીત થઈ શકે છે. પરંતુ શરત એ છે કે રશિયાએ યુક્રેન પર હુમલો કરવો નહીં.

ઈમરાનની રશિયા મુલાકાતથી કોઈ ફરક પડતો નથીઃ રાજનાથ સિંહ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 23 ફેબ્રુઆરીએ રશિયાના પ્રવાસે જવાના છે. બે દાયકામાં પાકિસ્તાની વડાપ્રધાનની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. જ્યારે રક્ષા મંત્રી રાજનાથને ઈમરાનના રશિયા પ્રવાસ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ઈમરાનના રશિયા જવાથી કોઈ ફરક પડતો નથી. તેમણે વધુમાં કહ્યું કે ભારત યુદ્ધ નહિ પરંતુ શાંતિ ઈચ્છે છે. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે. યુક્રેનમાં રહેતા તમામ ભારતીયોને પરત લાવવામાં આવશે.

ચીન સાથે વાતચીત ચાલુ છે

બીજી તરફ ચીનના મુદ્દે વાત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીન સાથે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. તેને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં દેશનું માથું ઝુકવા નહીં દઈએ. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયન અખબારે રાહુલ ગાંધીના નિવેદનને ખોટું ગણાવ્યું, તે અખબારે લખ્યું કે ગાલવાનમાં 38 થી 50 ચીની સૈનિકો માર્યા ગયા. તેઓએ તથ્યોની બહાર વાત કરવાનું ટાળવું જોઈએ. રક્ષા મંત્રીએ કહ્યું કે મારા દેશની 1 ઈંચ જમીન કોઈને લેવા નહીં દઈએ. રાહુલ ગાંધી સ્વતંત્ર ભારતના ઈતિહાસથી વાકેફ નથી. પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહના સમયમાં ચીને ચોક્કસપણે કંઈક હાંસલ કર્યું હતું.

આ પણ વાંચોઃ

ડોનેટ્સક અને લુહાન્સ્કની ‘સ્વતંત્રતા’ પર ગુસ્સે થયા UN ચીફ, કહ્યું રશિયાએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું

આ પણ વાંચોઃ

Russia-Ukraine tensions: યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતે યુએનમાં કહ્યું, યુક્રેનમાં 20,000 ભારતીયોની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">