AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇતિહાસના પાનાં પર મોતની તારીખ… જ્યારે-જ્યારે આવી તારીખ 26, દુનિયાએ સહન કરી મોટી તબાહી !

26 તારીખે દુનિયાના અનેક દેશોએ વિનાશક આપત્તિઓનો સામનો કર્યો છે. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. નેપાળની તાજેતરની દુર્ઘટનાએ ફરી 26 તારીખ સાથે જોડાયેલી આ કરુણ ઘટનાઓની યાદ તાજી કરી છે.

ઇતિહાસના પાનાં પર મોતની તારીખ… જ્યારે-જ્યારે આવી તારીખ 26, દુનિયાએ સહન કરી મોટી તબાહી !
26 Date DisastersImage Credit source: AI Generated
| Updated on: Sep 01, 2026 | 1:18 PM
Share

તારીખ 26 ઓગસ્ટ વાર બુધવાર… નેપાળ આ દિવસ અને તારીખને ક્યારેય ભૂલી શકશે નહીં. આ તારીખે પાડોશી દેશ પર એવો ઘા કર્યો જે કદાચ ક્યારેય ઓછો નહીં થાય. નદીમાં આવેલા વિનાશક પૂરે એક જ ક્ષણમાં બધું જ નષ્ટ કરી દીધું. હજારો લોકોના જીવ ગયા છે, તો કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં એક સામાન્ય વાત એટલે કે તારીખ 26 છે. મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાથી લઈને ગુજરાતમાં આવેલા ભૂકંપ અને જાપાનમાં આવેલા સુનામી સુધી, નેપાળમાં આવેલા પૂરે ભૂતકાળની દુર્ઘટનાઓ યાદ કરે તો સૌથી કોમન વાત છે તે તારીખ 26.

25 ઓગસ્ટ મંગળવાર સુધી, નેપાળમાં બધું રાબેતા મુજબ હતું. લોકો તેમના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા, બાળકો શાળામાં હતા. કોઈને ખ્યાલ નહોતો કે બીજા દિવસે કોઈ આપત્તિ બધું જ તબાહ કરી દેશે. સૂત્રો અનુસાર, નેપાળમાં આવેલા પૂરમાં 939 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મૃત્યુઆંક વધી રહ્યો છે. લગભગ 3,925 લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે અને તેમની શોધ ચાલી રહી છે.

26 મી તારીખ અને આફતો

હવે 26 મી તારીખ વિશે વાત કરીએ. 26 મી ઓગસ્ટે નેપાળમાં આવેલા પૂરે ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું 26 મી તારીખ ખરેખર વિચિત્ર સંયોગ છે કે નહીં? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ કે વિશ્વભરના ઘણા દેશોમાં આ તારીખે આફતોનો અનુભવ થયો છે. જેમાં બધું જ તબાહ થઈ ગયું છે. આ તારીખે કેટલીક ઘટનાઓ બની છે, જેના કારણે આ તારીખ લોકોના મનમાં કોતરાઈ ગઈ છે.

નેપાળમાં આ દુર્ઘટના 26 મી તારીખે બનેલી આફતોના દુ:ખદ ઇતિહાસમાં છે. ઉદાહરણ તરીકે, 1939 માં તુર્કી ભૂકંપમાં આશરે 32,700 થી વધુ લોકોનો જીવ ગયો હતો. 2004 બોક્સિંગ ડે સુનામીમાં આશરે 2,28,000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બોક્સિંગ ડે સુનામી ઇતિહાસની સૌથી વિનાશક કુદરતી આફતોમાંની એક છે. જેના કારણે ભારે વિનાશ થયો હતો.

આ દુ:ખદ સંયોગ ફક્ત કુદરતી આફતો સુધી મર્યાદિત નથી. 26 નવેમ્બર 2008 ના રોજ, મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતા. 26 એપ્રિલ, 1986 ના રોજ ચેર્નોબિલ પરમાણુ અકસ્માત થયો હતો.

26 તારીખની કરુણ ઘટનાઓ પર એક નજર

  1. 26 ઓગસ્ટ, 2026 નેપાળ પૂર આપત્તિ: હિમનદી ફાટવાથી ભોટેકોશી નદીમાંથી પાણી અને કાટમાળનો અચાનક પ્રવાહ આવ્યો, જેના કારણે નેપાળના રાસુવા જિલ્લા અને નીચાણવાળા વિસ્તારોમાં વિનાશક પૂર આવ્યું.
  2. 26 ઓક્ટોબર, 2015 હિંદુકુશ ભૂકંપ: 26 ઓક્ટોબર, 2015 ના રોજ હિંદુકુશ પ્રદેશમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના કેટલાક ભાગો પ્રભાવિત થયા હતા.
  3. 26 મે 2026, યોગ્યાકાર્તા અને ઇન્ડોનેશિયામાં ભૂકંપ: ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર યોગ્યાકાર્તા નજીક 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ભારે વિનાશ થયો હતો. હજારો ઘરો અને ઇમારતોને નુકસાન થયું હતું.
  4. 26 જુલાઈ, 2005 મુંબઈમાં પૂર: મહારાષ્ટ્રના મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે વિનાશક પૂર આવ્યું હતું. મુંબઈ શહેરમાં 24 કલાકમાં આશરે 944 મીમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ, ઘરો અને રેલ્વે ટ્રેક ડૂબી ગયા હતા.
  5. 26 ડિસેમ્બર, 2004 હિંદ મહાસાગર ભૂકંપ અને સુનામી: ઇન્ડોનેશિયાના સુમાત્રાના કિનારે 9.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હિંદ મહાસાગરના કિનારે આવેલા દેશોમાં વિનાશક સુનામી આવી. ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ભારત અને થાઇલેન્ડ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
  6. 26 ડિસેમ્બર, 2003 ઈરાનમાં ભૂકંપ: ઈરાનના બામ શહેર પર 6.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનાથી ઐતિહાસિક શહેર અને આસપાસની વસાહતોનો મોટાભાગે નાશ થયો હતો. હજારો ઇમારતો ધરાશાયી થઈ હતી.
  7. 25-26 માર્ચ, 2002 અફઘાનિસ્તાન ભૂકંપ: 25-26 માર્ચ, 2002 ની રાત્રે ઉત્તર અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આચકા આવ્યા હતા. જેનાથી બાગલાન પ્રાંતના કેટલાક ભાગોને ગંભીર અસર થઈ હતી.
  8. 26 જાન્યુઆરી, 2001 ગુજરાત ભૂકંપ: આ દિવસે, ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેનાથી રાજ્યના મોટા ભાગો, ખાસ કરીને કચ્છ પ્રદેશને ગંભીર અસર થઈ હતી.
  9. 26 એપ્રિલ, 1990 ચીન ભૂકંપ: ચીનના કિંઘાઈ પ્રાંતમાં 7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ગોંગે વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું હતું.
  10. 26 નવેમ્બર, 1987 ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી: ઇન્ડોનેશિયાના પેન્ટાર વિસ્તારમાં 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી.
  11. 26 મે, 1983 જાપાનના સમુદ્રમાં ભૂકંપ અને સુનામી: ઉત્તરી જાપાન નજીક જાપાનના સમુદ્રમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સુનામી અકીતા અને આઓમોરી પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવી. આ સુનામીમાં મિલકતને વ્યાપક નુકસાન થયું હતું.
  12. 26 જુલાઈ, 1963 યુગોસ્લાવિયા ભૂકંપ: સ્કોપજે, તત્કાલીન યુગોસ્લાવિયામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરનો મોટો ભાગ નાશ પામ્યો હતો. જેના કારણે આશરે 2,00,000 થી વધુ લોકો બેઘર થયા હતા.
  13. 26 નવેમ્બર, 1943 તુર્કી ભૂકંપ: તુર્કીના લાદિક-સેમસુન-હાવઝા પ્રદેશમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે ઉત્તરી તુર્કીમાં ભારે વિનાશ સર્જ્યો હતો.
  14. 26 ડિસેમ્બર, 1939 તુર્કી ભૂકંપ: તુર્કીના એર્ઝિંકન પ્રદેશમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઉત્તર એનાટોલિયા ફોલ્ટના વિસ્તારમાં વ્યાપક વિનાશ થયો હતો. હજારો ઇમારતો ધરાશાયી થઈ હતી.
  15. 26 સપ્ટેમ્બર, 1932 ગ્રીસ ભૂકંપ: ચાલ્કિડિકીના ગ્રીક દ્વીપકલ્પ પર આવેલા ભૂકંપથી લેરિસોસ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હતું. સેંકડો ઘરો નાશ પામ્યા હતા અને સુનામી આવી હતી.
  16. 26 નવેમ્બર, 1930 જાપાન ભૂકંપ: જાપાનના ઇઝુ દ્વીપકલ્પમાં 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે વ્યાપક નુકસાન થયું હતું. ભૂસ્ખલન અને ત્યારબાદ લાગેલી આગથી વિનાશ વધુ વકર્યો હતો.
  17. 26 સપ્ટેમ્બર, 2023 ઇરાકમાં કરાકોશ લગ્ન મંડપમાં આગ: મોસુલ શહેર નજીક કરાકોશમાં એક લગ્ન મંડપમાં આગ લાગવાથી 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
  18. 26 ઓગસ્ટ, 2021 કાબુલ એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ: અફઘાનિસ્તાનના કાબુલમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 13 યુએસ સૈનિકો સહિત ઓછામાં ઓછા 183 લોકો મર્યા હતા.
  19. 26 નવેમ્બર, 2008 મુંબઈ આતંકવાદી હુમલા: 26 નવેમ્બર 2008 ની રાત્રે લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને તાજ પેલેસ હોટેલ સહિત અનેક સ્થળોએ એક સાથે હુમલા કર્યો હતો. નવ હુમલાખોરોનો ખાત્મો કરવામાં આવેલો અને એકને જીવતો પકડવામાં આવ્યો હતો.
  20. 26 મે, 1991 થાઈલેન્ડમાં લૌડા એર વિમાન દુર્ઘટના: બેંગકોકથી વિયેના જતી લૌડા એર વિમાન થાઈલેન્ડમાં ક્રેશ થયું. સૂત્રો અનુસાર, તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા.
  21. 26 એપ્રિલ, 1986 ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના: તત્કાલીન સોવિયેત યુક્રેનમાં ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં સલામતી તપાસ દરમિયાન, રિએક્ટર નંબર 4 માં વિસ્ફોટ થયો હતો, જેનાથી મોટા પ્રમાણમાં કિરણોત્સર્ગી સામગ્રી બહાર આવી. આ ઘટના પછી તરત જ, સત્તાવાર મૃત્યુઆંક 31 હતો. આ ઘટનાથી યુરોપના ઘણા ભાગોમાં વ્યાપક રેડિયેશનનો સંપર્ક થયો હતો.
  22. 26 એપ્રિલ, 1942 બેનક્સિહુ કોલસા ખાણ અકસ્માત, ચીન: ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં બેનક્સિહુ કોલસા ખાણમાં ગેસ અને કોલસાની ધૂળનો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી નીકળેલા કાર્બન મોનોક્સાઇડથી આશરે 1,549 ખાણિયોના મોત થયા હતો.

26 મી તારીખે વિશ્વ પર ઊંડા ઘા કર્યા

આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે 26 તારીખે દુનિયાને અનેક ઊંડા ઘા આપ્યા છે. આ તારીખે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત દુર્ઘટનાઓએ ભારે તબાહી મચાવી છે. નેપાળમાં આવેલા પૂરે ફરી એક વખત જૂની કરુણ ઘટનાઓની યાદ તાજી કરી છે. જ્યારે-જ્યારે આ તારીખ આવી, ત્યારે દુનિયાએ અનેક દર્દનાક ઘટનાઓનો સામનો કર્યો અને પાછળ છોડી દીધો ક્યારેય ન ભૂલી શકાય એવો દર્દ.

આ પણ વાંચો, Ahmedabad Breaking News : વરસાદ વગર જ રસ્તો બેસી ગયો, AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video

Follow Us
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
g clip-path="url(#clip0_868_265)">