AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Cases in Nepal : નેપાળમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, પહેલી વાર 1 દિવસમાં 10 હજાર કેસ

હાલમાં, દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 39,223 છે. તેમાંથી 37,826 સેલ્ફ-આઈસોલેશનમાં, 1,218 સંસ્થાકીય આઈસોલેશનમાં, 151 આઈસીયુમાં અને 28 વેન્ટિલેટર પર છે.

Corona Cases in Nepal : નેપાળમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, પહેલી વાર 1 દિવસમાં 10 હજાર કેસ
Corona became dangerous in Nepal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 9:01 PM
Share

નેપાળમાં (Nepal) , કોરોના વાયરસના (Corona Virus) એક જ દિવસમાં સૌથી વધુ 10258 નવા કેસ નોંધાયા છે.  મંગળવારે એકલા કાઠમંડુમાંથી 5549 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે અહીં 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

હાલમાં, નેપાળમાં સક્રિય કેસોની સંખ્યા 39,223 છે. તેમાંથી 37,826 સેલ્ફ-આઈસોલેશનમાં, 1,218 સંસ્થાકીય આઈસોલેશનમાં, 151 આઈસીયુમાં અને 28 વેન્ટિલેટર પર છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 11,624 લોકોના મોત થયા છે.

અગાઉ સોમવારે, નેપાળમાં કોરોના વાયરસના 5,747 નવા કેસ નોંધાયા હતા, જે 2021ના મધ્યભાગ પછી સૌથી વધુ દૈનિક કેસ હતા. આ પછી, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 8,59,485 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેપને કારણે વધુ ત્રણ લોકોના મોત બાદ દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 11,623 થઈ ગયો છે.

દેશમાં 2021 ના ​​મધ્ય પછી આ પ્રથમ વખત હતુ જ્યારે દૈનિક 5,700 થી વધુ કેસ નોંધાયા હતા. 3 જૂનના રોજ ચેપના 5,825 કેસ જોવા મળ્યા હતા, ત્યારબાદ દૈનિક કેસોમાં ઘટાડો થયો હતો અને 9 ડિસેમ્બરે 197 કેસ નોંધાયા હતા. ગયા વર્ષે ડિસેમ્બરથી, દરરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે.

9 જાન્યુઆરી સુધી દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 6,755 હતી, જે 16 જાન્યુઆરીએ 25,000 અને એક દિવસ પછી 30,000ને વટાવી ગઈ. દરમિયાન, સોમવારે 547 લોકો ચેપ મુક્ત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 8,16,985 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 95.1 ટકા છે અને મૃત્યુ દર 1.4 ટકા છે.

ભારતમાં પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 238018 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટીવીટીનો દર 14.43 ટકા છે. આ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ટોચ આગામી બે અઠવાડિયામાં એટલે કે જાન્યુઆરીના અંત સુધીમાં આવી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર આવી ગઈ છે અને હવે શહેરમાં દરરોજ 20971 નવા કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો –

નથી સુધરી રહ્યુ ચીન, પેંગોંગ લેક પાસે બનાવી રહ્યુ છે ગેરકાયદેસર પુલ, સેટેટાઇટ તસવીરોએ ખોલી પોલ

આ પણ વાંચો –

UAE drone attack : ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોની ઓળખ થઇ, પરિજનોની મદદ કરશે ભારત

આ પણ વાંચો –

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">