AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Cases in Nepal : નેપાળમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, પહેલી વાર 1 દિવસમાં 10 હજાર કેસ

હાલમાં, દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 39,223 છે. તેમાંથી 37,826 સેલ્ફ-આઈસોલેશનમાં, 1,218 સંસ્થાકીય આઈસોલેશનમાં, 151 આઈસીયુમાં અને 28 વેન્ટિલેટર પર છે.

Corona Cases in Nepal : નેપાળમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, પહેલી વાર 1 દિવસમાં 10 હજાર કેસ
Corona became dangerous in Nepal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 9:01 PM
Share

નેપાળમાં (Nepal) , કોરોના વાયરસના (Corona Virus) એક જ દિવસમાં સૌથી વધુ 10258 નવા કેસ નોંધાયા છે.  મંગળવારે એકલા કાઠમંડુમાંથી 5549 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે અહીં 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

હાલમાં, નેપાળમાં સક્રિય કેસોની સંખ્યા 39,223 છે. તેમાંથી 37,826 સેલ્ફ-આઈસોલેશનમાં, 1,218 સંસ્થાકીય આઈસોલેશનમાં, 151 આઈસીયુમાં અને 28 વેન્ટિલેટર પર છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 11,624 લોકોના મોત થયા છે.

અગાઉ સોમવારે, નેપાળમાં કોરોના વાયરસના 5,747 નવા કેસ નોંધાયા હતા, જે 2021ના મધ્યભાગ પછી સૌથી વધુ દૈનિક કેસ હતા. આ પછી, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 8,59,485 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેપને કારણે વધુ ત્રણ લોકોના મોત બાદ દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 11,623 થઈ ગયો છે.

દેશમાં 2021 ના ​​મધ્ય પછી આ પ્રથમ વખત હતુ જ્યારે દૈનિક 5,700 થી વધુ કેસ નોંધાયા હતા. 3 જૂનના રોજ ચેપના 5,825 કેસ જોવા મળ્યા હતા, ત્યારબાદ દૈનિક કેસોમાં ઘટાડો થયો હતો અને 9 ડિસેમ્બરે 197 કેસ નોંધાયા હતા. ગયા વર્ષે ડિસેમ્બરથી, દરરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે.

9 જાન્યુઆરી સુધી દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 6,755 હતી, જે 16 જાન્યુઆરીએ 25,000 અને એક દિવસ પછી 30,000ને વટાવી ગઈ. દરમિયાન, સોમવારે 547 લોકો ચેપ મુક્ત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 8,16,985 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 95.1 ટકા છે અને મૃત્યુ દર 1.4 ટકા છે.

ભારતમાં પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 238018 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટીવીટીનો દર 14.43 ટકા છે. આ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ટોચ આગામી બે અઠવાડિયામાં એટલે કે જાન્યુઆરીના અંત સુધીમાં આવી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર આવી ગઈ છે અને હવે શહેરમાં દરરોજ 20971 નવા કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો –

નથી સુધરી રહ્યુ ચીન, પેંગોંગ લેક પાસે બનાવી રહ્યુ છે ગેરકાયદેસર પુલ, સેટેટાઇટ તસવીરોએ ખોલી પોલ

આ પણ વાંચો –

UAE drone attack : ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોની ઓળખ થઇ, પરિજનોની મદદ કરશે ભારત

આ પણ વાંચો –

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">