પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ડ્રેગનને યાદ આવી મિત્રતા, કહ્યું ‘અમારી મિત્રતા મજબૂત, કોઈ અસર થશે નહીં’

ચીન(China) તરફથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ (Political Crisis) છતાં ચીન અને પાકિસ્તાનની મજબૂત મિત્રતા પર કોઈ અસર નહીં થાય. ચીન અને પાકિસ્તાન બંને દેશોના નિષ્ણાતો ચીન-પાકિસ્તાનના સંબંધોના ભાવિ વિશે વિશ્વાસ ધરાવે છે.

પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ડ્રેગનને યાદ આવી મિત્રતા, કહ્યું 'અમારી મિત્રતા મજબૂત, કોઈ અસર થશે નહીં'
President Xi Jinping (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 11:27 AM

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ(Political Crisis) ચાલી રહી છે, જ્યાં શનિવારે મોડી રાત્રે ઈમરાન ખાનને  (Imran Khan)અવિશ્વાસના મત દ્વારા વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શાહબાઝ શરીફ (Shehbaz sharif)દેશના આગામી PM બનવાની રેસમાં સૌથી આગળ છે. હાલ ચીને તેમને પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની સંભાવનાઓ પર ખુશી વ્યક્ત કરી હતી અને હવે ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આટલી મોટી રાજકીય ઉથલપાથલ છતાં ચીન અને પાકિસ્તાનની મજબૂત મિત્રતા(Pakistan China Friendship)  પર કોઈ અસર નહીં થાય. ચીન અને પાકિસ્તાન બંને દેશોના નિષ્ણાતો ચીન-પાકિસ્તાનના સંબંધોના ભાવિ વિશે વધુ વિશ્વાસ ધરાવે છે.

રાજકીય ફેરફારોથી ચીન-પાકિસ્તાન સંબંધોને અસર થશે નહીં

ચીન સરકાર દ્વારા સંચાલિત ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતુ કે, પાકિસ્તાનની નવી સરકાર (pakistan government) ચીન સાથે મિત્રતા સુનિશ્ચિત કરવાની દેશની લાંબા સમયથી ચાલતી પરંપરાને જાળવી રાખશે અને તમામ ચીન-પાકિસ્તાન સહયોગ પ્રોજેક્ટ્સ અપ્રભાવિત રહેશે. ચીની અને પાકિસ્તાની વિશ્લેષકો માને છે કે પાકિસ્તાનમાં આંતરિક રાજકીય ફેરફારોથી નક્કર ચીન-પાકિસ્તાન સંબંધોને અસર થશે નહીં, કારણ કે દ્વિપક્ષીય સંબંધોની સુરક્ષા અને વિકાસ માટે પાકિસ્તાનમાં તમામ પક્ષો અને તમામ જૂથોની સંયુક્ત સહમતિ છે.

અમેરિકા પર ચીન-પાકિસ્તાનના સંબંધોને ઉશ્કેરવાનો આરોપ

નિષ્ણાતોએ કહ્યું છે કે અમેરિકાએ હંમેશા ચીન-પાકિસ્તાનના સંબંધોમાં ઉશ્કેરણી કે મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ અને ચીન દ્વારા પ્રસ્તાવિત બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવને લઈને આગળ વધી રહ્યા છે. ચીનને ઈમરાન ખાન વિશે વાંધો હતો, કારણ કે જ્યારે તેઓ આ પ્રોજેક્ટની ટીકા કરતા હતા, જોકે પાછળથી 2018 માં પીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેઓ તેના મોટા ચાહક બન્યા હતા. નિષ્ણાંતોનું માનવું છે કે ચીનને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ચીનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જ્યારે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ચીન અન્ય દેશોની આંતરિક બાબતોમાં દખલ ન કરવાના સિદ્ધાંતનું પાલન કરે છે.ચીન અને પાકિસ્તાન ઓલ વેધર વ્યૂહાત્મક સાથી છે. ઈતિહાસએ વારંવાર સાબિત કર્યું છે કે ચીન-પાકિસ્તાનના સંબંધો હંમેશા અતૂટ અને મજબૂત રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan: PM પદના ઉમેદવાર શાહબાઝ શરીફ અને તેમના પુત્રને કોર્ટનુ તેડૂ, ભ્રષ્ટાચારના આરોપમાં શાહબાઝ પર સકંજો

આ પણ વાંચો : Ukraine Russia War: યુદ્ધમાં યુક્રેનની તબાહી, 45 લાખ લોકોએ છોડ્યો દેશ, જાણો 10 મોટી વાત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">