AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Canada Tension: કેનેડાએ અપડેટ કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ફરી આપી આ સલાહ

કેનેડા સરકારનો આ નિર્ણય ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જાહેર કર્યા અને ગયા સપ્તાહના અંતમાં વિઝા સેવાઓ પર પ્રતિબંધ મૂક્યા પછી આવ્યો છે. જસ્ટિન ટ્રુડોએ આ હત્યા પાછળ ભારતીય જાસૂસોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો.

India Canada Tension: કેનેડાએ અપડેટ કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ફરી આપી આ સલાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 6:48 AM
Share

India Canada Tension: કેનેડા અને ભારત વચ્ચેનો વિવાદ અત્યારે અટકે તેમ લાગતું નથી. કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. આમાં કેનેડાએ તેમને હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે.

આ પણ વાંચો: વિનાશકાળે વિપરીત બુદ્ધિ, ખાલિસ્તાનીઓ બાદ હવે નાઝીઓના સન્માન પર ઘેરાયા જસ્ટિન ટ્રુડો, સ્પીકરને માંગવી પડી યહૂદીઓ પાસે માફી

મહત્વનું છે, ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી. આ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યા પાછળ ભારતીય જાસૂસોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો.

નિજ્જરને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે ભારતે વર્ષ 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. જો કે કેનેડાના ભારત પરના હત્યાના આરોપને ભારતે વાહિયાત અને ખોટા હોવાના ગણાવીને ફગાવી દીધા હતા અને આ બાબતે ભારતીય રાજદ્વારીની કેનેડામાંથી કાઢી નાખવાના બદલામાં કેનેડિયન રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

સતર્ક રહો અને સાવચેતી રાખો

કેનેડાની સરકારે રવિવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે કેનેડા અને ભારતમાં તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ કરવામાં આવી છે. મહેરબાની કરીને સાવચેત રહો અને સાવચેતી રાખો.

ભારતે વિઝા પર પ્રતિબંધ મૂક્યો

ગ્લોબલ ન્યૂઝના અહેવાલ મુજબ, આ નિર્ણય ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જાહેર કર્યા અને ગયા સપ્તાહના અંતમાં વિઝા સેવાઓ બંધ કર્યા લેવામાં આવ્યો છે.

ફરી એકવાર ઘેરાયા જસ્ટિન ટ્રુડો

કેનેડામાં વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કેનેડાની સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવા બદલ જસ્ટિન ટ્રુડોની સખત નિંદા કરી છે. તેણે ટ્રુડોને જાહેરમાં માફી માંગવા પણ કહ્યું છે. પિયરે આ મુદ્દો ઉઠાવ્યા બાદ કેનેડિયન સંસદના સ્પીકરે યહૂદીઓની માફી માંગવી પડી હતી.

તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી કેનેડાની મુલાકાતે ગયા હતા. તેમની સાથે 14મા વેફેન ગ્રેનેડિયર ડિવિઝનના ભૂતપૂર્વ નાઝી સૈનિક પણ હતા, જેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લડ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ સૈનિક ઝેલેન્સકી સાથે કેનેડિયન સંસદમાં પહોંચ્યો ત્યારે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. પિયરે આ મુદ્દે જ ટ્રુડોને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">