AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blast in Afghanistan: નંગરહાર પ્રાંતમાં નમાજ દરમિયાન મસ્જિદમાં થયો જોરદાર વિસ્ફોટ, ત્રણના લોકોના મોત, 12 ઘાયલ

અફઘાનિસ્તાનના (Afghanistan) પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતના સ્પિન ઘર વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

Blast in Afghanistan: નંગરહાર પ્રાંતમાં નમાજ દરમિયાન મસ્જિદમાં થયો જોરદાર વિસ્ફોટ, ત્રણના લોકોના મોત, 12 ઘાયલ
Blast in Afghanistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 8:20 PM
Share

અફઘાનિસ્તાનના (Afghanistan) પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતના (Nangarhar province) સ્પિન ઘર વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક રહીશોએ આ અંગે માહિતી આપી છે.

આ વિસ્તારના એક વ્યક્તિ અટલ શિનવારીએ જણાવ્યું કે, વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 1.30 વાગ્યે થયો હતો. આ દરમિયાન મસ્જિદની અંદર રાખવામાં આવેલ બોમ્બ અચાનક વિસ્ફોટ થયો હતો. અન્ય એક રહેવાસીએ પણ આવી જ માહિતી આપી હતી.

તે જ સમયે તાલિબાનના એક અધિકારીએ સમાચાર એજન્સી એએફપીને હુમલાની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનના અશાંત નંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા, એમ તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સ્પિન ઘર જિલ્લાની એક મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા વિસ્ફોટની પુષ્ટિ થઈ છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં અનેક હુમલા થયા છે. આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટનો હાથ છે.

કાબુલ હોસ્પિટલની બહાર વિસ્ફોટ

આ પહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મિલિટરી હોસ્પિટલની સામે નાગરિકોને નિશાન બનાવીને મંગળવારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તાલિબાનના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું કે, કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર થયો હતો. ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ હોસ્પિટલની બહાર પણ ગોળીબાર કર્યો હતો.

ઉત્તર અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમ ઉપાસકોથી ભરેલી મસ્જિદમાં 8 ઓક્ટોબરના રોજ થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ (IS) એ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે, તેના આત્મઘાતી બોમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો.

આ પણ વાંચો: UPSC Success Story: કોચિંગ વગર ત્રણ વખત UPSC પરીક્ષા ક્રેક કરી, જાણો IAS હિમાંશુ ગુપ્તા પાસેથી તેમની સફળતાનો મંત્ર

આ પણ વાંચો: CBSE અને ICSE બોર્ડની મનમાની સામે વાલીઓએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર, પરીક્ષા મોકૂફ રહેશે કે બદલાશે પેટર્ન ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">