AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો બાઈડેનની ચેતવણી, પુતિને કર્યો પરમાણુ હુમલો તો પેન્ટાગન પણ કોઈને પુછવા નહીં રહે

અમેરિકી ન્યૂઝ ચેનલ સીએનએને જો બાઈડેનને જ્યારે આ વિશે પ્રશ્ન પૂછયો તો તેમને 6 શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે Pentagon didn’t have to be asked... એટલે કે આવી સ્થિતિમાં પેન્ટાગનને પ્રતિક્રિયા આપવા માટે કોઈને પૂછવાની જરૂર નહીં રહે.

જો બાઈડેનની ચેતવણી, પુતિને કર્યો પરમાણુ હુમલો તો પેન્ટાગન પણ કોઈને પુછવા નહીં રહે
US President Joe BidenImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 5:24 PM
Share

રશિયા (Russia) અને યુક્રેનની વચ્ચે એક ખતરનાક જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે પરમાણુ હુમલાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. હાલમાં જ ક્રીમિયા બ્રિજ પર હુમલો થયા બાદ રશિયાએ યુક્રેન પર એક બાદ એક ઘણી મિસાઈલો દ્વારા હુમલો કર્યો અને ઘણા શહેરોને નષ્ટ કરી કરી દીધા. તેની વચ્ચે હવે ચર્ચા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર પરમાણુ હુમલો (Nuclear Attack) પણ કરી શકે છે. જો આ પગલુ લેવામાં આવશે તો અમેરિકા તેની વિરૂદ્ધ પગલા ભરશે અને તેને જવાબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Russia) આપ્યો છે.

અમેરિકી ન્યૂઝ ચેનલ સીએનએને જો બાઈડેનને જ્યારે આ વિશે પ્રશ્ન પૂછયો તો તેમને 6 શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે Pentagon didn’t have to be asked… એટલે કે આવી સ્થિતિમાં પેન્ટાગનને પ્રતિક્રિયા આપવા માટે કોઈને પૂછવાની જરૂર નહીં રહે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો પુતિન યુક્રેનમાં પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારી કરે છે અથવા તો ટેક્ટિકલ પરમાણુ હથિયારનો ઉપયોગ કરે છે તો અમેરિકા અને નાટો માટે રેડલાઈન શું હશે? તેની પર બાઈડેને કહ્યું કે અમે શું કરીશું અને શું નહીં. તેની વિશે વાત કરવી મારા માટે બેજવાબદારી ભર્યુ રહેશે.

યુક્રેન પર થયેલા હુમલા પર શું બોલ્યા જો બાઈડેન

આ પહેલા જો બાઈડેને યુક્રેનમાં મિસાઈલ હુમલા માટે સોમવારે રશિયાની નિંદા કરી, જેમાં ઓછામાં ઓછા 11 નાગરિકના મોત થયા હતા, રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલથી હુમલા શરૂ કરી દીધા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન દ્વારા મોસ્કોના દળોને બહાર કાઢવાના પ્રયત્નોના જવાબમાં આ હુમલાઓ ગણાવ્યા હતા. તેમને યુક્રેનની આ કાર્યવાહીને આતંકવાદી કાર્યવાહી ગણાવી.

બાઈડેને તેની પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ હુમલામાં નાગરિકોના મોત થયા છે અને કેટલાક નાગરિકો ઘાયલ થયા છે. તે સ્થાનો કે જેનો કોઈ લશ્કરી હેતુ ન હતો તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેણે યુક્રેનના લોકો પર પુતિનના ગેરકાયદેસર યુદ્ધની બર્બરતા ફરી એકવાર બતાવી છે.

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">