Ukraine Crisis 2022: યુક્રેન પર થશે હુમલો? બાઇડન-પુતિને 62 મિનિટની વાતચીત કરી, ડઝનેક દેશોએ નાગરિકોને દેશ છોડવા કહ્યું

Ukraine Crisis 2022: યુક્રેન પર રશિયાના હુમલાનો ભય છે, જેના કારણે અહીં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વના ઘણા દેશોએ તેમના લોકોને યુક્રેન છોડવા માટે કહ્યું છે.

Ukraine Crisis 2022: યુક્રેન પર થશે હુમલો? બાઇડન-પુતિને 62 મિનિટની વાતચીત કરી, ડઝનેક દેશોએ નાગરિકોને દેશ છોડવા કહ્યું
Russia Ukraine Conflict -File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 8:45 AM

અમેરિકાએ (America) ચેતવણી આપી છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરીને તેના પર કબજો કરી લેશે. ત્યારથી અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ છે. એક ડઝનથી વધુ દેશોએ તેમના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું છે. અમેરિકા, બ્રિટન અને જર્મનીએ દેશોમાં સામેલ છે જેમણે પોતાના નાગરિકોને યુક્રેન છોડવા કહ્યું છે. બીજી તરફ, રશિયાએ યુક્રેન સાથેની સરહદ પર લગભગ 1,00,000 સૈનિકો તૈનાત કર્યા છે, પરંતુ તેણે કોઈપણ હુમલા અથવા કબજાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ બધાની વચ્ચે શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર વાત કરી હતી.

આ વાતચીતમાં બાઈડને ફરી એકવાર પુતિનને યુક્રેનની સરહદ પર એક લાખથી વધુ સૈનિકોના એકત્રીકરણને દૂર કરવા કહ્યું છે. આ સાથે જ રશિયાને ચેતવણી આપી કે જો તે યુક્રેન પર આક્રમણ કરશે તો યુએસ અને તેના સાથી દેશો જડબાતોબ જવાબ આપશે અને આ માટે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખની ઓફિસ વ્હાઈટ હાઉસે આ માહિતી આપી હતી.બાઈડને પુતિનને કહ્યું હતું કે હુમલાનું પરિણામ “વ્યાપક માનવીય વેદના” હશે અને રશિયાની છબી કલંકિત થશે તો બીજી તરફ બાઈડને પુતિનને કહ્યું કે યુએસ યુક્રેન પર રાજદ્વારી ચાલુ રાખશે, પરંતુ ‘અન્ય દૃશ્યો માટે સમાન રીતે તૈયાર છે.’

રશિયા ગણતરીના દિવસોમાં હુમલો કરી શકે છે

યુક્રેન સંકટ વચ્ચે બંને નેતાઓએ 62 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ ફોન કોલ એવા સમયે આવ્યો છે, જ્યારે બાઈડને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ગુપ્ત માહિતીને ટાંકીને ચેતવણી આપી હતી કે રશિયા બેઈજિંગમાં ચાલી રહેલા વિન્ટર ઓલિમ્પિક્સના 20 ફેબ્રુઆરીના અંત પહેલા દિવસોમાં હુમલો કરી શકે છે. યુક્રેનની સરહદ પર સૈનિકોની તૈનાતીની સાથે રશિયાએ પડોશી દેશ બેલારુસમાં અભ્યાસ માટે પણ પોતાના સૈનિકોને મોકલ્યા છે. જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બેલારુસથી જ યુક્રેન પર હુમલો કરી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમેરિકાએ સ્ટાફને કિવ છોડવા કહ્યું

અગાઉ, યુ.એસ.એ યુક્રેનના તેના દૂતાવાસમાં કામ કરતા બિન-જરૂરી કર્મચારીઓને દેશ છોડવા કહ્યું હતું. તે બાકીના કામદારોને પોલેન્ડ નજીક યુક્રેનના ફાર ઈસ્ટ વિસ્તારમાં મોકલી રહ્યો છે, જેથી જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી કોઈ કામ બંધ ન થાય. કેનેડા પણ તેના એમ્બેસી સ્ટાફને અહીં મોકલી રહ્યું છે. જોકે, બ્રિટનના રાજદૂત મેલિન્ડા સિમોન્સે કહ્યું કે તે અને તેમની ટીમ કિવમાં જ રહેશે. રશિયા તેના સ્ટાફને બચાવવા માટે પણ પગલાં લઈ રહ્યું છે, જે તેણે કહ્યું છે કે ત્રીજા દેશો અને યુક્રેનની ઉશ્કેરણીના ડરથી આવું કરી રહ્યું છે.

ડચ એરલાઈન યુક્રેનની ફ્લાઈટ્સ બંધ કરે છે

યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપનારા લગભગ 150 સૈનિકોને અમેરિકાએ ઘણી સાવધાની દર્શાવીને દેશની બહાર કાઢ્યા છે. ડચ એરલાઇન KLMએ જાહેરાત કરી છે કે તે યુક્રેનની ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી બંધ કરશે. બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે જો પશ્ચિમી શક્તિઓ પાસે હુમલાના કોઈ મજબૂત પુરાવા છે તો તેઓએ હજી સુધી તે કેમ જોયા નથી.

“મને લાગે છે કે મીડિયામાં ઊંડા અને સંપૂર્ણ પાયાના યુદ્ધ વિશે ઘણી બધી માહિતી છે,” તેણે કહ્યું. અમે બધા જોખમોને સમજીએ છીએ. અમે સમજીએ છીએ કે તે અસ્તિત્વમાં છે. જો તમારી અથવા અન્ય કોઈની પાસે રશિયન ફેડરેશનના યુક્રેન પરના આક્રમણ વિશે વધારાની 100% વિશ્વસનીય માહિતી હોય તો… કૃપા કરીને અમારી સાથે શેર કરો.

ઈમેન્યુઅલ મેક્રોન વ્લાદિમીર પુતિન સાથે કરી વાત

ઓસ્ટ્રેલિયા, ઈટાલી, ઈઝરાયેલ, નેધરલેન્ડ અને જાપાન સહિત ઘણા દેશોએ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યું છે. કેટલાકે રાજદ્વારી કર્મચારીઓ અને તેમના પરિવારોને પણ બહાર કાઢ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ શનિવારે પુતિન સાથે ફોન પર વાત કરી હતી. અલબત્ત, અન્ય દેશો તેમના સ્ટાફને કિવમાંથી બહાર કાઢી રહ્યા છે અને નાગરિકોને આ દેશ છોડવા માટે કહી રહ્યા છે, પરંતુ યુક્રેન પોતે કોઈ પ્રકારની કટોકટી જોતા નથી. સરકાર અહીંના લોકોને શાંત અને એકજૂટ રહેવા માટે કહી રહી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે દેશે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : નાણાં મંત્રીના બજેટના આ નિવેદનની અસરથી ડ્રોન ઉત્પાદન કંપનીના શેર્સ આસમાનમાં ઉડતા દેખાય તો નવાઈ નહિ, જાણો 4 સ્ટોક્સ વિશે

આ પણ વાંચો : Statue Of Equality: ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નવા ભારત માટે રામાનુજાચાર્યની ઉપદેશોને આત્મસાત કરવાની કરી અપીલ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">