AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBC Chairman Resign: બીબીસી ચેરમેન રિચર્ડ શાર્પે આપ્યું રાજીનામું, પૂર્વ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરી હોવાનો આરોપ

બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પ ઘણા આરોપોનો સામનો કરી રહ્યા હતા. આ પછી આજે તેમણે પોતાનું પદ છોડી દીધું છે. જોકે તે જૂન સુધી કામ કરવા તૈયાર છે. ત્યાં સુધીમાં તેમના અનુગામીની પસંદગી કરવામાં આવશે.

BBC Chairman Resign: બીબીસી ચેરમેન રિચર્ડ શાર્પે આપ્યું રાજીનામું, પૂર્વ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરી હોવાનો આરોપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 5:08 PM
Share

બીબીસીના અધ્યક્ષ રિચર્ડ શાર્પે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સામે અનેક આરોપો હતા. જે બાદ તેણે પોતાનું પદ છોડી દીધું હતું. જોકે તેઓ જૂનના અંત સુધી આ પદ પર રહેશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વ્યક્તિ નહીં મળે, ત્યાં સુધી તેઓ જવાબદારી સંભાળશે. જોકે તેઓ તરત જ હોદ્દો છોડી રહ્યા હતા, પરંતુ જો તેમને વિનંતી કરવામાં આવશે તો જૂન સુધી કામ કરવા સંમત થયા છે. રિચર્ડ શાર્પ પર આરોપ છે કે તેણે પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

બીબીસી અધ્યક્ષ પર ગંભીર આરોપો છે. આ પછી તેણે કહ્યું કે બીબીસીના હિત મારાથી ઉપર છે. તેથી, હું તાત્કાલિક અસરથી મારું રાજીનામું આપી રહ્યો છું. આ મામલે એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શાર્પે પૂર્વ પીએમ બોરિસ જોનસનને આપવામાં આવેલી લોન અંગેના નિયમોને ધ્યાનમાં રાખ્યા છે.

રિચર્ડ જૂન સુધી પદ પર રહેશે

દેશની સાર્વજનિક સંપત્તિ પર નજર રાખતી સંસ્થા હવે બીજી તપાસ કરી રહી છે. જેમાં એ જોવામાં આવશે કે સરકાર દ્વારા 2021માં બ્રોડકાસ્ટરના પ્રમુખપદ માટે રિચર્ડ કેવી રીતે ચૂંટાયા. જો કે જ્યાં સુધી તેમના અનુગામી ન મળે ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે.

આ પણ વાંચો : US News: પેન્સિલવેનિયામાં દિવાળીની રજા રહેશે, સેનેટમાં 50-0થી બિલ પાસ

શાર્પનો કાર્યકાળ ચાર વર્ષનો હતો

તેમના આ નિર્ણય બાદ ખળભળાટ મચી ગયો છે. ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સનને લોન અપાવવામાં મદદ કરવા ઉપરાંત, શાર્પ પર સરકારી નિમણૂંકોમાં અનિયમિતતાનો પણ આરોપ છે. રિપોર્ટમાં સ્પષ્ટ આરોપ છે કે દેવાના કારણે શાર્પે જાહેર નિમણૂંકોમાં નિર્ધારિત નિયમોને બાયપાસ કરીને કામ કર્યું હતું. શાર્પનો કાર્યકાળ ચાર વર્ષનો હતો. તેમણે કહ્યું કે જો હું મારા કાર્યકાળના અંત સુધી પદ પર રહીશ તો તે યોગ્ય નથી. તેથી જ મેં નિર્ણય લીધો છે કે હું મારું પદ છોડી રહ્યો છું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">