AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અસીમ મુનીરની સેનાની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી ! BLA ના કબજામાં 7 પાકિસ્તાની સૈનિકો, 7 દિવસમાં માંગણી ન સંતોષાય તો ‘મોતની સજા’

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સેનાએ શરણાગતિ સ્વીકારી લીધી છે. BLA એ પાકિસ્તાની સૈનિકોને ઘૂંટણિયે પાડીને બંધક બનાવી લીધા છે. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે શહબાઝ શરીફ અને અસીમ મુનીરની ભારે ફજેતી થઈ રહી છે.

Breaking News : અસીમ મુનીરની સેનાની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી ! BLA ના કબજામાં 7 પાકિસ્તાની સૈનિકો, 7 દિવસમાં માંગણી ન સંતોષાય તો 'મોતની સજા'
Image Credit source: X@TBPENGLISH
| Updated on: Feb 15, 2026 | 12:15 PM
Share

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સામે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની સેનાએ હાર સ્વીકારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં પાકિસ્તાની સૈનિકો BLA લડવૈયાઓ સામે ઘૂંટણિયે બેસીને શરણાગતિ સ્વીકારતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાને કારણે મુનીર અને શહબાઝ શરીફ સરકારની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બદનામી થઈ રહી છે. BLA એ 7 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા બાદ પાકિસ્તાન સરકારને મોટું અલ્ટીમેટમ આપ્યું છે, જે મુનીર અને શહબાઝની પોકળ ધમકીઓની પોલ ખોલી રહ્યું છે.

7 દિવસનું અલ્ટીમેટમ અને અદલાબદલીની માંગ

પાકિસ્તાની સેનાને ઘૂંટણિયે પાડ્યા બાદ BLA ના લડવૈયાઓએ પાકિસ્તાન સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA ના પ્રવક્તાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, તાજેતરના એક ઓપરેશન દરમિયાન તેમણે પાકિસ્તાની સેનાના 7 જવાનોને બંધક બનાવ્યા છે, જેમને તેઓ ‘યુદ્ધબંધી’ (Prisoners of War) ગણાવે છે.

BLA એ ચેતવણી આપી છે કે, જો સાત દિવસની અંદર બલૂચ રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ અને બીજા અટકાયતીઓને મુક્ત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આ સૈનિકો પર ‘બલૂચ નેશનલ કોર્ટ’ માં ટ્રાયલ ચલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને સજા આપવામાં આવશે અથવા મારી નાખવામાં આવશે.

બલૂચિસ્તાનમાં આઝાદીનો સંઘર્ષ

આ ઘટના બલૂચિસ્તાનમાં ચાલી રહેલા લાંબા સમયના અલગતાવાદી સંઘર્ષનો એક ભાગ છે, જ્યાં BLA લડવૈયાઓ પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરી રહ્યા છે. BLA નો આરોપ છે કે, પાકિસ્તાની સેના બલૂચ લોકો પર અત્યાચાર કરે છે, લોકોને પરાણે ગુમ કરી દે છે અને રાજકીય દમન કરે છે. BLA એ આ સૈનિકોને ‘ઓક્યુપાઈંગ ફોર્સિસ’ (કબજો કરનાર દળો) ગણાવ્યા છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી આ દાવા પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

સૈનિકોનો વીડિયો વાયરલ: આર્મી ચીફને અપીલ

BLA એ બંધક બનાવેલા પાકિસ્તાની સૈનિકોનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં સૈનિકો તેમના આર્મી ચીફ અસીમ મુનીરને અપીલ કરી રહ્યા છે કે, બલૂચિસ્તાની લડવૈયાઓની તમામ માંગણીઓ સ્વીકારીને તેમને વહેલી તકે છોડાવવામાં આવે.

ભૂતકાળની ઘટના: જાફર એક્સપ્રેસ હાઈજેક

આ અગાઉ 2025 માં પણ BLA એ જાફર એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોને બંધક બનાવીને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તે સમયે સેનાએ ‘ઓપરેશન ગ્રીન બોલન’ ચલાવીને મુસાફરોને છોડાવ્યા હતા પરંતુ BLA એ દાવો કર્યો હતો કે, તેમણે ઘણા બંધકોને મારી નાખ્યા હતા.

આ નવું અલ્ટીમેટમ બલૂચિસ્તાનમાં તણાવને વધુ વધારી શકે છે. BLA ની આ રણનીતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચવા અને પાકિસ્તાન પર દબાણ લાવવા માટે માનવામાં આવે છે. જો પાકિસ્તાન સરકાર કોઈ વળતી કાર્યવાહી કરશે, તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Breaking News: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફ ખ્વાજાની કબૂલાત, અમેરિકાએ આપણો ઉપયોગ ટોઈલેટ પેપરની જેમ કર્યો, પૂર્વ શાસકોની ભૂલના પરિણામ ભોગવીએ છીએ

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">