AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુરાતત્વવિદોએ દાયકાની સૌથી મોટી શોધ કરી, ઇજિપ્તમાં 4,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર મળ્યું!

ઈજિપ્તની રાજધાની કૈરો નજીક અબુ ગોરાબ શહેરમાં પુરાતત્વવિદોને જૂનું સૂર્ય મંદિર મળ્યું છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સૂર્ય મંદિર લગભગ 4500 વર્ષ જૂનું છે અને તે લાંબા સમયથી રણમાં દટાયેલું હતું.

પુરાતત્વવિદોએ દાયકાની સૌથી મોટી શોધ કરી, ઇજિપ્તમાં 4,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર મળ્યું!
Sun Temple found in Egypt
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 1:50 PM
Share

પુરાતત્વવિદો (Archaeologists) ઘણીવાર ઇજિપ્ત (Egypt)માં આશ્ચર્યજનક વસ્તુઓ શોધે છે, જે તેના પિરામિડ માટે પ્રખ્યાત છે. હવે પુરાતત્વવિદોએ એક એવી દુર્લભ ચીજ શોધી કાઢી છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જશે. પુરાતત્વવિદો (Egypt Archaeologists)ને રણમાં દટાયેલું 4,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર (Sun Temple) મળ્યું છે. આ સૂર્ય મંદિર રણમાં ખાણકામ દરમિયાન મળી આવ્યું છે. આ શોધ પછી, પુરાતત્વવિદો એ તપાસ કરી રહ્યા છે કે શું તે સમયે ઇજિપ્તના રણમાં પૂજા થતી હતી?

ઈજિપ્તની રાજધાની કૈરો (Capital Cairo) નજીક અબુ ગોરાબ શહેરમાં પુરાતત્વવિદોને આ જૂનું સૂર્ય મંદિર (Sun Temple found in Egypt) મળ્યું છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સૂર્ય મંદિર લગભગ 4500 વર્ષ જૂનું છે અને તે લાંબા સમયથી રણમાં દટાયેલું હતું. હવે આ શોધને છેલ્લા કેટલાક દાયકાઓમાં પુરાતત્વવિદોની સૌથી મોટી શોધ તરીકે ગણાવામાં આવી રહી છે.

ઇજિપ્તના પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સૂર્ય મંદિર લગભગ 4500 વર્ષ પહેલા ઇજિપ્તના ફારુને બનાવ્યું હતું. આ સૂર્ય મંદિર 25મી સદી પૂર્વે બંધાયેલું હોવું જોઈએ. પુરાતત્વવિદોને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સૂર્ય મંદિરનો આધાર માટીની ઈંટોથી બનેલો હતો, જે દર્શાવે છે કે આ જગ્યા પર પહેલાથી જ એક ઈમારત હતી.

બીજી બાજુ, રાજાના અંતિમ વિશ્રામ સ્થાન તરીકે આ મંદિરની નજીક પિરામિડ બનાવવામાં આવ્યા હતા જેથી મૃત્યુ પછી, રાજા ફરીથી ભગવાનનું સ્વરૂપ બનીને દુનિયા સામે રહી શકે. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે મંદિર માટીની બનેલી ઈંટોથી બનાવવામાં આવ્યું હતું, જેનો બે ફૂટ ઊંડો પાયો ચૂનાના પથ્થરથી બનેલો હતો.

આ અંગે ઇજિપ્તોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માસિમિલાનો નુઝોલોએ જણાવ્યું કે અમને ઘણા સમયથી ખ્યાલ હતો કે નુસિરી દ્વારા બનાવવામાં આવેલા અબુ ગોરાબના રણમાં જમીનની નીચે કંઈક છુપાયેલું છે. પરંતુ અમને કલ્પના નહોતી કે અમે ક્યારેય આટલા મોટા પાયે શોધ કરીશું. તેમણે કહ્યું કે હવે અમારી પાસે પૂરતા પુરાવા છે જે ઇજિપ્તના સૂર્ય મંદિરોની કહાની બતાવે છે.

આ પણ વાંચો: UAE ની એક એવી ભારતીય સ્કૂલ જેના અભ્યાસક્રમમાં કૃષિ વિશે ભણાવામાં આવે છે, બાળકો કરે છે 24 પ્રકારના શાકભાજીની ખેતી

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">