AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritpal Singh હજુ પણ ફરાર, પંજાબની સ્થિતિ પર કેનેડા કેમ રાખી રહ્યું છે નજર?

કેનેડા સરકાર પંજાબની તાજેતરની સ્થિતિ પર નજર રાખી રહી છે. બીજી તરફ એવી માહિતી મળી છે કે અમૃતપાલ સિંહ વેશ બદલીને નેપાળ ભાગી શકે છે. જેને પગલે સરહદ પર તકેદારી વધારી દેવામાં આવી છે.

Amritpal Singh હજુ પણ ફરાર, પંજાબની સ્થિતિ પર કેનેડા કેમ રાખી રહ્યું છે નજર?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 4:37 PM
Share

Amritpal Singh News: ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દે ચીફ અમૃતપાલ સિંહ અત્યાર સુધી પંજાબ પોલીસની નજરથી બચીને નાસતો ફરી રહ્યો છે. અમૃતપાલ સિંહ નેપાળ થઈને વિદેશ ન જાય તે માટે સરહદી વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. પંજાબમાં દરેક ખૂણે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હવે કેનેડા પણ પંજાબની આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે અમે પંજાબની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઈન્ડો-કેનેડિયન સાંસદ ઈકવિન્દર એસ. ગહીરના પ્રશ્નના જવાબમાં મેલાની જોલીએ કહ્યું કે કેનેડાની સરકાર શીખ સમુદાયની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. આ સમુદાયના લોકોએ કેનેડા સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરવો જોઈએ. હાઉસ ઓફ કોમન્સમાં જોલીએ કહ્યું કે પંજાબમાં શું થઈ રહ્યું છે તેના પર અમે બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. અમે પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવા વિશે સાંભળ્યું છે, પરંતુ અમને આશા છે કે પંજાબમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

અફવાઓ પર વિશ્વાસ ન કરો – ભારતીય વિદેશ મંત્રાલય

પંજાબની સ્થિતિને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિદેશમાં રહેતા શીખ સમુદાયના લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. જેને માનશો નહીં. ભાગેડું અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબ પોલીસનું અભિયાન ચાલી રહ્યું છે.

ભારત-નેપાળ બોર્ડર પર પોલીસની નજર

તમને જણાવી દઈએ કે ભાગેડું અમૃતપાલ સિંહ પડોશી દેશ નેપાળમાં હોવાની શક્યતા છે. ઉત્તરાખંડના ધારચુલામાં ભારત-નેપાળ બોર્ડર પર SSBના જવાનો એલર્ટ પર છે. ભારત-નેપાળ બોર્ડર પર આવતા-જતા લોકો પર પોલીસ નજર રાખી રહી છે. પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત લગભગ 9 રાજ્યોમાં અમૃતપાલ સિંહની શોધ ચાલી રહી છે. પોલીસ અમૃતપાલને પકડવા માટે સ્થળ પર દરોડા પાડી રહી છે.

આ દરમિયાન અકાલ તખ્તે અમૃતપાલને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે કહ્યું છે કે અમૃતપાલ સિંહે આત્મસમર્પણ કરવું જોઈએ અને પોલીસ તપાસમાં સહયોગ કરવો જોઈએ.

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">