AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khalistani: ભારતે વ્યક્ત કર્યો વિરોધ તો કેનેડા સરકારની અક્કલ આવી ઠેકાણે, કહ્યું- ખાલિસ્તાનીઓનો વિરોધ સહન નહીં થાય, જુઓ Video

ભારતે 8મી જુલાઈના રોજ કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોના વિરોધ પ્રદર્શન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવી આવા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Khalistani: ભારતે વ્યક્ત કર્યો વિરોધ તો કેનેડા સરકારની અક્કલ આવી ઠેકાણે, કહ્યું- ખાલિસ્તાનીઓનો વિરોધ સહન નહીં થાય, જુઓ Video
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 2:11 PM
Share

Canada: 8 જુલાઈના રોજ ઓટાવા, ટોરોન્ટો અને વાનકુવરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કાઢવામાં આવનારી રેલી અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતે સોમવારે કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેને બોલાવ્યા હતા. ભારતે કેનેડા સરકારને રેલી રોકવા અને ખાલિસ્તાની સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભારત સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ પ્રદર્શનને લઈને એક પોસ્ટર બહાર પાડ્યું હતું, જેના પર ભારતીય રાજદ્વારીઓના નામ પણ લખવામાં આવ્યા હતા. આ સાથે જ ભારતના વાંધાઓ પર કેનેડા સરકારનો જવાબ પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: Attack On Indian Consulate: સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો, ખાલિસ્તાની સમર્થકોએ આગ લગાડી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે 23 માર્ચની અન્ય એક ઘટનાને લઈને કેનેડાની સરકાર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય વર્માએ પણ આ ઘટનાને લઈને કેનેડાના અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે.

હકીકતમાં, 23 માર્ચે, કેટલાક શીખ ઉગ્રવાદીઓ દ્વારા હાઇ કમિશન પરિસરમાં સ્મોક કૈનિસ્ટર ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. સોમવારે વિદેશ મંત્રાલય અને કેનેડાના હાઈ કમિશનર વચ્ચેની બેઠક બાદ આજે એટલે કે મંગળવારે કેનેડાના વિદેશ મંત્રાલયને મૌખિક નોંધ પણ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ખાલિસ્તાનીઓના સૌથી મોટા અડ્ડા તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાં જ્યારે પણ ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અથવા તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવે છે ત્યારે તેની અસર કેનેડામાં જોવા મળે છે.

કેનેડાએ ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનના ઘણા આતંકવાદીઓને આશ્રય આપ્યો છે. તેમાંથી ઘણાના માથા પર લાખો રૂપિયાનું ઈનામ પણ લગાવવામાં આવ્યું છે, આમાં નિજ્જરનું નામનો પણ સમાવેશ હતો.

નિજ્જરની 18 જૂને હત્યા કરવામાં આવી હતી

કેનેડામાં શરણ લેનાર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને 18 જૂને બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યાના વિરોધમાં કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોએ 8મી જુલાઈએ ઓટાવા, ટોરોન્ટો અને વેનકુવરમાં વિરોધ રેલીઓ અને દેખાવોની જાહેરાત કરી છે. ખાલિસ્તાની સમર્થકોનું કહેવું છે કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે.

કેનેડાએ પ્રસ્તાવિત રેલીને અસ્વીકાર્ય ગણાવી હતી

ભારતના વિરોધ પર કેનેડા સરકારનો જવાબ પણ સામે આવ્યો છે. કેનેડાની સરકારે દેશમાં ભારતીય મિશનની સામે ખાલિસ્તાની સમર્થકોની પ્રસ્તાવિત રેલીને અસ્વીકાર્ય ગણાવી છે. સોમવારે સાંજે ટ્વિટર પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, કેનેડાના વિદેશ બાબતોના પ્રધાન મેલાની જોલીએ કહ્યું કે કેનેડા રાજદ્વારીઓની સલામતી અંગે વિયેના સંમેલન હેઠળ તેની જવાબદારીઓને ખૂબ ગંભીરતાથી લે છે.

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">