AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan War: દૂતાવાસ તાત્કાલિક બંધ કરવાનો ભારતે કર્યો ઇન્કાર, કહ્યું કે- સ્થિતિ પર રાખી રહ્યા છે નજર

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સ્થિતિ ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સુરક્ષાની સ્થિતિ ચિંતાનો વિષય છે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.

Afghanistan War: દૂતાવાસ તાત્કાલિક બંધ કરવાનો ભારતે કર્યો ઇન્કાર, કહ્યું કે- સ્થિતિ પર રાખી રહ્યા છે નજર
Afghanistan War
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 1:35 PM
Share

Afghanistan War: અફઘાનિસ્તાન પર તાલિબાનની (Taliban) પકડ મજબૂત થઇ રહી છે. તાલિબાનો સતત પ્રાંતીય રાજધાનીઓ પર કબ્જો કરી રહ્યા છે. તાલિબાન દ્વારા કંધાર પર કબજો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ હેરાત પર કબજો મેળવવો તે તાલિબાનીઓ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પુરસ્કાર સમાન કહી શકાય. એક સપ્તાહ સુધી ચાલેલા આ હુમલામાં તાલિબાને અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 11 કબજે કરી છે.

આ વચ્ચે અફઘાનિસ્તાનમાં લગાતાર ખરાબ થઇ રહેલી સુરક્ષા સ્થિતિ વચ્ચે ભારતે ગુરુવારે અફઘાનિસ્તાનમાં તેના દૂતાવાસને તત્કાલ બંધ કરી દેવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતે કહ્યું કે આ વ્યાપક યુદ્ધવિરામ અને રાજનીતિક સમાધાન સાથે કામ કરવું પડશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સ્થિતિ ધીમે-ધીમે મજબૂત થઈ રહી છે. આ સ્થિતિમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સુરક્ષાની સ્થિતિ ચિંતાનો વિષય છે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

અરિંદમ બાગચીએ કાબુલમાં ભારતીય દૂતાવાસને તાત્કાલિક બંધ કરવાની સંભાવનાને નકારી કાઢી હતી. આ સાથે જ એ વાત પર સંમત થયા કે અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું, “અમે પરિસ્થિતિનું ખૂબ કાળજીપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છીએ પરંતુ દૂતાવાસ બંધ કરવાની કોઈ યોજના નથી.” વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત દોહામાં અફઘાનિસ્તાન અંગેની બેઠકમાં ભાગ લઈ રહ્યું છે. અફઘાનિસ્તાનના ઘણા હિસ્સેદારો પણ આ બેઠકમાં ભાગ લેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે અફઘાનિસ્તાનના તમામ પક્ષકારો સાથે સંપર્કમાં છીએ અને આ યુદ્ધગ્રસ્ત દેશમાં જમીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તે જ સમયે, તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ, લોકશાહી અને સમૃદ્ધ ભવિષ્યની આકાંક્ષાઓને સાકાર કરીને તમામ વર્ગોના હિતોનું રક્ષણ કરીને અફઘાનિસ્તાનને ટેકો આપીએ છીએ.

પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, અમે ત્યાં શાંતિ ઈચ્છીએ છીએ જેથી લાંબા ગાળાનો વિકાસ થઈ શકે. બાગચીએ કહ્યું કે તમામ પક્ષોએ અફઘાનની આગેવાની હેઠળની અફઘાનની માલિકીની અને અફઘાન-અંકુશિત સિસ્ટમ બનાવવાની દૃષ્ટિએ કામ કરવું જોઈએ.

બીજી બાજુ, ગુરુવારે, સરકારે અફઘાનિસ્તાનમાં બાકી રહેલા ભારતીયો માટે બીજી સલાહ જાહેર કરી. કાબુલમાં ભારતીય દૂતાવાસે જારી કરેલી આ એડવાઈઝરીમાં તમામ ભારતીયોને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય ભારતીયોને કાબુલમાં ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે ભારતથી અફઘાનિસ્તાન જતા મીડિયા કર્મીઓને પણ ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Technology : વોટ્સએપ લાવ્યુ નવુ ફીચર, યુઝર્સ આઇફોન અને એન્ડ્રોઇડ વચ્ચે ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરી શકશે.

આ પણ વાંચો : Shravan-2021: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">