AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis : તાલિબાન ઇસ્લામિક સ્ટેટ સામે કેવી રીતે લડશે, ભૂતપૂર્વ અફઘાન જાસૂસ ISIS-Kમાં થશે સામેલ, આ પાછળ શું છે કારણ ?

અફઘાનિસ્તાનમાં (Afghanistan) ટાર્ગેટ કરીને થનારી હત્યાઓ અને બોમ્બ ધડાકામાં વધારો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નંગરહાર પ્રાંત ટાર્ગેટ કિલિંગ અને બોમ્બ ધડાકાનો સામનો કરી રહ્યો છે.

Afghanistan Crisis : તાલિબાન ઇસ્લામિક સ્ટેટ સામે કેવી રીતે લડશે, ભૂતપૂર્વ અફઘાન જાસૂસ ISIS-Kમાં થશે સામેલ, આ પાછળ શું છે કારણ ?
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:47 AM
Share

અફઘાનિસ્તાનની (Afghanistan) અગાઉની સરકારના ગુપ્તચર સભ્યો ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા ખોરાસન (ISIS-K)માં જોડાયા હતા. આ લોકો તાલિબાન (Taliban) સામે લડવા માટે ઈસ્લામિક સ્ટેટનો ભાગ બન્યા છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયામાંથી આ માહિતી મળી રહી છે કે અફઘાનિસ્તાનમાં અગાઉની સરકારની ગુપ્તચર સંસ્થાના સભ્યો હવે તાલિબાનથી બચવા અને તેનો વિરોધ કરવા ISIS-Kમાં જોડાઈ રહ્યા છે.

ભૂતપૂર્વ સુરક્ષા કર્મચારીઓ મોટાભાગે અમેરિકા દ્વારા ટ્રેનિંગ આપેલા અફઘાન જાસૂસો છે. જેઓ હવે ઉત્તર અફઘાનિસ્તાનમાં (Northern Afghanistan) કાર્યરત આતંકવાદી જૂથોમાં જોડાઈ રહ્યા છે. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી નોર્ધન રેઝિસ્ટન્સ ગ્રુપ તેનો વિરોધ કરનાર એકમાત્ર જૂથ હતું. તેનું નેતૃત્વ પંજશીર પ્રાંતમાં (Panjshri province અહેમદ મસૂદ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, પંજશીર પણ થોડા અઠવાડિયા પછી તાલિબાનના નિયંત્રણમાં આવી ગયું.

આ કારણે જાસૂસો પણ આઈએસમાં જોડાઈ રહ્યા છે રિપોર્ટ અનુસાર, અફઘાન સરકારના પતન બાદ પૂર્વ અફઘાન જાસૂસો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વધુમાં તેને તાલિબાન દ્વારા બદલો લેવાનો ડર છે અને તેને ઉગ્રવાદી સંગઠન સામે લડવા માટે છોડી દેવામાં આવ્યો છે. આ જ કારણ છે કે તેઓ ISIS-Kમાં જોડાઈ રહ્યા છે.

જેથી તેઓ તેમની આવક વધારી શકે અને તાલિબાન સામે લડી શકે. અફઘાનિસ્તાનમાં ટાર્ગેટેડ કિલિંગ અને બોમ્બ ધડાકા વધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નંગરહાર પ્રાંત ટાર્ગેટ કિલિંગ અને બોમ્બ ધડાકાનો સામનો કરી રહ્યો છે. આમાંના ઘણા હુમલા ISIS દ્વારા કરવામાં આવ્યા છે.

ISએ અફઘાનિસ્તાનમાં મોટો હુમલો કર્યો છે અત્યાર સુધીમાં ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા 65 આતંકવાદીઓએ તાલિબાનના નેતૃત્વ હેઠળના સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં તાલિબાને રાજધાની કાબુલમાં આઈએસના એક બેઝને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. તેના પર અનેક હુમલા કરવાનો આરોપ હતો. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, ISએ કંદહારમાં એક મોટા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો દાવો કર્યો છે.

આ ઉપરાંત, નંગરહાર અને પરવાન પ્રાંતમાં ટાર્ગેટ કિલિંગ તેમજ ઉત્તરી કુન્દુઝ પ્રાંતમાં શિયા સમુદાયની મસ્જિદમાં સામૂહિક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Padma Shri Award : બોલીવુડના આ 3 દિગ્ગ્જને આ દિવસે મળવા જઈ રહ્યો છે પદ્મશ્રી એવોર્ડ, જાણો કોણ છે સામેલ

આ પણ વાંચો : Salman khan : સલમાન ખાનના લગ્ન ના થવાથી પરેશાન છે મિત્ર, કહ્યું કે- તે અંદરથી એકલો છે, કોઈના સાથની જરૂર

Follow Us
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
g clip-path="url(#clip0_868_265)">