તાલિબાન સામે ઈસ્લામિક સ્ટેટના 100 આતંકીઓએ કર્યું આત્મ સમર્પણ, અફઘાનિસ્તાનમાં આવશે શાંતિ ?

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયો ત્યારથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન નાંગરહાર અને કાબુલ સહિત ઘણા વિસ્તારોમાં હુમલા કરી ચુક્યું છે. આ હુમલાઓમાં સેંકડો નાગરિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.

તાલિબાન સામે ઈસ્લામિક સ્ટેટના 100 આતંકીઓએ કર્યું આત્મ સમર્પણ, અફઘાનિસ્તાનમાં આવશે શાંતિ ?
Afghanistan (PC: ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 7:11 PM

અફઘાનિસ્તાન (Afghanistan)ના નાંગરહાર પ્રાંતમાં લગભગ 100 ઈસ્લામિક સ્ટેટ (Islamic State) સાથે જોડાયેલા આતંકવાદીઓએ આત્મ સમર્પણ કર્યું છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ નાંગરહાર જનરલ ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ (GDI) ઓફિસના ડિરેક્ટર મોહમ્મદ બશીરને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ 100 ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ 23 નવેમ્બરની સવારે નંગરહારની રાજધાની જલાલાબાદ શહેરમાં નાંગરહાર જનરલ જીડીઆઈ અધિકારીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

બશીરે જણાવ્યું કે આત્મ સમર્પણ કરનારા આતંકવાદીઓ મોહમ્મદ દારા, છાપરહાર, કોટ અને ખોગિયાની જિલ્લામાં સક્રિય હતા. આ મામલે અધિકારીઓનું કહેવું છે કે આ બળવાખોરોના આત્મ સમર્પણથી નાંગરહાર પ્રાંતમાં શાંતિ અને સ્થિરતા આવશે. આત્મ સમર્પણ કરનાર આતંકવાદીઓએ ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને તેમના શસ્ત્રો નીચે મૂકવા કહ્યું છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાને હજુ સુધી આ શરણાગતિ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban)નો કબજો થયો ત્યારથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન નાંગરહાર અને કાબુલ (Kabul) સહિત ઘણા વિસ્તારોમાં હુમલા કરી ચુક્યું છે. આ હુમલાઓમાં સેંકડો નાગરિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. તાલિબાન સતત કહે છે કે તે ઈસ્લામિક સ્ટેટને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

નાંગરહાર વિસ્તારને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાનનો ગઢ માનવામાં આવે છે. નાંગરહાર પ્રાંતનો ચપરહાર જિલ્લો લાંબા સમયથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાનનો ગઢ રહ્યો છે. ઇસ્લામિક સ્ટેટ 2014 થી આ ક્ષેત્રમાં હાજર છે. છાપરહારના તાલિબાન ગવર્નર આઈનુદ્દીને પણ સ્વીકાર્યું છે કે આ વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કેટલાક આતંકવાદીઓ છે.

આ આતંકીઓના આત્મ સમર્પણથી નાંગરહાર પ્રાંતમાં શાંતિ આવશે તેવું ત્યાના અધિકારીઓનું કહેવું છે. ત્યારે 15 ઓગસ્ટના અફઘાનિસ્તાન પર તાલિબાન શાસન આવ્યા બાદના ઘટનાક્રમ પર જો નજર કરીએ તો ઘણી ઘટનાઓ ઘટી જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘાનીનું દેશ છોડી જવું, અમેરિકાની સેનાનું પરત જવું, બોમ્બ બ્લાસ્ટ થવા તેમજ મહિલાઓ પર અત્યાચાર તથા તાલિબાનો દ્વારા નીત નવા ફરમાન જારી કરવાથી લઈ પંજશીર પર કબજાના દાવા આ તમામ ઘટનાઓથી અફઘાનિસ્તાન હાલ સ્થિતિ અત્યંત દયનીય છે.

આ પણ વાંચો: Covid in Germany: જર્મનીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર!, સ્વાસ્થ્ય મંત્રીએ આપી એવી ચેતવણી કે લોકો ચોંકી ગયા

આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">