AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis : અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાને પહેલી વાર ભારતને લઈને કર્યો મોટો દાવો

ભારત, અફઘાનિસ્તાનને માનવીય સહાય આપવા તૈયાર છે. જોકે, ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Afghanistan Crisis : અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાને પહેલી વાર ભારતને લઈને કર્યો મોટો દાવો
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:04 AM
Share

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (afghanistan) પર કબ્જો કર્યાને 2 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. આ વચ્ચે તાલિબાને પહેલીવાર ભારતને લઇને મોટો દાવો કર્યો છે. રશિયાએ અફઘાનિસ્તાન મુદ્દે મોસ્કો ફોર્મેટની બેઠક બોલાવી હતી. વર્ષ 2017 થી શરૂ થયેલા મોસ્કો ફોર્મેટની શરૂઆત અફઘાનિસ્તાનના મુદ્દાને લઈને કરવામાં આવી હતી. 

આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા, ચીન, ભારત, ઈરાન અને પાકિસ્તાન સહિત 10 દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ રશિયા આ બેઠકનું પ્રથમ વખત આયોજન કરી રહ્યું છે અને તાલિબાનોએ અફઘાનિસ્તાનનો કબજો મેળવ્યા બાદ પ્રથમ વખત એવું બનશે કે ભારતીય પ્રતિનિધિમંડળ અને તાલિબાન અધિકારીઓ સામ-સામે આવ્યા છે.

આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળે મોટો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાનને મદદ પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. તાલિબાનના સત્તાવાર પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પોતાના ટ્વીટમાં સ્પષ્ટતા કરી છે કે ભારત અફઘાનિસ્તાનને બધી મદદ કરવા તૈયાર છે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે મોસ્કોમાં યોજાયેલી બેઠકમાં ભારતીય અધિકારીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના લોકોને માનવીય સહાયની જરૂર છે, અફઘાનિસ્તાન મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત અફઘાનિસ્તાનને માનવીય સહાય આપવા તૈયાર છે. જોકે, ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ બેઠકથી તાલિબાનને મોટી આશા છે. અફઘાનિસ્તાનનું ભંડોળ સ્થગિત થયું ત્યારથી આ દેશ આર્થિક સંકટ અને ભૂખમરાના ભયનો સામનો કરી રહ્યો છે. તાલિબાને સમાવેશી સરકારના વચનો પાળ્યા ન હોવાથી રશિયા તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાની ઉતાવળમાં નથી.

નોંધનીય છે કે આ બેઠક માટે અમેરિકાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ અમેરિકા આ ​​બેઠક પહેલા દોહામાં તાલિબાન પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી ચૂક્યું છે અને હવે આ બેઠકમાં ભાગ લઈ રહ્યું નથી.

રશિયા ઉપરાંત તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પણ તાલિબાન સરકાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તાલિબાન સરકારે જાહેરમાં આપેલા વચનો પૂરા થયા નથી. તો કતાર પણ તાલિબાનને કહી ચૂક્યું છે કે તેઓ ઈસ્લામિક સરકાર ચલાવવા માંગતા હોય તો તેમણે કતાર પાસેથી શીખવું જોઈએ.

આ સિવાય કેટલાક મુસ્લિમ દેશો પણ એક સમાવેશી સરકાર ચલાવવા અને સમાજમાં મહિલાઓની ભૂમિકાના મહત્વને તાલિબાનમાં વિદેશ મંત્રીઓ મોકલીને અફઘાનિસ્તાન પહોંચવાની યોજના બનાવી રહ્યા છે.

પાકિસ્તાન તાલિબાનને ટેકો આપે છે અને અફઘાનિસ્તાનની ખરાબ સ્થિતિ વચ્ચે પણ આ દેશને મદદ પૂરી પાડી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનની પણ તેની મર્યાદા છે કારણ કે પાકિસ્તાન પોતે જ આર્થિક સંકટનો ખરાબ રીતે સામનો કરી રહ્યું છે. ચીને પણ હજુ તાલિબાન પ્રત્યે બહુ ઉત્સાહી વલણ બતાવ્યું નથી. આવી સ્થિતિમાં તાલિબાન સતત શક્ય તેટલી મદદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: ફિલ્મી ઢબે હનીટ્રેપમાં ફસાવ્યો વેપારીને, પહેલા મિત્રતા-મુલાકાત અને પછી જે થયું તે જાણીને હોશ ઉડી જશે

આ પણ વાંચો : Night Curfew: કોરોના કેસમાં ઘટાડો નોંધાતા નાઈટ કરફ્યુને લઈ યોગી સરકારે લીધો મોટો નિર્ણય

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">