California: અમેરિકામાં એક જ પરિવારના 4 ભારતીયનું અપહરણ , 8 મહિનાની બાળકી સહિત તમામના મૃતદેહ બગીચામાંથી મળ્યા

|

Oct 06, 2022 | 11:21 AM

અમેરિકામાં રહેતા ભારતના એક પરિવારના ચાર સભ્યોનું અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી છે. આ ઘટના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં સાઉથ હાઈવે નજીક બની હતી. ત્યાંની પોલીસે પત્રકાર પરિષદ યોજીને પરિવારના 4 સભ્યોના મોતની પુષ્ટિ કરી હતી.

California: અમેરિકામાં એક જ પરિવારના 4 ભારતીયનું અપહરણ , 8 મહિનાની બાળકી સહિત તમામના મૃતદેહ બગીચામાંથી મળ્યા
અમેરિકામાં એક જ પરિવારના 4 સભ્યોનું અપહરણ
Image Credit source: ANI

Follow us on

California : 4 ભારતીય મૂળના જસદીપ સિંહ, 36, તેની પત્ની જસલીન કૌર 27, તેમની 8 મહિનાની પુત્રી આરુહી અને જસદીપના ભાઈ અમનદીપ સિંહ, 39, યુએસના કેલિફોર્નિયાના મર્સિડ શહેરમાં સોમવારે અપહરણ કરવામાં આવ્યું હતુ. ચારેયના મૃતદેહ એક બગીચામાંથી મળી આવ્યા હતા.અમેરિકા (America)માં 4 ભારતીય લોકોનું મોત થયું છે. કેલિફોર્નિયા (California)ના શેરીફે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકમાં એક દંપતી તેમજ તેની 8 વર્ષની બાળકી અને અન્ય એક વ્યકતિ સામેલ છે. આ ચારેય લોકો પંજાબના હોશિયારપુરના શીખ એનઆરઆઈ પરિવારના સભ્ય હતા.આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચારેય લોકોની હત્યા અપહરણ કરનારે આ ચારેય ભારતીય લોકોની હત્યા કરી છે. આ ચારેય લોકોના મૃતદેહ એક બગીચામાંથી મળી આવ્યા છે.

ગઈકાલે એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી હતી

યુએસ પોલીસે અપહરણના સંબંધમાં ગઈકાલે એક શકમંદની ધરપકડ કરી હતી. તે પોતે પણ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચારેય મૃતકો અને તેમના પરિવારજનો મૂળ પંજાબના હોશિયારપુરના હરસી પિંડના રહેવાસી છે.

હોશિયારપુરના પરિવારને ખંડણી માટે કોઈ ફોન આવ્યો નથી

પંજાબના હોશિયારપુરમાં હાજર અપહરણકર્તાઓના પરિવારજનોએ બુધવારે જણાવ્યું હતું કે, અપહરણકર્તાઓએ તેમને ખંડણી માટે કોઈ ફોન કર્યો ન હતો. અપહરણ કરાયેલા પરિવારના સભ્યોના મોબાઈલ મળી આવ્યા છે. તેમની કાર તેમની ઓફિસથી 20-25 કિલોમીટર દૂર સળગેલી હાલતમાં મળી આવી હતી. જસદીપ અને અમનદીપના માતા-પિતા ડૉ. રણધીર સિંહ અને કૃપાલ કૌર અપહરણ વિશે સાંભળીને આઘાતમાં છે. બંને તાજેતરમાં આરોગ્ય અને શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડો રણઘીર 29 સપ્ટેબરના રોજ વિદેશથી ભારત આવ્યા હતા. ત્યારબાદ તે ઉત્તરાખંડમાં તીર્થયાત્રા પર ગયા હતા. જ્યારે તે ઋષિકેશ પહોંચ્યા તો તેમને અમેરિકાથી તેની વહુ જસપ્રીત કૌરનો ફોન આવ્યો જેમણે તેના પતિ અમનદિપ અને પરિવારના અન્ય સભ્યોની અપહરણની ઘટના વિશે જણાવ્યું હતુ. ત્યારબાદ ડો.રણધીર મંગળવારે પોતાના ઘરે પરત ફર્યા હતા

Next Article