AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટૂર ઓપરેટરોને રાહત, એનઆરઆઈ દ્વારા વિદેશ માટે ટૂર પેકેજ લેવા પર ટેક્સ લેવાની જોગવાઈ રદ્દ

નિયમો અનુસાર, વિદેશ માટે ટૂર પેકેજ બુક કરવા પર 5 ટકા ટીસીએસ લેવાની જોગવાઈ છે, જોકે એનઆરઆઈના કિસ્સામાં, ઈન્ડસ્ટ્રી ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી રહી હતી.

ટૂર ઓપરેટરોને રાહત, એનઆરઆઈ દ્વારા વિદેશ માટે ટૂર પેકેજ લેવા પર ટેક્સ લેવાની જોગવાઈ રદ્દ
Big relief to tour operators (Symbolic Image)Image Credit source: interexchange.org
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 5:58 PM
Share

સરકારે આજે ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોને મોટી રાહત આપી છે. સરકારે ટૂર ઓપરેટરોને (domestic tour operators)  ભારતની મુલાકાત લેતા NRI પાસેથી વિદેશી દેશો માટેના ટૂર પેકેજ બુક કરવા પર ટેક્સ વસૂલવામાંથી મુક્તિ આપી છે. નિયમો અનુસાર, ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોએ વિદેશોના ટૂર પેકેજ બુક કરવા પર 5 ટકા TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ  (tax collected at source )  લેવાનો હોય છે. જો કે, NRI પાસેથી આ ટેક્સ વસૂલવામાં ઘણી સમસ્યાઓને કારણે, ઈન્ડસ્ટ્રી ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી રહી હતી. ટેક્સ અને સંબંધિત સમસ્યાઓને કારણે ટૂર ઓપરેટરો માટે NRI ગ્રાહકોને ટૂર પેકેજના વેચાણને અસર થઈ રહી છે. ઈન્ડસ્ટ્રીની માંગ પર ટેક્સ મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટેક્સ મુક્તિનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?

પ્રવાસન ક્ષેત્રના મતે સરકારનો આ નિર્ણય સમગ્ર સેક્ટર માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. સેક્ટરના મતે ટેક્સ ડિમાન્ડ દૂર થવાથી ભારતમાંથી વિદેશી પેકેજનું વેચાણ વધી શકે છે. કારણ કે હવે વિદેશથી આવતા લોકોને કોઈપણ વધારાની રકમ વિના અન્ય દેશો માટે ટૂર પેકેજ ઓફર કરી શકાશે. કોવિડને કારણે જે સેક્ટરને સૌથી વધુ ફટકો પડ્યો તે પણ પર્યટન ક્ષેત્ર હતું. લોકોની અવરજવર પર પ્રતિબંધથી ધંધા પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. આ ક્ષેત્ર દેશમાં રોજગારીનો મોટો સ્ત્રોત છે.  તે દેશના ઘણા ભાગોમાં આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

આવી સ્થિતિમાં સરકાર પણ આ સેક્ટરને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ અને ટૂર પેકેજો પર ટેક્સેશનનો નિર્ણય લેવામાં આવ્યા બાદ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ક્ષેત્રને ઝડપી રીકવરીમાં મદદ મળશે.

આ પણ વાંચો :  ફડચામાં ગયેલી PMC બેંકના થાપણદારોને પૈસા પાછા મળ્યા, 8.5 લાખ ખાતાધારકોને 3800 કરોડ રૂપિયા મળ્યા

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">