તમારા દાંતમાં થઈ રહ્યો છે અસહ્ય દુખાવો? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો

How To Cure Toothache: દાંતનો દુખાવો કેવો હોય તે એ જ વ્યક્તિ સમજી શકે જેણે તે દુખાવો સહન કર્યો હોય. પણ કેટલાક ઘરેલૂ ઉપાયોથી તે દુખાવામાંથી મુક્તિ મળી શકે છે.

તમારા દાંતમાં થઈ રહ્યો છે અસહ્ય દુખાવો? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
How To Cure ToothacheImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 7:16 PM

Home Remedies For Toothache: દાંતએ આપણી સ્માઈલને વધારે સુંદર બનાવે છે. તમે કલ્પના કરો કે તમે બોખા હોય તો? તમારા દાંત પીળા કે કાળા હોય તો? તમારા આગળના એક-બે દાંત પડી ગયા હોય તો? તમારી સ્માઈલ કેવી લાગશે. વિચારીને જ ઘભરાઈ ગયાને. એટલે જ દરેક વ્યક્તિએ પોતાના દાંતનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દાંતને રોજ સાફ કરવું જોઈએ, સમયે સમયે પોતા દાંતની સફાઈ કરાવવા માટે ડેન્ટિસ પાસે જવુ જોઈએ. દાંતનો દુખાવો (Toothache) એ સામાન્ય છે. પણ તે દુખાવો લાંબા સમય સુધી રહે તો અસહ્ય પીડા સહન કરવી પડે. તેના કારણે કોઈપણ કામ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેના માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

દાંતનો દુખાવો દૂર કરવામાં ઘરેલૂ ઉપાય

1. આઇસ થેરપી – દાંતના દુઃખાવાને દૂર કરવા માટે તમે બરફના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે ફ્રિજમાંથી બરફ કાઢીને રૂમાલ કે કોઈપણ કપડા કે બરફની થેલીમાં નાખીને ગાલ પાસે રાખો. થોડા જ સમયમાં દાંતના પેઢાનો સોજો ઓછો થવા લાગશે અને તમે ઘણી રાહત અનુભવશો. તેનાથી દાંતનો દુખાવો ઓછો થશે.

2. જામફળના પાન – તમે જામફળના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ તેના પાંદડા પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દાંતના દુખાવાના કિસ્સામાં જામફળના પાન ચાવવાનું શરૂ કરો, ધીમે ધીમે તમને રાહત થવા લાગશે. આ સિવાય જામફળના પાનને ઉકાળીને ગાળી લો અને પછી પાણીનો માઉથવોશ તરીકે ઉપયોગ કરો.

આ પણ વાંચો

3. લવિંગ – લવિંગનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ તમે તેનાથી દાંતના દુઃખાવાને પણ મટાડી શકે છે. તેના માટે લવિંગના તેલને રૂની મદદથી દાંત પર લગાવો અને તેને દુખતા દાંત પર લગાવો. આ સિવાય લવિંગ ચાવવાથી પણ રાહત મળશે.

4. લસણ – લસણમાં એવા ઘણા એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જેના કારણે દાંતનો દુખાવો દૂર થઈ જાય છે. લસણને થોડી છીણી લો અને તેને દુખાવાની જગ્યા પર રાખો. તેનાથી દાંતમાં રહેલા કીટાણુઓ ખતમ થઈ જશે અને દુખાવામાં રાહત મળશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">