AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાચા કેળા ખાવાથી વજન થશે ઓછું, સ્વાસ્થ્યને થશે આ જોરદાર ફાયદા

Raw Banana Benefits: કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક હોય છે. કાચ્ચા કેળા ખાવાથી પણ આપણા શરીર અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

કાચા કેળા ખાવાથી વજન થશે ઓછું, સ્વાસ્થ્યને થશે આ જોરદાર ફાયદા
Raw bananasImage Credit source: Healthshots
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 11:24 PM
Share

દેશ અને દુનિયામાં મળતા દરેક શાકભાજી અને ફળ આપણા શરીર અને સ્વાસ્થ્યને કોઈકને કોઈક રીતે લાભ કરે છે. કેળાને (Banana) પણ સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે. આ કેળા શરીરની રોગ પ્રતિકારક શકિત વધાર છે, હાડકા મજબૂત કરે છે અને કસરત કર્યા પછી ખાવાથી વધારે લાભ કરે છે. કાચા કેળાનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાચા કેળામાં ઘણા પોષક ગુણો જોવા મળે છે, જે આપણા શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કાચા કેળાનું (Raw Banana Benefits) સેવન ખૂબ જ ફાયદાકારક છે. કાચા કેળામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પેટ માટે પણ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે કાચા કેળા ખાવાથી સ્વાસ્થ્યને ક્યા ક્યા ફાયદા થાય છે. ચાલો જાણીએ.

કાચા કેળાના સેવનના ફાયદા

હાડકાં મજબૂત થાય છે- કાચા કેળા હાડકાંને મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કાચા કેળામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક- કાચા કેળાનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાચા કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો

હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક- કાચા કેળાનું સેવન હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કાચા કેળામાં પોટેશિયમની ખૂબ સારી માત્રા હોય છે. જે બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલા માટે તમે તમારા આહારમાં કાચા કેળાનો સમાવેશ કરી શકો છો.

પાચન સુધારવા માટે મદદરુપ- પાચનક્રિયા સુધારવા માટે કાચા કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાચા કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">