શિયાળા (Winter)ની ઋતુમાં દરેકનો ખાવા-પીવાનો શોખ વધી જાય છે. તેના કારણે જે લોકો ફિટનેસ (Fitness)નું ખાસ ધ્યાન રાખે છે તેમનો પણ શિયાળાની ઋતુમાં ખાવા-પીવાનો કાર્યક્રમ ઘણો બગડે છે, જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આ જ કારણ છે કે શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યની સાથે સાથે આપણી ત્વચા પર સૌથી વધુ અસર થાય છે.
શિયાળાની ઋતુમાં આપણી ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આ ખુશનુમા વાતાવરણમાં તાપમાન ઘટવાથી હવામાં ભેજ ઘટે છે અને આપણી ત્વચા નિર્જીવ જેવી થતી જાય છે. જો ઠંડીની ઋતુમાં ત્વચાને સારી રાખવી હોય તો સ્વસ્થ રહેવા માટે પોતાને હાઈડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. શરીરને હાઈડ્રેટ રાખવા માટે ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
આ માટે તમે તમારા આહારમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો, જે તમારી ત્વચા અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખી શકે છે. જો તમે શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવા માગો છો તો તમે તમારા આહારમાં કેટલાક પીણાંનો સમાવેશ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે તમે શિયાળાની ઋતુમાં કયું પીણું પીઓ છો. આજે અમે તમને કેટલાક એવા પીણાના સેવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.
શિયાળાની ઋતુમાં આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આમળા એક એવું સુપરફૂડ છે જે શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં ખાઈ શકાય છે. જો તમે શિયાળાની ઋતુમાં આમળાનો જ્યુસ પીવો છો તો તેના પોષક તત્વોને કારણે ત્વચા સ્વસ્થ રહે છે. આમળાના રસમાં મળતા પોષક તત્વો ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
શિયાળામાં હળદરનું દૂધ પણ આરોગ્ય માટે ગુણકારી છે. હળદર બળતરા વિરોધી અને એન્ટિ-માઈક્રોબાયલ જેવા ગુણોથી ભરપૂર છે, જે આ ખાસ સિઝનમાં ત્વચાને ઘણા ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં હવે ડાયટમાં હળદરવાળું દૂધ ચોક્કસપણે સામેલ કરો.
ગ્રીન ટી હંમેશા ફિટ રહેવા માટે શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે તો સારું માનવામાં આવે છે, પરંતુ તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
આ પણ વાંચોઃ Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ પાળવા જેવા ચાર Golden Rule
Published On - 8:02 pm, Thu, 30 December 21