AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eat Fruits : જાણો શા માટે સૂર્યાસ્ત બાદ ફળોનું સેવન ન કરવું જોઈએ ?

લગભગ દરેકને ફળો ખાવા ગમે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કયા સમયે ફળનું સેવન કરવું જોઈએ અને કયા સમયે ન કરવું જોઈએ.

Eat Fruits : જાણો શા માટે સૂર્યાસ્ત બાદ ફળોનું સેવન ન કરવું જોઈએ ?
Fruits
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 12:50 PM
Share

ફળો વિટામિન્સ અને ખનિજોના સૌથી મોટા સ્ત્રોતોમાંના એક છે. દિવસમાં બે વાર તાજા ફળો ખાવાથી તમે સ્વસ્થ (Healthy) અને ફિટ રહી શકો છો. તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારા અવયવોને તેમનું કામ સારી રીતે કરવામાં મદદ કરી શકે છે અને લાંબી બિમારીનું જોખમ ઘટાડી શકે છે. પરંતુ તેના મહત્તમ લાભ માટે ખાવાનો આદર્શ સમય છે, તેથી ફળો પણ તેના નિયત સમયે લેવા જોઈએ. આયુર્વેદ મૂજબ તમારે સૂર્યાસ્ત (Sunset) પહેલા ફળો ખાવા જોઈએ.

1. સૂર્યાસ્ત પહેલા ફળોનું સેવન શા માટે કરવું જોઈએ?

આયુર્વેદ ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસન (Indian system of medicine) અનુસાર, સાંજે ફળ ખાવાથી ઉંઘનો સમય ખરાબ થઈ શકે છે અને પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે. જેમ આપણે જાણીએ છીએ, મોટાભાગના ફળોમાં કાર્બોહાઈડ્રેટ (Carbohydrates) હોય છે, તેઓ ત્વરિત ઉર્જાનો એક મહાન સ્રોત છે, સાથે સાથે બ્લડ સુગર લેવલ પણ વધારે છે.

તેને સુવાનો સમય નજીક ખાવાથી બ્લડ સુગર (Blood sugar) લેવલ વધવાને કારણે તમારી ઉંઘમાં ખલેલ પડી શકે છે. ઉપરાંત, સૂર્યાસ્ત પછી આપણું ચયાપચય ધીમું થઈ જાય છે અને કાર્બોહાઈડ્રેટને પચાવવું મુશ્કેલ બની જાય છે. તેથી, તેનું સેવન મર્યાદિત કરવું વધુ સારું છે.

2. ફળો ખાવાનો યોગ્ય સમય

ફળો (Fruits) ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જ્યારે આપણે રાત્રે લગભગ 10 કલાક ઉપવાસ કર્યા પછી જાગીએ છીએ, ત્યારે આપણું પેટ સંપૂર્ણપણે ખાલી હોય છે. સવારે તંદુરસ્ત ભોજન ખાવાથી પોષક તત્વોને વધુ અસરકારક રીતે શોષવામાં અને ચયાપચયની શરૂઆત કરવામાં મદદ મળશે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફળોને પણ ખોરાક સાથે સામેલ કરવા જોઈએ અથવા ભોજન પછી તરત જ લેવા જોઈએ. સવારે અને વર્કઆઉટ પહેલા અને પછી સરળ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું શ્રેષ્ઠ છે. સૂર્યાસ્ત પછી ચરબી, પ્રોટીન અને ઓછા જટિલ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું શ્રેષ્ઠ છે.

3. ફળો એકલા ખાવા જોઈએ

ફળો (Fruits) હંમેશા એકલા લેવા જોઈએ. ડેરી પ્રોડક્ટ અથવા શાકભાજી સાથે ફળોનું સેવન શરીરમાં ઝેરની રચના તરફ દોરી શકે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Tokyo Paralympics 2020: નોઇડાના ડીએમ સુહાસ યથિરાજે બેડમિન્ટનની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">