AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો

ચોમાસામાં ફૂડ પોઇઝનિંગની સમસ્યા સામાન્ય છે. થોડી બેદરકારી આ સ્થિતિને ગંભીર બનાવી શકે છે. તેથી જો અહીં જણાવેલ લક્ષણો તમને જણાય તો તરત જ આ ઘરેલું ઉપાય અજમાવો, જેથી સમસ્યાને ગંભીર બનતા અટકાવી શકાય.

ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો
Sign and home remedies of food poisoning and stomach illness
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 12:26 PM
Share

ચોમાસાની ઋતુ તેની સાથે અનેક રોગો લઈને આવે છે. થોડી બેદરકારી ફૂડ પોઇઝનિંગ તરફ દોરી શકે છે. હકીકતમાં ચોમાસામાં રોગચાળો વધુ જોવા મળે છે અને આવી સ્થિતિમાં યોગ્ય આહાર લેવાથી શરીર તેને પચાવી નથી શકતું. આપણું શરીર વધુ તેલયુક્ત અને મસાલેદાર ચીજો યોગ્ય રીતે પચાવવામાં સક્ષમ નથી.

આ સિવાય ઘણી વખત બહારનું ખાવાનું પણ આ સમસ્યાનું કારણ બને છે કારણ કે બહારનું ફૂડ માત્ર ભારે જ નહીં, પણ તે આરોગ્યપ્રદ પણ નથી હોતું. આવી સ્થિતિમાં લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે, જેને આપણે ફૂડ પોઇઝનિંગ તરીકે ઓળખીએ છીએ. આ રોગ ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી તેમની અવગણના ન કરીને તરત જ આ ઘરેલું ઉપાયો અજમાવવા જોઈએ.

શું છે લક્ષણો

ઉલટી, પેટમાં દુખાવો, લૂઝ મોશન, ઉબકા, વધુ નબળાઇ, માથાનો દુખાવો, ચક્કર અને વધુ પડતી તરસ વગેરે તેના લક્ષણો છે. આ લક્ષણો જોતાંની સાથે જ સાવધ રહો અને અહીં જણાવેલ ઉપાયો અજમાવો.

અપનાવો આ ઉપાય

1. શરીરમાં પાણીનો અભાવ જરા પણ ન થવા દો. પુષ્કળ પાણી પીવો, નાળિયેર પાણી અને પ્રવાહી આહાર લો.

2. પેટને આરામ આપો અને ખીચડી જેવા હળવા આહાર લો.

3. તુલસીના પાંદડા ઉકાળો. તેનું પાણી મધમાં ભેળવો અને પીવો.

4. ફૂડ પોઇઝનિંગ દરમિયાન કેળા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં હાજર પોટેશિયમ શરીરને ઝડપથી રીકવર કરે છે.

5. જો લૂઝ મોશન થઈ જાય છે, તો તમે ખાંડ-મીઠું અને લીંબુનું પીણું બનાવીને શકો છો. જેને ઇલેક્ટ્રોલનું પાણી કહેવામાં આવે છે.

6. લીંબુનો રસ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદગાર છે. તેના રસમાં બ્લેક સોલ્ટ ઉમેરીને તેનું સેવન કરો.

7. ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો, ત્યારબાદ તે પાણીને ગાળીને પીવો. આનાથી ઘણી રાહત મળે છે.

8. જો સમસ્યા વધે છે, તો તરત જ નિષ્ણાતનો સંપર્ક કરો, નહીં તો આ સમસ્યા ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે.

આ વસ્તુઓ ધ્યાનમાં રાખો

1. રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાની કાળજી લો. શાકભાજીને સારી રીતે ધોઈ લો અને તેનો ઉપયોગ કરો.

2. ઘણા દિવસો સુધી ફ્રીજમાં ખોરાક ન રાખશો. એક દિવસમાં જ ખોરાકનો વપરાસ કરો.

3. કાચા માંસને ફ્રિજમાં રાખતી વખતે તેને રાંધેલા ખોરાકથી દૂર રાખો નહીં તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે.

4. સુકા મસાલા, ચણાનો લોટ, અન્ય લોટ વગેરે હવાના ચુસ્ત કન્ટેનરમાં રાખો.

આ પણ વાંચો: Health Tips: કયુ દૂધ છે આરોગ્ય માટે વધુ ફાયદાકારક? ગરમ દૂધ કે ઠંડુ દૂધ ?

આ પણ વાંચો: Health Tips: પુરુષોનું સ્વાસ્થ્ય: 40 વર્ષના થયા પછી પુરુષોએ સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવા જેવી બાબતો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
g clip-path="url(#clip0_868_265)">