ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો

ચોમાસામાં ફૂડ પોઇઝનિંગની સમસ્યા સામાન્ય છે. થોડી બેદરકારી આ સ્થિતિને ગંભીર બનાવી શકે છે. તેથી જો અહીં જણાવેલ લક્ષણો તમને જણાય તો તરત જ આ ઘરેલું ઉપાય અજમાવો, જેથી સમસ્યાને ગંભીર બનતા અટકાવી શકાય.

ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો
Sign and home remedies of food poisoning and stomach illness
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 12:26 PM

ચોમાસાની ઋતુ તેની સાથે અનેક રોગો લઈને આવે છે. થોડી બેદરકારી ફૂડ પોઇઝનિંગ તરફ દોરી શકે છે. હકીકતમાં ચોમાસામાં રોગચાળો વધુ જોવા મળે છે અને આવી સ્થિતિમાં યોગ્ય આહાર લેવાથી શરીર તેને પચાવી નથી શકતું. આપણું શરીર વધુ તેલયુક્ત અને મસાલેદાર ચીજો યોગ્ય રીતે પચાવવામાં સક્ષમ નથી.

આ સિવાય ઘણી વખત બહારનું ખાવાનું પણ આ સમસ્યાનું કારણ બને છે કારણ કે બહારનું ફૂડ માત્ર ભારે જ નહીં, પણ તે આરોગ્યપ્રદ પણ નથી હોતું. આવી સ્થિતિમાં લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે, જેને આપણે ફૂડ પોઇઝનિંગ તરીકે ઓળખીએ છીએ. આ રોગ ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી તેમની અવગણના ન કરીને તરત જ આ ઘરેલું ઉપાયો અજમાવવા જોઈએ.

શું છે લક્ષણો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ઉલટી, પેટમાં દુખાવો, લૂઝ મોશન, ઉબકા, વધુ નબળાઇ, માથાનો દુખાવો, ચક્કર અને વધુ પડતી તરસ વગેરે તેના લક્ષણો છે. આ લક્ષણો જોતાંની સાથે જ સાવધ રહો અને અહીં જણાવેલ ઉપાયો અજમાવો.

અપનાવો આ ઉપાય

1. શરીરમાં પાણીનો અભાવ જરા પણ ન થવા દો. પુષ્કળ પાણી પીવો, નાળિયેર પાણી અને પ્રવાહી આહાર લો.

2. પેટને આરામ આપો અને ખીચડી જેવા હળવા આહાર લો.

3. તુલસીના પાંદડા ઉકાળો. તેનું પાણી મધમાં ભેળવો અને પીવો.

4. ફૂડ પોઇઝનિંગ દરમિયાન કેળા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં હાજર પોટેશિયમ શરીરને ઝડપથી રીકવર કરે છે.

5. જો લૂઝ મોશન થઈ જાય છે, તો તમે ખાંડ-મીઠું અને લીંબુનું પીણું બનાવીને શકો છો. જેને ઇલેક્ટ્રોલનું પાણી કહેવામાં આવે છે.

6. લીંબુનો રસ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદગાર છે. તેના રસમાં બ્લેક સોલ્ટ ઉમેરીને તેનું સેવન કરો.

7. ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો, ત્યારબાદ તે પાણીને ગાળીને પીવો. આનાથી ઘણી રાહત મળે છે.

8. જો સમસ્યા વધે છે, તો તરત જ નિષ્ણાતનો સંપર્ક કરો, નહીં તો આ સમસ્યા ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે.

આ વસ્તુઓ ધ્યાનમાં રાખો

1. રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાની કાળજી લો. શાકભાજીને સારી રીતે ધોઈ લો અને તેનો ઉપયોગ કરો.

2. ઘણા દિવસો સુધી ફ્રીજમાં ખોરાક ન રાખશો. એક દિવસમાં જ ખોરાકનો વપરાસ કરો.

3. કાચા માંસને ફ્રિજમાં રાખતી વખતે તેને રાંધેલા ખોરાકથી દૂર રાખો નહીં તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે.

4. સુકા મસાલા, ચણાનો લોટ, અન્ય લોટ વગેરે હવાના ચુસ્ત કન્ટેનરમાં રાખો.

આ પણ વાંચો: Health Tips: કયુ દૂધ છે આરોગ્ય માટે વધુ ફાયદાકારક? ગરમ દૂધ કે ઠંડુ દૂધ ?

આ પણ વાંચો: Health Tips: પુરુષોનું સ્વાસ્થ્ય: 40 વર્ષના થયા પછી પુરુષોએ સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવા જેવી બાબતો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">