Health Tips : ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો

ચોમાસાની ઋતુ જેટલી ગરમીમાંથી સુખદ રાહત લાવે છે, તેટલી જ ભયાનક બીમારીઓ પણ લાવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ધાતક બની શકે છે.

Health Tips : ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો
ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:00 AM

Health Tips : ચોમાસાની ઋતુ (Monsoon season)માં અનેક બીમારીઓનો પણ સામનો કરવો પડે છે જે તમારા સ્વાસ્થ્ય (Health) માટે જોખમી બની શકે છે. તેથી, જ્યારે વાયુ પ્રદૂષણનું સ્તર ઉચું હોય છે, વરસાદ પડી રહ્યો છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટે ત્યારે તમારા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરોને કેવી રીતે અટકાવવી તે જાણવું જરૂરી છે.

તેથી ઉધરસ (Cough)અને છીંક (Sneeze)જેવા નાના લક્ષણોથી દૂર રહેવા માટે તમારી જાતને તૈયાર કરવા માટે કે જે ચોમાસા દરમિયાન કોવિડ -19 (Covid-19) નું ઘાતક સ્વરૂપ લઈ શકે છે, આ ઘરેલું ઉપાયો અજમાવો. આ ટિપ્સ અનુસરવા માટે સરળ છે અને તમારા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે.

તમે જે પણ બનાવી રહ્યા છો તેમાં આદુના ટુકડા નાખો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આદુ (Ginger)માં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણધર્મો હોય છે જે ઉબકા અને અને દુખાવામાં રાહત આપે છે. તે નાક (Nose)સાફ કરવામાં અને ઉધરસ મટાડવા માટે મદદ કરે છે.

હૂંફાળું પાણી પીવું

એક ચમચી આદુ, જીરું, વરિયાળી અને કોથમીરનું પાણી ઉકાળીને ઓફિસ (Office) અને શાળાએ લઈ જઈ દિવસભર પીવું જોઈએ.

તુલસીના પાન ખાઓ

તુલસી એક પ્રાચીન આયુર્વેદિક ઓષધિ છે જે રોગોને દૂર કરે છે. આ છોડના પાંદડાઓમાં જાદુઈ ઉપચાર ગુણધર્મો છે. તેથી દરરોજ ત્રણથી ચાર તુલસી (Tulsi)ના પાનને ખાવા જોઈએ, અથવા મધ સાથે પેસ્ટ બનાવી અને ઉધરસ અને છીંકથી રાહત માટે તેનું સેવન કરી શકાય છે.

હળદર મદદ કરે છે

હળદર આપણા રોજિંદા વપરાશમાં જોવા મળતા સૌથી વધુ ઉપયોગ થનારા મસાલાઓમાંનો એક છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે તેથી તમે મધ સાથે અડધી ચમચી હળદર(Turmeric) મિક્સ કરી અને દિવસમાં બે વખત તેનું સેવન કરી શકો છો.

લીમડાના પાનનું સેવન કરો

ઉધરસ અને છીંક જેવી સમસ્યાઓ માટે લીમડો ફરી એક શ્રેષ્ઠ ઓષધિ છે. દરરોજ સવારે ખાલી પેટ 5-6 લીમડાના પાન ચાવો. લીમડો (Neem)હાનિકારક પ્રદૂષકોને શોષવામાં ખૂબ જ સારો છે. આ પદ્ધતિઓ અપનાવીને તમે આ સિઝનમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓને સરળતાથી અલવિદા કહી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Lifestyle Habits : જાણો જીવનશૈલીની 5 આદતો, જે ધૂમ્રપાન જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">