Weight loss: વજન ઘટાડવાના ચક્કરમાં મોટા ભાગના લોકો કરે છે આ મોટી ભૂલ, વજન ઘટવાની જગ્યાએ લાગે છે વધવા

|

Jun 26, 2024 | 10:19 PM

સ્વસ્થ અને ફિટ રહેવા માટે, સ્વસ્થ જીવનશૈલી હોવી પણ જરૂરી છે. આ માટે એ મહત્વનું છે કે તમે એક નિશ્ચિત રૂટિનનું પાલન કરો. પરંતુ કેટલાક લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે ઘણી વાર ઉતાવળમાં કામ કરે છે અથવા કોઈ એવી ભૂલ કરે છે જેના કારણે તેઓને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે.

Weight loss: વજન ઘટાડવાના ચક્કરમાં મોટા ભાગના લોકો કરે છે આ મોટી ભૂલ, વજન ઘટવાની જગ્યાએ લાગે છે વધવા
Image Credit source: Social Media

Follow us on

વધતું વજન તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. વજન ઘટાડવા માટે, આપણે ઘણી પદ્ધતિઓ અપનાવીએ છીએ જેમાં આપણો આહાર બદલવો, કસરત કરવી, સક્રિય રહેવું, દિવસની સારી શરૂઆત કરવી. સ્વસ્થ અને ફિટ રહેવા માટે, સ્વસ્થ જીવનશૈલી હોવી પણ જરૂરી છે. આ માટે એ મહત્વનું છે કે તમે એક નિશ્ચિત રૂટિનનું પાલન કરો.

પરંતુ કેટલાક લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે ઘણી વાર ઉતાવળમાં કામ કરે છે અથવા કોઈ એવી ભૂલ કરે છે જેના કારણે તેઓને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. ઘણા કિસ્સામાં ખોટી સલાહ કે દિનચર્યાના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. વજન ઘટાડતી વખતે આપણે હંમેશા કેટલીક ભૂલો ટાળવી જોઈએ, ચાલો આપણે તેના વિશે જાણીએ.

વજન વધારાને કારણે ઘણા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે, જ્યારે તે ઘણી ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. તેથી, વજન વધારામાંથી છુટકારો મેળવવા માટે, લોકો ઘણા પ્રકારની કસરતો અને આહારને તેમની જીવનશૈલીનો ભાગ બનાવે છે. પરંતુ તમારે વજન ઘટાડવા દરમિયાન કેટલીક ભૂલોથી હંમેશા દૂર રહેવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર

અચાનક ખાવાનું બંધ ન કરો

સ્લિમ અને ટ્રિમ દેખાવા માટે મોટાભાગના લોકો અચાનક નાસ્તો અથવા રાત્રિભોજન કરવાનું બંધ કરી દે છે. આ રીતે તેઓ તેમની કેલરીની માત્રા ઘટાડવાનો પ્રયાસ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ વજન ઘટાડવા સંબંધિત સૌથી મોટી માન્યતા એ છે કે નાસ્તો અથવા રાત્રિભોજન છોડવાથી તમે પાતળા થઈ શકો છો. તેના બદલે, આ તમને વધુ જાડા બનાવે છે. બે ભોજન છોડીને, તમે એક જ વારમાં પેટ ભરીને ખાઈ લો છો, કેટલાક લોકો અતિશય આહાર પણ લઈ લે છે જેના કારણે તેઓ વજન વધારાનો શિકાર બને છે.

પૂરતી ઊંઘ ન મળવી

આજકાલ મોટાભાગના લોકોને મોડી રાત સુધી જાગતા રહેવાની અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. આ કારણે તેમની ઉંઘ ન આવવાના કારણે તેઓ વધુ બીમાર થવા લાગે છે, આ સાથે જ મોડી રાત સુધી જાગતા રહેવાથી તેમને ભૂખ પણ વધુ લાગે છે અને જંક ફૂડ ખાવાની ફરજ પડે છે. જો તમે વજન ઘટાડવાની પ્રયત્નો કરી રહ્યા છો, તો રાત્રે સમયસર સૂવાનો પ્રયાસ કરો અને સવારે વહેલા ઉઠો.

લો ડાયટ ફૂડ

વજન ઓછું કરવા માટે ઘણા લોકો બજારમાં મળતા લો ડાયટ ફૂડ ખાવા લાગે છે. તમારું વજન ઘટાડવાને બદલે, તેઓ શરીરમાં કેલરીની માત્રામાં વધારો કરે છે. આ સાથે શરીરમાં શુગરનું પ્રમાણ પણ વધે છે. તેથી, જો તમે વજન ઘટાડવા પર છો, તો શક્ય તેટલું ઘરનું રાંધેલું ખોરાક જ ખાઓ.

આ પણ વાંચો: Health Tips: રોજ સવારે ખાલી પેટ ચાને બદલે પીવો તુલસી-આદુનું પાણી, ફાયદા જોઈ આશ્ચર્યચકિત થઈ જશો

Next Article