AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે ‘તીતા ફૂલ’, જાણો તેના ફાયદા વિશે

તીતા ફૂલમાં અનેક શક્તિશાળી ઔષધિય ગુણો હોય છે, જે અનેક ગંભીર બીમારીઓ અને વાતાવરણથી થતા સંક્રમણમાં સારવાર માટે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. આ લાલ રંગના ફૂલમાં ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયા જેવા વિકારોને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.

Health: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે 'તીતા ફૂલ', જાણો તેના ફાયદા વિશે
Teeta Flower
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 3:08 PM
Share

આપણી આસપાસ રહેલી અનેક જાતની વનસ્પતિ માનવજાત માટે જાણે આશીર્વાદ સમાન છે. આ વનસ્પતિઓ સુંદર ફુલો અને ફળો આપે છે. સાથે જ ઔષધિ (Herbs) તરીકે પણ ઉપયોગમાં આવતી હોય છે. અનેક પ્રકારની વનસ્પતિઓનો ઉપયોગ વિવિધ દવાઓ, ખોરાક વગેરેમાં થાય છે. આયુર્વેદ અનુસાર આવા ઘણા વૃક્ષો અને છોડ છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ આપી શકે છે, બસ તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર એવું જ એક ફૂલ છે ‘તીતા ફૂલ’ જેનો ઉપયોગ માત્ર શણગારમાં (Decorate) જ નહીં, ખાવામાં પણ થાય છે. આ‘તીતા ફૂલ’ (Teeta Flower)ના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.

આ ફૂલને રોગાબનહેકા, કોલા બહક, ધાપત ટીટા (આસામી), જંગલી નૉનમંગખા (મણિપુરી), તેવ-ફોટો-આરા (ખાસી), ખામ-છિટ (આસામી), જંગલી નોનમંગખા (મણિપુરી), તેવ-ફોટો-આરા (ખાસી), ખામ-ચિટ (ગારો) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ રોગોમાં ફાયદાકારક

તીતા ફૂલમાં અનેક શક્તિશાળી ઔષધિય ગુણો હોય છે, જે અનેક ગંભીર બીમારીઓ અને વાતાવરણથી થતા સંક્રમણમાં સારવાર માટે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. આ લાલ રંગના ફૂલમાં ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયા જેવા વિકારોને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.

​શું છે તીતા ફૂલ?

તીતા ફૂલનો મતલબ અંગ્રેજીમાં કડવું ફૂલ એવો થાય છે. આ ફૂલ અસમિયા પાક સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન રાખે છે. આ ખાનાર ફૂલ પારંપરિક રીતે શક્તિશાળી ઔષધિય ગુણોના કારણે ભોજનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેથી અનેક બીમારીઓ અને સંક્રમણોને ઠીક કરવા માટે એન્ટીબાયોટિક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

​કેવી રીતે કરવામાં આવે છે તીતા ફૂલનો ઉપયોગ?

તીતા ફૂલને મોટાભાગના લોકો ભોજનમાં નાખવામાં આવતા મસાલા તરીકે જ ઉપયોગ કરે છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. કુદરતી રીતે તે ક્ષારીય હોય છે. આસામી ભોજન બનાવવા તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પહેલા તેનો વધારે સ્વાદ માણવા માટે બપોરના ભોજનમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

​લોહી વધારવામાં મદદરુપ થાય છે તીતા ફૂલ

આસમના કેટલાક ભાગમાં આ ફૂલનો ઉપયોગ ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયાની સારવાર માટે પણ કરવામાં આવે છે. જ્યારે અરુણાચલના કેટલાક ભાગ જેવા કે મણિપુર અને ત્યાં સુધી કે બાંગ્લાદેશમાં પણ આ ફૂલનું અલગ અલગ રીતે સેવન કરવામાં આવે છે. કેટલાક લોકો તેને કાચું ખાય છે અથવા તો મસાલો બનાવે છે. કેટલાક આ ફૂલને શાકભાજી સાથે નાખી દે છે અને ભાત સાથે ખાય છે અથવા તો દાળમાં નાખીને ખાય છે.

​તીતા ફૂલના અન્ય ફાયદાઓ

તીતા ફૂલનો ઉપયોગ ભોજન ઉપરાંત તેના ઔષધિય ગુણોના કારણે અનેક સારવારમાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલને કાચું અથવા તો ચા તરીકે તેમજ શાકભાજીના રુપમાં ભોજનથી ઉધરસ અને શરદી, બ્રોંકાઈટિસ, અસ્થમા, ચેચક અથવા ચામડીના રોગોમાં પણ ફાયદાકારક હોય છે. તીતા ફૂલના પાનના અર્કનો ઉપયોગ લીવર અને પ્લીહાની સમસ્યાઓના સારવારમાં કરવામાં આવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

આ પણ વાંચો-

અમદાવાદની હવામાં ઝેર! પ્રદૂષણમાં મુંબઈ, દિલ્હીને અમદાવાદે છોડ્યું પાછળ, એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 પર પહોંચ્યો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">