Side Effects of Tea : ચા ના ચાહકો માટે ચેતવણી, ચા ની આ છે 5 મોટી આડઅસરો
ચા પીવાના શોખીન હોય તેવા લોકોની કોઈ અછત નથી અને એકવાર કોઈને ચા પીવાની આદત પડી જાય તો તેને વ્યસન બનતા વાર લાગતી નથી. જો તમે પણ દૂધથી બનેલી ચા પીવાના શોખીન છો, તો તમારે ચાથી થતા નુકસાન સાથે જોડાયેલી કેટલીક બાબતો જાણવી જ જોઇએ.
નિકોટિન અથવા કેફીનનું સેવન કરવાથી પેટમાં એસિડ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ચાના વ્યસની છો, તો તમારા પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા શરૂ થાય છે અને પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે.
ધીમી પાચન પ્રક્રિયાને કારણે, સમગ્ર પાચન તંત્ર ખલેલ પહોંચે છે અને બધી સમસ્યાઓ આપણા આખા શરીરને ખલેલ પહોંચાડે છે. ખાલી પેટ ચા પીવાથી, આ સમસ્યા વધુ વધી જાય છે અને ક્યારેક વ્યક્તિને ઉબકા અને બેચેની જેવો અનુભવ પણ થાય છે.
ચા પીવાથી, તમારા શરીરને કેફીનના કારણે તાત્કાલિક એનર્જી મળે છે. પરંતુ આ એનર્જી જેટલી ઝડપથી શરીરમાં આવે છે, તેટલી ઝડપથી તે દૂર પણ જાય છે. આવી પરીસ્થિતિમાં કામ કરતા લોકો થોડાં – થોડાં સમયે ચા પીવે છે.
આને કારણે, શરીરમાં નિકોટિન અને કેફીનનું પ્રમાણ વધે છે અને આવા કિસ્સામાં રાત્રે ઊંઘને પણ અસર થાય છે. ઊંઘની ઉણપના કારણે શરીરમાં થાક, ગુસ્સો, બળતરા અને તણાવ જેવી સમસ્યાઓ રહે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આજકાલ લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા વધી ગઈ છે, તેનું એક કારણ વધારે ચા પીવાની આદત પણ છે. વધુ પડતી ચા પીવાથી હાડકાં પર નકારાત્મક અસર પડે છે અને તે તમારા શરીરને અંદરથી ખોખલું બનાવે છે. આ કારણે, સાંધાના દુખાવાની સમસ્યા સમય પહેલા શરૂ થાય છે.
મોટાભાગના લોકો સ્ટ્રોન્ગ અને ગરમ ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ ગરમ ચા પીવાથી પેટના અંદરના ભાગમાં નુકસાન થાય છે. જો આ આદત સમયસર ન છોડવામાં આવે તો આ ઈજા પાછળથી અલ્સરનું સ્વરૂપ લઈ લે છે.
ઘણા લોકો ભૂખ લાગે ત્યારે ખાલી પેટ ચા પીવે છે અને ભૂખને દબાવી દે છે. આ રીતે, ખાલી પેટે ચા પીવાથી ક્યારેક હ્રદયના ધબકારા ઝડપી બની જાય છે કારણ કે ચામાં હાજર કેફીન શરીરમાં ખૂબ જ ઝડપથી ઓગળી જાય છે. તેના કારણે બ્લડ પ્રેશર પણ ઝડપથી પ્રભાવિત થાય છે. આ સ્થિતિ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારી નથી. આ કારણે, હૃદયની સમસ્યાઓનું જોખમ વધે છે.
આ પણ વાંચો : આહાર લેતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ, આજે જ સુધારી લો નહીં તો થઇ શકે છે મુશ્કેલી