AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankhnaad: વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જાણો શંખનાદના ફાયદાઓ

શાસ્ત્રોના અનુસાર શંખ વગાડવાથી સુખ-સમૃદ્ધિ જેવા અસંખ્ય લાભ થાય છે તો બીજી તરફથી તેનો અવાજ ઘણી બીમારીઓને દૂર ભગાવે છે.

Shankhnaad: વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જાણો શંખનાદના ફાયદાઓ
File Image
Parul Mahadik
| Edited By: | Updated on: May 21, 2021 | 9:35 PM
Share

Shankhnaad Benefit: કોરોના વાયરસ એક એવી બીમારી છે. જેની સીધી અસર આપણાં ફેફસાં પર થાય છે. તેમાં દર્દીના ફેફસા ડેમેજ થઈ જાય છે. જોકે હાલના દિવસોમાં દરેક વ્યક્તિ પોતાની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરી રહ્યા છે. ઈમ્યુનિટી વધારવા માટે અને ઓક્સિજન સેચ્યુરેશનમાં સુધારો કરવા માટે એક બાજુ લાખો લોકો દેશી નુસખા અજમાવી રહ્યા છે તો કેટલાક લોકો બ્રિધીંગ એક્સરસાઈઝનો સહારો પણ લઈ રહ્યા છે.

મહામારીના આ સંકટના સમયમાં આપણે આપણા ફેફસાનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે કોરોના વાયરસ સૌથી પહેલા ફેફસા પર એટેક કરે છે અને પછી તે ધીરે-ધીરે આપણા શરીરના બાકીના અંગોને પણ નુકસાન પહોંચાડે છે. જોકે અહીં તમને ફેફસાને તંદુરસ્ત રાખવા માટેની એક દેશી રીત બતાવીએ છે, જેને કહેવાય છે શંખનાદ.(Shankhnaad)

હિન્દુ ધર્મમાં દરેક માંગલિક કાર્યો જેમ કે હવન, કથામાં શંખ વગાડવામાં આવે છે. આ પવિત્ર ધ્વનિનું પ્રતિક માનવામાં આવે છે. તેને શુભ પણ માનવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર શંખ વગાડવાથી સુખ-સમૃદ્ધિ જેવા અસંખ્ય લાભ થાય છે તો બીજી તરફથી તેનો અવાજ ઘણી બીમારીઓને દૂર ભગાવે છે. કોરોનાકાળમાં જો તમે ફેફસાની તંદુરસ્તી જાળવવા માંગતા હોવ તો શંખનાદનો પ્રયોગ કરી શકો છો. શંખ વગાડવાથી ઘણા ફાયદા થશે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શંખમાં ઘણા એવા ગુણો હોય છે, જેનાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થઈને પોઝિટિવ એનર્જી આવે છે. તેનો અવાજ સાંભળીને આપણો તણાવ પણ ઓછો થઈ જાય છે. મંદિરોમાં શંખની અવાજ સકારાત્મકતા લાવે છે. આયુર્વેદના અનુસાર શંખનો અવાજ ઔષધીય પ્રયોગ છે. જેનાથી હાર્ટ એટેક,બ્લડ પ્રેશર, અસ્થમાંના નુક્શાનને ઓછા કરી શકાય છે. શંખ વગાડવાથી ફેફસાં મજબૂત થાય છે.

આ ઉપરાંત આયુર્વેદ પણ કહે છે કે શંખ વગાડવાથી શરીરના નીચેના હિસ્સામાં, ડાયાફામ અને ગળાના માંસપેશીઓની એક્સરસાઈઝ પણ થઈ જાય છે. શંખ વગાડવાને લઈને વૈજ્ઞાનિકો માને છે કે તેનો અવાજ વાતાવરણમાં રહેલા ઘણા પ્રકારના જીવાણુ અને કીટાણુઓનો નાશ કરે છે. રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે શંખના અવાજથી આસપાસના ખરાબ બેક્ટેરિયા નાશ થઈ જાય છે.

વિજ્ઞાનના અનુસાર શંખનો અવાજ દૂષિત વાતાવરણને શુદ્ધ કરે છે. જેવી રીતે તમે લાંબી સાથે શ્વાસ લઈને એક્સરસાઈઝ કરો છો તેવી જ રીતે લાંબો શ્વાસ લઈને શંખ વગાડવાનો રહે છે. દરરોજ એકથી બે મિનિટ સુધી કરવાથી હૃદય અને ફેફસાં મજબૂત થાય છે ત્યાં જ શ્વસન ક્રિયા અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

આ પણ વાંચો: Health Tips : કોરોના કાળમાં અસ્થમાના દર્દીઓએ આ રીતે સાચવવી તબિયત

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">