કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી માનસિક બીમારી થવાનું જોખમ, અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોનો અહેવાલ

તાજેતરનો અભ્યાસ કહે છે કે કોવિડ સર્વાઈવર્સની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ સારી નથી. કોવિડમાં બચી ગયેલા લોકોમાં માનસિક સ્વાસ્થ્યની તકલીફો દેખાઈ રહી છે. તે લોકો ચિંતા, હતાશાથી પીડાય છે.

કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી માનસિક બીમારી થવાનું જોખમ, અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોનો અહેવાલ
Risk of mental illness for up to one year after recovery from corona
| Edited By: | Updated on: Mar 04, 2022 | 2:32 PM

જે લોકો કોરોના (Corona) રોગચાળા દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. તેમનામાં માનસિક બીમારી (Mental illness)નું જોખમ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. જે લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે, તેમના માટે બધું હજી સરખુ થયુ નથી. અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટી (Washington University)ના સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે કોરોના પછી વિશ્વના દોઢ કરોડ લોકોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડયો છે. આ અહેવાલ બીએમજે મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો.

બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)માં પ્રસિદ્ધ થયેલા વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયામાં કોરોના પછી સાજા થયેલા દોઢ કરોડ કરતાં વધુ લોકોને માનસિક બીમારીનો સામનો કરવો પડયો હતો અને એકલા અમેરિકામાં જ 28 લાખ લોકો માનસિક બીમારીનો ભોગ બન્યા હતા.

તાજેતરનો અભ્યાસ કહે છે કે કોવિડ સર્વાઈવર્સની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ સારી નથી. કોવિડમાં બચી ગયેલા લોકોમાં માનસિક સ્વાસ્થ્યની તકલીફો દેખાઈ રહી છે. તે લોકો ચિંતા, હતાશાથી પીડાય છે. તેમનામાં જ્ઞાનાત્મક ઘટાડો પ્રમાણમાં ઝડપથી થઈ રહ્યો છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર જોખમોનો સામનો કરી રહ્યું છે.

અહેવાલ પ્રમાણે કોરોનામાંથી સાજા થયા બાદ એક વર્ષ સુધી વિવિધ માનસિક બીમારીનો ખતરો રહે છે. ખાસ તો સ્લીપિંગ ડિસઓર્ડર્સ, એંગ્ઝાઈટી, ડિપ્રેશન વગેરેનો શિકાર બનવાની શક્યતા છે. લોકો કોરોના પછી આવી માનસિક બીમારી બાબતે ખાસ ધ્યાન આપતા નથી અને તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે.

વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ એવી ભલામણ કરી હતી કે જેમને કોરોનાનું સંક્રમણ વધારે થયું હોય તેમણે માનસિક બીમારીથી સાવધાન રહેવું જોઈએ. કોરોના સર્વાઈવર્સે એક વર્ષ સુધી દિમાગમાં કંઈ ફેરફાર જણાય તો તેને ગંભીરતાથી લઈને ઈલાજ કરાવવો હિતાવહ છે.

આ પણ વાંચો- Corona: કોરોના મહામારી સમાપ્ત થઇ નથી, હવે નવા પ્રકારો આવવાનો ભય -નિષ્ણાત

આ પણ વાંચો- Side Effects of Papaya: પાંચ પ્રકારના લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ