AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: શું તમે પણ ખાવ છો કાચી ડુંગળી તો અનેક સમસ્યાથી મળશે રાહત, રાજીવ દીક્ષિતે જણાવ્યા અનેક ફાયદા, જુઓ Video

ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં થાય છે. જો કે ઘણા લોકો ડુંગળીને ટાળે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે.

Rajiv Dixit Health Tips: શું તમે પણ ખાવ છો કાચી ડુંગળી તો અનેક સમસ્યાથી મળશે રાહત, રાજીવ દીક્ષિતે જણાવ્યા અનેક ફાયદા, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:09 AM
Share

ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં થાય છે. જો કે ઘણા લોકો ડુંગળીને ટાળે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળી ઉમેરવાથી કોઈપણ વસ્તુનો સ્વાદ બમણો થઈ જાય છે. આ સિવાય ડુંગળીને સલાડના રૂપમાં પણ ખાવામાં આવે છે. દાળ ભાત હોય કે ચણા, સામાન્ય રીતે લોકો લીંબુ સાથે કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ આવું કરો છો તો કાચી ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: મેથીના દાણા ખાવાના છે અઢળક ફાયદા, રાજીવી દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપચાર

કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

કાચી ડુંગળી તમને માત્ર હીટ સ્ટ્રોકથી જ નહીં, પરંતુ ઘણી બીમારીઓથી પણ બચાવી શકે છે. કાચી ડુંગળી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરથી લઈને કેન્સર અને હાર્ટ જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. આ સિવાય તે પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવામાં પણ મદદ કરે છે. ખરેખર, તેમાં હાજર મેગ્નેશિયમ અને અન્ય ખનિજ ક્ષાર શરીરમાં લોહીના પ્રવાહને જાળવી રાખવામાં મદદ કરે છે, જે એનર્જી લેવલને જાળવી રાખે છે. તમે લંચ માટે સલાડની પ્લેટમાં કાચી ડુંગળીનો સમાવેશ કરી શકો છો. આવો જાણીએ તેના ફાયદા

રોગપ્રતિકારક શક્તિ વધારે

ડુંગળી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન-સી જેવા ઘણા ગુણો જોવા મળે છે, જે શરીરને સ્વસ્થ બનાવવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

કેન્સરથી બચાવે

ડુંગળીમાં કેન્સર વિરોધી ગુણ પણ જોવા મળે છે. આ ન માત્ર શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવે છે પણ તેને ખતમ પણ કરે છે. ઘણા અભ્યાસોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ડુંગળી ખાનારને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું હોય છે.

હાઈ બ્લડ પ્રેશર

જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેણે કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ. હ્રદય સંબંધિત રોગોમાં પણ ડુંગળીનું સેવન ફાયદાકારક છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે.

પાચન

પાચન સંબંધી સમસ્યાઓ માટે ડુંગળીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાચનતંત્રને મજબૂત કરવા અને પેટને સ્વસ્થ રાખવા માટે તમે સલાડના રૂપમાં ડુંગળી ખાઈ શકો છો.

અનેક પ્રકારના ઈન્ફેક્શનથી રાહત

ડુંગળીમાં એન્ટી-એલર્જિક, એન્ટી-ઓક્સીડેન્ટ જેવા અનેક ગુણ જોવા મળે છે, જે શરીરને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.

આયર્નની ઉણપ

ડુંગળીને આયર્ન, ફોલેટ અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. આ જ કારણ છે કે ડુંગળી ખાવાથી શરીરમાં આયર્નની ઉણપને દૂર કરી શકાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">