AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: મેથીના દાણા ખાવાના છે અઢળક ફાયદા, રાજીવી દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપચાર, જુઓ Video

રાજીવ દીક્ષિતના જણાવ્યા મુજબ મેથી દાણાનું સેવન ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારું છે સાથે જ ગાઉટ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને માસિક ધર્મની સમસ્યાઓ જેવી ઘણી શારીરિક સમસ્યાઓને પણ દૂર કરે છે. માટે જે શારીરિક સમસ્યાઓ દૂર કરવાની સાથે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Rajiv Dixit Health Tips: મેથીના દાણા ખાવાના છે અઢળક ફાયદા, રાજીવી દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપચાર, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:10 AM
Share

મેથી દાણાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મેથી દાણામાં આવા કેટલાક ગુણો જોવા મળે છે, જે લોહીમાં હાજર સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી દાણાનું સેવન ફાયદાકારક છે. હાઈ બીપીના દર્દીઓ માટે મેથી દાણાનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: શું તમે પણ રોજ સાબુથી સ્નાન કરો છો તો થાય છે અનેક નુકસાન, રાજીવ દીક્ષિતે જણાવ્યા ગેરફાયદા

વાત-પિત્તને લગતી તમામ બીમારીઓની સમસ્યાને દૂર કરવા માટે પણ મેથી દાણાનું સેવન ફાયદાકારક છે. રાજીવ દીક્ષિતના મતે મેથી દાણાનું સેવન કરવાથી વાત શાંત થાય છે અને કફ અને તાવનો નાશ થાય છે. આ ઉપરાંત મેથી દાણા પિત્તનાશક, ભૂખ વધારનાર, લોહી શુદ્ધ કરનાર, ઉધરસ ઘટાડનાર દવા છે.

મેથી દાણાના ફાયદા

  1. મેથી દાણાનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. રાજીવ દીક્ષિત મુજબ, મેથીમાં કેટલાક ગુણો જોવા મળે છે, જે હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. એટલા માટે મેથી દાણાનું સેવન હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.
  2. મેથી દાણાનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવા માટે ફાયદાકારક છે. રાજીવ દીક્ષિતના જણાવ્યા મુજબ, મેથીમાં કેટલાક એવા ગુણ જોવા મળે છે, જેમાં એન્ટિહાઇપરટેન્સિવ (હાઈ બ્લડ પ્રેશર ઓછું કરનાર) અસર જોવા મળે છે. તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મેથી દાણાનું સેવન ફાયદાકારક છે.
  3. મેથી દાણાનું યોગ્ય માત્રામાં સેવન ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે. રાજીવ દીક્ષિતના જણાવ્યા મુજબ, સગર્ભા સ્ત્રીઓ માટે મેથી દાણાનું સેવન ડિલિવરી દરમિયાન થતી સમસ્યાઓ અને પીડાને ઘટાડવામાં મદદરૂપ છે, આ સિવાય મેથી દાણાનું સેવન ગર્ભવતી મહિલાઓને ડાયાબિટીસથી પણ બચાવે છે.
  4. માસિક ધર્મ દરમિયાન થતી તમામ સમસ્યાઓને ઓછી કરવા માટે પણ મેથી દાણાનું સેવન ફાયદાકારક છે. મેથીમાં બળતરા વિરોધી, એનાલજેસિક, એન્ટિસ્પેસ્મોડિક અને મૂત્રવર્ધક પદાર્થ જેવા ઘણા ગુણો જોવા મળે છે, જે માસિક સ્રાવ દરમિયાન પેટનો દુખાવો અને વધુ પડતા રક્તસ્ત્રાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેથી જ માસિક ધર્મ દરમિયાન મેથીનું પાણી પીવું ફાયદાકારક છે.

મેથી દાણા ઉપયોગમાં લેવાની રીત

  1. મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે આ પાણી પીવાથી મેથી દાણાનું સેવન પણ કરી શકાય છે. ધ્યાનમાં રાખો કે મેથી દાણા ખાધા પછી 1 કલાક સુધી કંઈપણ ન ખાવું જોઈએ.
  2. મેથી દાણાને પાણીમાં મિક્સ કરીને પાવડર બનાવી લઈ શકાય છે.
  3. મેથી દાણાનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે.

રાજીવ દીક્ષિત મુજબ મેથીના દાણાના અન્ય ફાયદા

  1. કૂતરાના કરડવાથી થતા ઘાને મટાડવા માટે મેથી દાણાને પાણીમાં પીસીને ઘાની જગ્યા પર લગાવવાથી ઘા મટાડી શકાય છે.
  2. કાનના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે મેથી દાણાનો ઉપયોગ પણ ફાયદાકારક છે. રાજીવ દીક્ષિતના જણાવ્યા મુજબ સરસવના તેલમાં મેથી દાણાને ગરમ કરો અને ઠંડા થયા બાદ તેને કાનમાં નાખો. આમ કરવાથી કાનનો દુખાવો મટી શકે છે.
  3. ઉંઘ ન આવવાની સમસ્યામાં પણ મેથી દાણાનો ઉપયોગ ફાયદાકારક છે. થોડા મેથી દાણાને અંગૂઠાની બંને બાજુ બરાબર બાંધવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ શકે છે.
  4. રાજીવ દીક્ષિતના મતે શરીરના કોઈપણ ભાગનો દુખાવો મેથી દાણાના ઉપયોગથી ઠીક થઈ શકે છે. શરીરના જે પણ ભાગમાં દુખાવો થતો હોય તો તે જગ્યાએ મેથીના થોડા દાણા પાટો સાથે બાંધી દો. આમ કરવાથી દુખાવો મટી જશે.
  5. ડો.રાજીવ દીક્ષિતના જણાવ્યા મુજબ, જો મેથી દાણાનું નિયમિત 3 મહિના સુધી સેવન કરવામાં આવે તો મેથી દાણા તમામ રોગોને સંપૂર્ણપણે અટકાવવામાં અને મટાડવામાં મદદરૂપ થાય છે.
  6. આ સિવાય રાજીવ દીક્ષિતના જણાવ્યા મુજબ મેથી દાણાના સેવનથી કોઈ આડઅસર થતી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">