Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: વિદેશોમાં ટૂથપેસ્ટ પર લખવામાં આવે છે વોર્નિગ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ટૂથપેસ્ટ ઉપયોગના નુકસાન, જુઓ Video

રાજીવ દીક્ષિત પાસે બે પેશન્ટ આવ્યા હતા, જેઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે, તેમના બચવાની શક્યતા નહિવત હતી, કારણ કે તેમની લાળ ગ્રંથીઓ સંપૂર્ણપણે નાશ પામી છે. લાળ ન હોવાને કોઈ પણ વસ્તું શરીરમાં રહેતી નથી.

Rajiv Dixit Health Tips: વિદેશોમાં ટૂથપેસ્ટ પર લખવામાં આવે છે વોર્નિગ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ટૂથપેસ્ટ ઉપયોગના નુકસાન, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 7:00 AM

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે, આયુર્વેદ અનુસાર જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા પાણી પીવો. એટલે કે દિવસની શરૂઆત પાણીથી કરો. આ વસ્તુ “ઉષાપન” કહેવાય છે. ઉષાપન એટલે સવારે ચાર વાગે ઉઠવું અને સવારે સૌથી પહેલા પાણી પીવું જોઈએ.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: દહીંમાં મીઠું ઉમેરી ક્યારેય ખાવું ન જોઈએ, રાજીવ દીક્ષિતે જણાવ્યું શું ઉમેરી ખાવું જોઈએ ?, જુઓ Video

આના બે કારણો છે. પહેલું કારણ એ છે કે રાત્રે સુઈ ગયા પછી જ્યારે આપણે સવારે જાગીએ છીએ, ત્યારે આપણા મોંમાં લાળનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને જો આપણે પાણી પીશું તો આ લાળ અંદર જશે. એટલા માટે ક્યારેય સવારે ઉઠીને તમારા દાંત સાફ કરશો નહિં અને કોગળા ન કરો. કારણ કે આમ કરવાથી લાળ થૂંકવી પડે છે અને સવારની લાળ ખૂબ આલ્કલાઈન હોય છે અને તે શરીરમાં જઈને ઘણા ફાયદા આપે છે. તે શરીરમાં જશે અને પેટના તમામ રોગોનો અંત લાવશે, તે એસિડ બનવા દેશે નહીં અને તમામ રોગો પેટમાંથી જ શરૂ થાય છે.

શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા
Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 336 દિવસની વેલિડિટીમાં ઘણું બધુ

આંખો માટે ફાયદાકારક

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે જ્યારે તેમણે પોતે સવારે લાળનું પીએચ પરીક્ષણ કર્યું તો તે 8.4 હોવાનું બહાર આવ્યું. જેના કારણે એ સાબિત થાય છે કે સવારે બનેલી લાળમાં અનેક ઔષધીય ગુણો હોય છે. ઘણા લોકોની આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. તેથી રાજીવ દીક્ષિતે તેમને કહ્યું કે, જો આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ ઠીક ન થઈ રહ્યા હોય તો સવારની લાળને ડાઘવાળી જગ્યાએ લગાવો અને હળવો મસાજ કરો, થોડા દિવસોમાં તે ઠીક થઈ જશે.

જો કોઈની આંખો નબળી છે અને તે તેના ચશ્મા કાઢવા માંગે છે, તો તેની આંખોમાં કાજલની જેમ સવારની લાળ લગાવો. તમારા ચશ્મા ઉતરી જશે. જો તમને શરીરમાં ક્યાંક ઈજા થઈ હોય અને તે ઝડપથી ઠીક ન થઈ રહી હોય તો ત્યાં પણ આ લાળ લગાવો. તમને તેની અસર બહુ જલ્દી જોવા મળશે. જો કોઈને પિમ્પલ્સ અથવા બ્લેકહેડ્સ, ખીલ થયા છે અથવા તેનો ચહેરો ખૂબ જ ખરાબ દેખાવા લાગે છે, તો તેણે તેના ચહેરા પર સવારની લાળ લગાવવી જોઈએ. આમ કરવાથી તેમના ડાઘ પણ દૂર થઈ જશે.

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે એકવાર તેમની પાસે એક દર્દી આવ્યો જેનો હાથ દાઝી ગયો હતો. તેનો ઘા મટી ગયો પણ ડાઘ દેખાતો હતો. તે દર્દીએ કોઈપણ રીતે તે ડાઘ દૂર કરવો હતો. કારણ કે તે છોકરી હતી અને તેના લગ્ન થવાના હતા. તેના પરિવારજનોને ચિંતા હતી કે સાસરિયાઓએ જોશે તો શું થશે. તો રાજીવ દીક્ષિતે જણાવ્યું કે, છોકરીને લાળ લગાવવાની સલાહ આપી. તે છોકરી દરરોજ લાળ લગાવવા લાગી અને 6-7 મહિનામાં તેના ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા હતા.

ચાટીને તેના તમામ રોગો મટાડે છે

શું તમે ક્યારેય એવું જોયું છે કે જ્યારે પણ પ્રાણીઓને ઈજા થાય છે, ત્યારે તેઓ તે જગ્યા પર ચાટવા લાગે છે અને તેને ચાટવાથી મટાડી દે છે, પ્રાણીઓની લાળ પણ આલ્કલાઇન હોય છે. ગાય પોતાના બચ્ચાને ચાટીને તેના તમામ રોગો મટાડે છે, માનવી પણ કરી શકે છે, તેને માત્ર થોડા સંવેદનશીલ બનવાની જરૂર છે.

રાજીવ દીક્ષિત પાસે બે પેશન્ટ આવ્યા હતા, જેઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે, તેમના બચવાની શક્યતા નહિવત હતી, કારણ કે તેમની લાળ ગ્રંથીઓ સંપૂર્ણપણે નાશ પામી છે. લાળ ન હોવાને કોઈ પણ વસ્તું શરીરમાં રહેતી નથી, દૂધ કે ચા પણ તેમના શરીરમાંથી બહાર આવી જાય છે, જો તમારી પાસે વધુ પૈસા છે, તો અમેરિકાથી લાળનું પેકેટ આયાત કરો, તે અમેરિકામાં ઉપલબ્ધ છે.

5 મિલિગ્રામના 1 પેકેટની કિંમત ₹ 10,000

અમેરિકામાં એવી કેટલીક કંપનીઓ છે જે લાળનો વ્યવસાય કરે છે, તે માત્ર માનવ લાળ છે, શેમ્પૂના પેકેટની જેમ, તેઓ તેને ભરીને વેચે છે. 5 મિલિગ્રામના 1 પેકેટની કિંમત ₹ 10,000 છે, તેથી બંને દર્દીઓ ઓછામાં ઓછા દરરોજ વપરાશકારો લે છે. 10થી 12 પેકેટો, 60000થી 70000 નો ખર્ચ કરે છે, પરંતુ બીજા દિવસે ફરીથી પરિસ્થિતિ જેમની તેમ બની જાય છે, મોં સંપૂર્ણપણે સુકાઈ જાય છે, બીજાની લાળ બીજા માટે કામ કરતી નથી, પરંતુ તેઓ પોતાના સંતોષ માટે ચોક્કસપણે લાળ મંગાવે છે.

ટૂથપેસ્ટ એવી છે કે તે આલ્કલાઇન ઘટાડે

ભગવાને તમને આ સિસ્ટમ આ કામ માટે આપી છે, તો તેને બગાડો નહીં, આ સિસ્ટમ કેવી રીતે બગડે છે. જ્યારે તમે એવી વસ્તુનો ઉપયોગ કરો છો જે આલ્કલાઇન વિરોધી હોય ત્યારે લાળ ઓછામાં ઓછી બને છે. તમે આપણા જીવનમાં જે પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તે આલ્કલાઇન વિરોધી છે, તે લાળનું ઉત્પાદન ઘટાડે છે, બધી ટૂથપેસ્ટ એવી છે કે તે આલ્કલાઇન ઘટાડે છે, તેથી જ તમને એક વિનંતી છે કે પેસ્ટ કરશો નહીં કારણ કે તમારી લાળનું ઉત્પાદન ઘટશે.

તમે કહેશો કે પેસ્ટમાં એવું શું છે જે લાળને ઓછું કરે છે. પેસ્ટમાં એક કેમિકલ ભેળવવામાં આવે છે, જેનું નામ સોડિયમ લોરેન્સ સલ્ફેટ છે, આ સોડિયમ લોરેલ સલ્ફેટને ઝેર માનવામાં આવે છે. તે લાળ ગ્રંથિને સૂકવી નાખે છે, તેથી જ વિશ્વના કોઈપણ સમજદાર ડોકટરો અને દાંતના ડોક્ટર પ્રેસ કરે છે, પેસ્ટ ક્યારેય બ્રશ પર ન લગાવવી જોઈએ.

સવારમાં બ્રસ કરો ત્યારે તેમાં પેસ્ટ લગાવશો નહી, બ્રસને ખાલી જ દાત પર ઘસો તેનાથી પણ દાત સાફ થશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">