AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારું શરીર વારંવાર થાકી જાય છે ? લોહીમાં રક્તકણો ઘટવા પાછળ હોઈ શકે છે આ ગંભીર કારણો

શરીરમાં રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ (RBC) નું પ્રમાણ ઘટવું એ માત્ર નબળાઈ નથી પણ અનેક રોગોનું મૂળ છે. જેને એનીમિયા કહેવામાં આવે છે તે સ્થિતિથી બચવા માટે આહારમાં થોડા ફેરફાર અને જીવનશૈલીમાં સુધારો પૂરતો છે. જાણો રક્તકણો વધારવાનું આખું ગણિત.

શું તમારું શરીર વારંવાર થાકી જાય છે ? લોહીમાં રક્તકણો ઘટવા પાછળ હોઈ શકે છે આ ગંભીર કારણો
Image Credit source: AI
| Updated on: May 12, 2026 | 2:20 PM
Share

આપણા શરીરમાં લોહીનો એક અત્યંત મહત્વનો હિસ્સો એટલે રક્તકણો (Red Blood Cells). આ સેલ્સ ફેફસાંમાંથી ઓક્સિજન લઈને શરીરના દરેક અંગ સુધી પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઈડને પાછો લાવે છે. ટૂંકમાં કહીએ તો, તમારી એનર્જી અને સ્ફૂર્તિનો સીધો સંબંધ આ રક્તકણો સાથે છે. જ્યારે તેની સંખ્યા ઘટે છે ત્યારે મેડિકલ ભાષામાં તેને એનીમિયા કહેવામાં આવે છે.

રક્તકણો ઓછા હોય તો કેવી રીતે ખબર પડે?

જ્યારે શરીરમાં RBC ની માત્રા ઘટે છે ત્યારે શરીર ઓક્સિજન માટે તરસે છે. તેના લક્ષણો નીચે મુજબ જોવા મળે છે:

  • સતત થાક અને નબળાઈ લાગવી.
  • થોડું ચાલવા પર કે કામ કરવા પર શ્વાસ ફૂલવા.
  • મગજ સુધી પૂરતો ઓક્સિજન ન પહોંચવાને કારણે માથાનો દુખાવો કે ચક્કર આવવા.
  • હાથ અને પગ વારંવાર ઠંડા પડી જવા.
  • ત્વચા, ચહેરો અને હોઠનો રંગ ફીકો કે પીળો પડી જવો.
  • હૃદયના ધબકારા અસામાન્ય રીતે તેજ થવા.

રક્તકણો કુદરતી રીતે વધારવાના અકસીર ઉપાયો

  • આયર્નયુક્ત આહાર: આયર્ન રક્તકણો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ માટે આહારમાં બીટ, પાલક, દાડમ, ગોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને મખાનાનો સમાવેશ કરવો જોઈએ.
  • ફોલેટ અને વિટામિન B12: આ બંને વિટામિન્સ રક્તકણોના નિર્માણ માટે અનિવાર્ય છે. ઈંડા, દૂધ, દહીં, કેળા, દાળ અને બ્રોકોલી ખાવાથી તેનું સ્તર જળવાઈ રહે છે.
  • વિટામિન C નું મહત્વ: તમે ગમે તેટલું આયર્ન ખાઓ પરંતુ જો શરીરમાં વિટામિન C નહીં હોય તો આયર્ન શોષાશે નહીં. આ માટે આમળા, લીંબુ, સંતરા અને ટામેટા જેવી ખાટી વસ્તુઓ લેવી જરૂરી છે.
  • હાઈડ્રેશન: દિવસમાં ઓછામાં ઓછું ૩ લિટર પાણી પીવું જોઈએ. પૂરતું પાણી પીવાથી લોહીનું ભ્રમણ સુધરે છે અને રક્તકણોનો પ્રવાહ બરાબર રહે છે.
  • યોગ અને વ્યાયામ: કસરત કરવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે જે નવા રક્તકણો બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરવાથી લોહીની શુદ્ધિ અને વૃદ્ધિ બંને થાય છે.

લોહીની ઉણપને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. સાચો આહાર અને સક્રિય જીવનશૈલી તમને આ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવી શકે છે.

શું તમને પણ સતત થાક લાગે છે ? સામાન્ય નબળાઈ માનીને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નિષ્ણાતોએ આપી ચેતવણી

Follow Us
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">