AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tip : આરોગ્ય માટે ફાયદાકારક છે શેરડીનો રસ, જાણો ફાયદા

શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.   તે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે શેરડીના રસનો ઉપયોગ કરી શકો છો.

Health Tip : આરોગ્ય માટે ફાયદાકારક છે શેરડીનો રસ, જાણો ફાયદા
સાંકેતિક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 7:08 PM
Share

Health Tips :  શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.  તેમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું છે. આ સિવાય શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે એસિડિટી, કમળો અને એનિમિયા જેવા રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.   તે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે શેરડીના રસનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે.

ડાયાબિટીઝ માટે ફાયદાકારક :શેરડીનો રસ શરીરમાં ગ્લુકોઝનું (Glucose) સ્તર નિયંત્રિત કરે છે. કુદરતી ગળપણ ધરાવે છે જે ડાયાબિટીઝના દર્દી માટે ફાયદાકારક છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તેનું વધુ પડતું સેવન ન કરો. જો તમને કમળાની સમસ્યા હોય તો શેરડીનો રસ પીવો. આ રસ લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીવરને સુધારવામાં મદદ કરે છે અને તેનાથી સંબંધિત રોગોને દૂર રાખે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે :શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ કરવામાં પણ મદદ કરે છે.     

વજન ઘટાડવામાં મદદ કરે છે : શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે જેથી હૃદય સ્વસ્થ રહે.  ગ્લોઇંગ સ્કિન : શેરડીનો રસ ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેમાં સુક્રોઝનું પ્રમાણ વધારે છે જે ઇજાના ઘાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ત્વચાના કાળા ડાઘ દૂર કરે છે અને ઝેરી પદાર્થને દૂર કરવાનું કામ કરે છે.  

હાડકાં મજબૂત રાખે છે : શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચોઘર આંગણે ઉગતી ઔષધિય વનસ્પતિ એટલે અરડૂસી, જાણો કઇ કઇ બિમારીમાં છે અસરકારક

આ પણ વાંચોSide Effects of Chilly: આ પાંચ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મરચાનું સેવન, થઈ શકે છે ભારે સમસ્યા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">