AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો જાણી ગયા અનુલોમ-વિલોમ પ્રાણાયામના આ 5 ચમત્કારી ફાયદા, તો તમે પણ શરુ કરી દેશો આજથી જ!

અનુલોમ-વિલોમ નાડી શોધન પ્રાણાયામનો એક પ્રકાર છે. તેને દૈનિક કરવાથી ખુબ જ અસરકારક પરિણામ આવે છે. અને ઘણીબધી સમસ્યાઓમાં રાહત મળે છે. અહીં જાણો આ પ્રાણાયામના 5 મોટા ફાયદાઓ વિશે.

જો જાણી ગયા અનુલોમ-વિલોમ પ્રાણાયામના આ 5 ચમત્કારી ફાયદા, તો તમે પણ શરુ કરી દેશો આજથી જ!
Know the amazing five benefits of Anulom Vilom Pranayama
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:21 AM
Share

અનુલોમ-વિલોમ નાડી શોધન પ્રાણાયામના મુખ્ય પ્રકારોમાંથી એક છે. ઘણા આયુર્વેદ નિષ્ણાતો માને છે કે માત્ર આ પ્રાણાયામ કરવાથી, ઘણા ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. જો આ પ્રાણાયામ દરરોજ સવારે અને સાંજે 15 મિનિટ સુધી કરવામાં આવે તો તે શરીરની તમામ નાડીઓને શુદ્ધ કરે છે, સાથે સાથે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. અનુલોમ-વિલોમ કરવાથી મન પણ ફ્રેશ થાય છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ આ પ્રાણાયામના 5 ફાયદા.

1. ફેફસાંને મજબૂત બનાવે છે

અનુલોમ-વિલોમ તમારા ફેફસાંને સૌથી વધુ અસર કરે છે. તે ફેફસામાં ફસાયેલા ઝેરી ગેસને દૂર કરવાનું કામ કરે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આ સિવાય તે ફેફસાને મજબૂત બનાવે છે અને તેની તાકાત વધારે છે. જે લોકોના ફેફસાં ધૂમ્રપાન કર્યા પછી નબળા થઈ ગયા છે, જો તેઓ ધૂમ્રપાન છોડ્યા પછી આ પ્રાણાયામનો અભ્યાસ કરે છે, તો તેઓ તેમના ફેફસાંને ફરીથી ઘણી હદ સુધી સુધારી શકે છે.

2. ઓક્સિજનના પ્રવાહમાં સુધારો કરે છે

દરરોજ આ પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ સિવાય, તે શરીરમાં હાજર 72 હજાર નાડીઓને શુદ્ધ કરીને અને તેમાં જીવ પુરવાનું કામ કરે છે. શરીરના તમામ કોષોને નવી ઉર્જા આપે છે. આમ કરવાથી હાઈ બીપીની સમસ્યા કંટ્રોલ થાય છે અને હાર્ટ સ્વસ્થ થાય છે.

3. શ્વાસની તકલીફમાં રાહત આપે છે

જે લોકોને શ્વાસોચ્છવાસની કોઈ બીમારી હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય, અથવા જે લોકો જોર જોરથી શ્વાસ લેતા હોય તેમણે જરૂર અનુલોમ-વિલોમ કરવો જોઈએ. આમ કરવાથી, શ્વાસ લેવાની પ્રક્રિયા બરાબર થાય છે અને ફેફસાં યોગ્ય રીતે ઓક્સિજન ભરી શકે છે.

4. તણાવ દૂર કરવામાં મદદરૂપ

અનુલોમ-વિલોમ દૈનિકકરવાથી મગજમાં સારું રક્ત પરિભ્રમણ થાય છે અને ઓક્સિજનનો પ્રવાહ વધુ સારો થાય છે. આ ક્રિયા મૂડ ફ્રેશ કરે છે. તણાવ અને ટેન્શન જેવી કોઈ સમસ્યા રહેતી નથી. આનાથી ચીડિયાપણું, ગભરાટ, ઊંઘ ન આવવી, ડિપ્રેશન અને શરીરમાં નબળાઈ જેવી સમસ્યાઓ નિયંત્રિત થાય છે.

5. વિચારવાની શક્તિ વધે છે

અનુલોમ-વિલોમ કરવાથી તમારા મગજનો જમણો અને ડાબો ભાગ સંતુલિત થાય છે. વ્યક્તિ માટે વિચારવું અને સમજવું સરળ બને છે અને કાર્યક્ષમતા વધે છે. આ સિવાય એકાગ્રતા વધે છે.

આ પણ વાંચો: Weight Loss: કાકડીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની રીત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો: Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">