Karwa Chauth 2021 : આ ત્રણ સ્થિતિમાં મહિલાઓએ ના રાખવું જોઈએ કરવા ચોથનું વ્રત

|

Oct 22, 2021 | 8:00 AM

24 ઓક્ટોબરે કરવા ચોથનો તહેવાર છે. આ દિવસે મહિલાઓ નિર્જળ અને નિરાહાર વ્રત કરે છે. પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પરિસ્થિતિઓમાં ભૂખ્યા અને તરસ્યા રહેવું યોગ્ય ગણવામાં આવતું નથી. આ સ્થિતિમાં મહિલાને ગંભીર પરિણામો પણ ભોગવવા પડી શકે છે. જાણો કઈ મહિલાઓએ આ વ્રત ન કરવું જોઈએ.

Karwa Chauth 2021 : આ ત્રણ સ્થિતિમાં મહિલાઓએ ના રાખવું જોઈએ કરવા ચોથનું વ્રત
Karwa Chauth 2021

Follow us on

24 ઓક્ટોબરે કરવા ચોથનો (karwa chauth)નો તહેવાર છે. દર વર્ષે આ આ તહેવાર કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે, વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્યની કામના સાથે નિર્જળા અને નિરાહાર વ્રત રાખે છે. સાંજે તે શિવના પરિવારની પૂજા કરે છે ચંદ્ર જોયા પછી અર્ઘ્ય આપે છે. આ પછી પતિના હાથથી પાણી પીને ઉપવાસ તોડે છે. હકીકતમાં, કરવા ચોથ વ્રતનો હેતુ પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મધુર બનાવવાનો છે.

ઉપવાસ દરમિયાન પત્ની પતિ માટે ભૂખ્યા અને તરસ્યા રહીને પોતાનું સમર્પણ બતાવે છે. તો પતિ ઉપવાસ તોડતી વખતે તેના હાથથી પાણી પીવડાવીને પોતાનો પ્રેમ દર્શાવે છે. મહિલાઓ વર્ષોથી આ ઉપવાસ આ રીતે કરી રહી છે. પરંતુ તેની પાછળનો હેતુ સમજવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. તેને માત્ર એક ધાર્મિક વિધિ બનાવી છે જે ફક્ત કોઈ પણ સંજોગોમાં અનુસરવાની છે.

પરંતુ કોઈપણ પદ્ધતિ જે તમને અથવા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેને છોડી દેવું વધુ સારું છે. ઘણી સ્ત્રીઓને આવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય છે, જેમાં લાંબા સમય સુધી ભૂખ્યા અને તરસ્યા રહેવું યોગ્ય ગણવામાં આવતું નથી. આ સ્થિતિમાં ધાર્મિક વિધિના નામે આ ઉપવાસ રાખવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ ત્રણ લોકોએ ના કરવું જોઈએ આ વ્રત

ડાયાબિટીસ
એક સમય હતો. જ્યારે આ રોગ વૃદ્ધોને થતો હતો. પરંતુ આજના સમયમાં તે કોઈપણ ઉંમરે કોઈને પણ થઈ શકે છે. આવી ઘણી સ્ત્રીઓ છે જેઓ ડાયાબિટીસના દર્દી હોવા છતાં પણ કરવા ચોથનું વ્રત રાખે છે. પરંતુ આમ કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લાંબા સમય સુધી ભૂખ્યા કે તરસ્યા રહેવું સારું નથી.

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બ્લડ શુગર લેવલમાં વધારો અથવા ઘટાડો થઇ શકે છે. હાઈપોગ્લાયકેમિયા અથવા હાઈપરગ્લાયકેમિઆનું જોખમ હોઈ શકે છે. ડાયાબિટીસથી પીડિત મહિલાઓએ આ વ્રત ન રાખવું જોઈએ. જો તમારે રહેવું હોય તો નિષ્ણાંતની સૂચના અનુસાર રહો.

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરને વધુ પોષણની જરૂર હોય છે. આ સાથે તેના બાળકનો વિકાસ પણ તેના દ્વારા થાય છે. આવી સ્થિતિમાં ઉપવાસ રાખવાથી સ્ત્રી અને બાળક બંને માટે સમસ્યા ઉભી થઇ શકે છે. પ્રથમ અને ત્રીજા ત્રિમાસિકમાં ઉપવાસ વધુ જોખમી માનવામાં આવે છે.

પરંતુ જો બધુ બરાબર છે, તો નિષ્ણાતો તમને કેટલીક સૂચનાઓ સાથે બીજા ત્રિમાસિકમાં ઉપવાસ કરવાની મંજૂરી આપી શકે છે. આ કિસ્સામાં નિષ્ણાતની સૂચનાઓનું સખત પાલન કરો. ધાર્મિક વિધિઓ કરીને તમારા માટે અથવા બાળક માટે જોખમી પરિસ્થિતિ ન બનાવો.

અસંતુલિત બ્લડ પ્રેશર

કેટલાક લોકોને અસંતુલિત બ્લડ પ્રેશર હોય છે, જે ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે. આવા લોકોને કરવા ચોથનું વ્રત ન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી સ્ત્રીઓમાં બ્લડ પ્રેશરના લેવલમાં વધઘટ થઇ શકે છે, કારણ કે તેમનું બીપી ખોરાક અને દવાઓ દ્વારા નિયંત્રિત થાય છે. તેથી ઉપવાસ ન કરવાનો પ્રયાસ કરો અને જો તમારે રાખવું જ હોય ​​તો ખાવા -પીવાનું ચાલુ રાખો. નિષ્ણાતની સૂચનાઓનું પાલન કરો.

આ પણ વાંચો : Karwa Chauth 2021: કરવા ચોથના દિવસે ચારણીથી કેમ જોવામાં આવે છે ચાંદ ?

આ પણ વાંચો : Karwa Chauth 2021 : જાણો, કરવા ચોથના તે 8 નિયમ જે દરેક મહિલાને ખબર હોવા જોઈએ

Next Article