AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. વિશ્વમાંથી ડેન્ગ્યુને ખતમ કરવા માટે હાલ World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ
Dengue
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:17 AM
Share

Dengue : તમે એક કહેવત તો સાંભળી જ હશે કે ‘લોખંડ જ લોખંડને કાપે’. હાલ ડેન્ગ્યુને નાબુદ કરવા માટે ઈન્ડોનેશિયાના (Indonesia) વૈજ્ઞાનિકોએ પણ કંઈક આવી જ અનોખી રીત શોધી કાઢી છે. જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાંથી ડેન્ગ્યુ ખતમ થઈ જશે.

આ વૈજ્ઞાનિકોએ લેબમાં Good Mosquito તૈયાર કર્યો છે. જે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોને મારી નાખે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ હાલ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વિશ્વમાંથી ડેન્ગ્યુને નાબૂદ કરવા માટે World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો નોંધાયો

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી અને ઈન્ડોનેશિયાની ગડજાશ યુનિવર્સિટીના (Gadjah Mada University) વૈજ્ઞાનિકો આ રિચર્સમાં સામેલ છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ Good Mosquito ને ઈન્ડોનેશિયાના રેડ ઝોનમાં ટ્રાયલ માટે છોડ્યા હતા. જે બાદ ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો થયો છે.

દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઘટી રહ્યા છે

બીજી તરફ દિલ્હીમાં (Delhi) પણ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલોમાં આવનારા નવા દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે ડેન્ગ્યુના ગંભીર લક્ષણો (Dengue Symptoms) ધરાવતા દર્દીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, હવામાનમાં વધતી ઠંડીને કારણે ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી નથી. જેના કારણે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

ડેન્ગ્યુના લક્ષણો

તબીબોના મતે ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થાય છે, જે મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર સ્વચ્છ પાણીમાં પેદા થાય છે. જેથી મહત્વનું છે કે લોકો તેમની આસપાસ પાણી એકઠું ન થવા દે. તેનાથી બચવા માટે હંમેશા ફુલ સ્લીવના કપડા પહેરો. ઉપરાંત જો તમને બે દિવસથી વધુ તાવ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો. આ સાથે નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો, આંખોમાં દુખાવો થવો, થાક લાગવો, ઉલ્ટી થવી અને ઝાડા પણ ડેન્ગ્યુના લક્ષણો છે.

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

આ પણ વાંચો: Health : કાનના દુખાવાને આ ઘરગથ્થુ ઈલાજથી કરો દૂર

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">