Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. વિશ્વમાંથી ડેન્ગ્યુને ખતમ કરવા માટે હાલ World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ
Dengue
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:17 AM

Dengue : તમે એક કહેવત તો સાંભળી જ હશે કે ‘લોખંડ જ લોખંડને કાપે’. હાલ ડેન્ગ્યુને નાબુદ કરવા માટે ઈન્ડોનેશિયાના (Indonesia) વૈજ્ઞાનિકોએ પણ કંઈક આવી જ અનોખી રીત શોધી કાઢી છે. જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાંથી ડેન્ગ્યુ ખતમ થઈ જશે.

આ વૈજ્ઞાનિકોએ લેબમાં Good Mosquito તૈયાર કર્યો છે. જે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોને મારી નાખે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ હાલ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વિશ્વમાંથી ડેન્ગ્યુને નાબૂદ કરવા માટે World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો નોંધાયો

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી અને ઈન્ડોનેશિયાની ગડજાશ યુનિવર્સિટીના (Gadjah Mada University) વૈજ્ઞાનિકો આ રિચર્સમાં સામેલ છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ Good Mosquito ને ઈન્ડોનેશિયાના રેડ ઝોનમાં ટ્રાયલ માટે છોડ્યા હતા. જે બાદ ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો થયો છે.

દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઘટી રહ્યા છે

બીજી તરફ દિલ્હીમાં (Delhi) પણ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલોમાં આવનારા નવા દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે ડેન્ગ્યુના ગંભીર લક્ષણો (Dengue Symptoms) ધરાવતા દર્દીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, હવામાનમાં વધતી ઠંડીને કારણે ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી નથી. જેના કારણે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

ડેન્ગ્યુના લક્ષણો

તબીબોના મતે ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થાય છે, જે મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર સ્વચ્છ પાણીમાં પેદા થાય છે. જેથી મહત્વનું છે કે લોકો તેમની આસપાસ પાણી એકઠું ન થવા દે. તેનાથી બચવા માટે હંમેશા ફુલ સ્લીવના કપડા પહેરો. ઉપરાંત જો તમને બે દિવસથી વધુ તાવ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો. આ સાથે નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો, આંખોમાં દુખાવો થવો, થાક લાગવો, ઉલ્ટી થવી અને ઝાડા પણ ડેન્ગ્યુના લક્ષણો છે.

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

આ પણ વાંચો: Health : કાનના દુખાવાને આ ઘરગથ્થુ ઈલાજથી કરો દૂર

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">