AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે તમારા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરો

ખરાબ જીવનશૈલીને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત લોકો હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ વધવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં તમે ડાયટમાં ઘણા પ્રકારના સુપરફૂડનો પણ સમાવેશ કરી શકો છો.

Health: હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે તમારા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરો
superfoods (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 3:48 PM
Share

આજકાલના દિવસોમાં ખરાબ જીવનશૈલી, અસ્વસ્થ આહાર અને તણાવને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો (Health Tips) સામનો કરવો પડે છે. જેમાં ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ઘણા પ્રકારના સુપરફૂડને (Superfoods) પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. આ સુપરફૂડ્સ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે બ્લડ શુગર લેવલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે (Health Care Tips). તેમાં જાંબુ, બીટ અને લસણ જેવા વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ થાય છે. આવો જાણીએ કે અન્ય કયા ખોરાકને તમે ડાયટમાં સામેલ કરી શકો છો.

જાંબુનો રસ

જાંબુ ઉનાળા અને ચોમાસા દરમિયાનનું ફળ છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ઘણા સ્વાસ્થ્ય લાભો પણ ધરાવે છે. તે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધુ સારી રીતે જાળવી રાખે છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને અન્ય હૃદય રોગથી પીડિત લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

બીટ

બીટનો રંગ ઘેરો લાલ હોય છે. તે માત્ર ખૂબ જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર છે. તેમાં ફોલેટ હોય છે. તે રક્ત વાહિનીઓને નુકસાન થવાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં રહેલું નાઈટ્રિક ઓક્સાઈડ નામનું તત્વ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં કુદરતી ખાંડ હોય છે. તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

લસણ

લસણ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે લસણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ડૉક્ટરો વારંવાર લસણનું સેવન કરવાની સલાહ આપે છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કોળાંના બીજ

કોળાના બીજ બપોરે થતી ક્રેવિંગને સંતોષવા માટે યોગ્ય છે. તમે તેને નાસ્તા તરીકે ખાઈ શકો છો. કોળાના બીજમાં હાજર ફાઇબર ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સ હોય છે. તેઓ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેથી તમે તેને ડાયટમાં પણ સામેલ કરી શકો છો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો-

Calories and Weight Loss: આ 14 વસ્તુઓમાં હોય છે સૌથી ઓછી કેલરી અને સૌથી જરૂરી પોષક તત્વો

આ પણ વાંચો-

Beauty Tips : કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યામાંથી છુટકારો મેળવવા કામ લાગશે સફરજનનો ફેસ પેક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">