AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસના દર્દીઓએ આ પીળી રોટલી અવશ્ય ખાવી, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે

બેસન આપણા રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેની મદદથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી બનેલી રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ડાયાબિટીસના દર્દીઓએ આ પીળી રોટલી અવશ્ય ખાવી, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે
HomeFoodDiabetes Management
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 2:31 PM
Share

Gram Flour Health benefit : ચણાનો લોટ એક એવી વસ્તુ છે જેનો ભારતમાં ઘણો ઉપયોગ થાય છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવો હશે કે જેને ભજીયાનો શોખ ન હોય, ચણાના લોટ (Gram)ને ચણામાંથી બનાવવામાં આવે છે જે એક પ્રકારનું કઠોળ છે. તે સમૃદ્ધ પ્રોટીન (Protein)નો સ્ત્રોત. શું તમે જાણો છો કે ચણાના લોટની મદદથી ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. આજે અમે તમને આ વીશે માહિતગાર કરશું.

ડાયાબિટીસમાં ચણાના લોટનું સેવન

ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાવાની આદતો કેવી છે તેના પર ધ્યાન આપવું જોઈએ, જો તેઓ હેલ્ધી ફૂડ ન ખાતા હોય તો તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ(Blood Sugar Level) બહાર થઈ જાય છે. આવી સ્થિતિમાં જો ડાયાબિટીસના દર્દીઓ બેસન રોટલી ખાય તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે.

ચણાના લોટ છે પોષક તત્વોથી ભરપૂર

જો તમે ચણાના લોટમાંથી બનાવેલી રોટલી ખાશો તો શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો મળશે, જેનાથી ડાયાબિટીસ સંબંધિત ઘણી સમસ્યાઓ નહીં થાય. કારણ કે તેમાં સામાન્ય લોટ કરતાં ઘણી ઓછી કેલરી હોય છે. આ સિવાય ચણાના લોટમાં પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક, વિટામિન બી6 અને થાઈમીન, ફાઈબર, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ડાયાબિટીસમાં ચણાનો લોટ કેમ ફાયદાકારક છે?

ચણાના લોટમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. એટલા માટે ઘણા આરોગ્ય નિષ્ણાતો આ દર્દીઓને ચણાના લોટની રોટલી ખાવાની સલાહ આપે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

તેમાં કોઈ શંકા નથી કે ચણાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્ધી ઓપ્શન છે, પરંતુ તેની માત્ર રોટલી જ ખાઓ, જો તમે ચણાના લોટમાંથી બનાવેલા પકોડા કે પરાઠા ખાઓ તો તેમાં તેલનું પ્રમાણ વધુ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું જોખમ વધારે છે. તેલ શરીરમાં ચર્બી અને સ્થુળતા પણ વધારે છે, ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલ હ્રદય રોગનું કારણ બને છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
g clip-path="url(#clip0_868_265)">