AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા

ડોક્ટરોનું કહેવું છે કે ખરાબ ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો સૂર્યપ્રકાશ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. તેથી તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી.

Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા
The body gets vitamin D by taking sunlight
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:10 PM
Share

દેશની વસ્તીનો મોટો ભાગ વિટામિન (Vitamins)ની ઉણપથી પીડિત છે. આમાં સૌથી સામાન્ય વિટામિન ડી (Vitamin D)ની ઉણપ છે. તેની ઉણપ 18 થી 40 વર્ષની વયના લોકોમાં પણ જોવા મળે છે. આવુ એટલા માટે પણ હોય છે કે આ વય જૂથના લોકો સૂર્યપ્રકાશ (Sunlight)ને ખૂબ ટાળે છે. તબીબો (Doctors)નું કહેવું છે કે સૂર્યપ્રકાશ આપણા શરીરમાં વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

વરિષ્ઠ ચિકિત્સક ડૉ. આર.પી. સિંહ જણાવે છે કે લગભગ 50 થી 90 ટકા વિટામિન ડી સૂર્યપ્રકાશ અને અન્ય ખોરાકમાંથી મળે છે. એક કિશોરને 600 IU વિટામિન Dની જરૂર હોય છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકોના શરીરમાં આ ધોરણ ખૂબ જ ઓછું હોય છે.

ડૉકટરના મતે, વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. આવી સ્થિતિમાં, તેઓ પૂરતો સૂર્યપ્રકાશ મેળવી શકતા નથી. જ્યારે દરરોજ સૂર્યપ્રકાશ લેવાથી નબળાઇ, સ્નાયુઓમાં દુખાવો, કેન્સર અને ક્ષય જેવા રોગોથી બચી શકાય છે.

અયોગ્ય આહાર પણ કારણ

ડૉ. આર.પી. સમજાવે છે કે અયોગ્ય ખોરાક ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. લોકોએ એવી વસ્તુઓ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય. શરીરને પનીર, ઈંડા, લીલા શાકભાજી, દૂધમાંથી વિટામિન મળે છે. તમારા આહારમાં આ વસ્તુઓ રાખવાનો પ્રયાસ કરવો.

ડૉક્ટરે જણાવ્યું કે શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે હાડકાં અને દાંત નબળા થઈ જાય છે. બાળકોમાં આ વિટામિનની ઉણપને કારણે રિકેટ્સની સમસ્યા પણ થઈ શકે છે. ઘણા લોકોમાં વિટામિન ડીની ઉણપ સ્નાયુઓને નબળા બનાવે છે.

આ સમયે સૂર્યપ્રકાશ લો

ડૉકટરના મતે સવારે સૂર્યપ્રકાશ લેવાથી વધુ ફાયદો થાય છે. બપોરે સૂર્યનો તડકો ન લેવો જોઈએ. આ સમયે તમારી ત્વચા તીવ્ર સૂર્યપ્રકાશને કારણે બળી શકે છે. જો તમને ગરમી અથવા પરસેવો થતો હોય તો લાંબા સમય સુધી તડકામાં ન બેસવું.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Winter Health : શિયાળામાં ટોન્સિલના ઈંફ્કેશનને દૂર કરવા આ રહ્યા સરળ ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચોઃ Pregnancy Care : ગર્ભાવસ્થામાં કાળી મરીનું સેવન માતા અને બાળક બંને માટે કેમ છે ફાયદાકારક ?

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">