AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા

ડોક્ટરોનું કહેવું છે કે ખરાબ ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો સૂર્યપ્રકાશ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. તેથી તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી.

Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા
The body gets vitamin D by taking sunlight
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:10 PM
Share

દેશની વસ્તીનો મોટો ભાગ વિટામિન (Vitamins)ની ઉણપથી પીડિત છે. આમાં સૌથી સામાન્ય વિટામિન ડી (Vitamin D)ની ઉણપ છે. તેની ઉણપ 18 થી 40 વર્ષની વયના લોકોમાં પણ જોવા મળે છે. આવુ એટલા માટે પણ હોય છે કે આ વય જૂથના લોકો સૂર્યપ્રકાશ (Sunlight)ને ખૂબ ટાળે છે. તબીબો (Doctors)નું કહેવું છે કે સૂર્યપ્રકાશ આપણા શરીરમાં વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

વરિષ્ઠ ચિકિત્સક ડૉ. આર.પી. સિંહ જણાવે છે કે લગભગ 50 થી 90 ટકા વિટામિન ડી સૂર્યપ્રકાશ અને અન્ય ખોરાકમાંથી મળે છે. એક કિશોરને 600 IU વિટામિન Dની જરૂર હોય છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકોના શરીરમાં આ ધોરણ ખૂબ જ ઓછું હોય છે.

ડૉકટરના મતે, વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. આવી સ્થિતિમાં, તેઓ પૂરતો સૂર્યપ્રકાશ મેળવી શકતા નથી. જ્યારે દરરોજ સૂર્યપ્રકાશ લેવાથી નબળાઇ, સ્નાયુઓમાં દુખાવો, કેન્સર અને ક્ષય જેવા રોગોથી બચી શકાય છે.

અયોગ્ય આહાર પણ કારણ

ડૉ. આર.પી. સમજાવે છે કે અયોગ્ય ખોરાક ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. લોકોએ એવી વસ્તુઓ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય. શરીરને પનીર, ઈંડા, લીલા શાકભાજી, દૂધમાંથી વિટામિન મળે છે. તમારા આહારમાં આ વસ્તુઓ રાખવાનો પ્રયાસ કરવો.

ડૉક્ટરે જણાવ્યું કે શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે હાડકાં અને દાંત નબળા થઈ જાય છે. બાળકોમાં આ વિટામિનની ઉણપને કારણે રિકેટ્સની સમસ્યા પણ થઈ શકે છે. ઘણા લોકોમાં વિટામિન ડીની ઉણપ સ્નાયુઓને નબળા બનાવે છે.

આ સમયે સૂર્યપ્રકાશ લો

ડૉકટરના મતે સવારે સૂર્યપ્રકાશ લેવાથી વધુ ફાયદો થાય છે. બપોરે સૂર્યનો તડકો ન લેવો જોઈએ. આ સમયે તમારી ત્વચા તીવ્ર સૂર્યપ્રકાશને કારણે બળી શકે છે. જો તમને ગરમી અથવા પરસેવો થતો હોય તો લાંબા સમય સુધી તડકામાં ન બેસવું.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Winter Health : શિયાળામાં ટોન્સિલના ઈંફ્કેશનને દૂર કરવા આ રહ્યા સરળ ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચોઃ Pregnancy Care : ગર્ભાવસ્થામાં કાળી મરીનું સેવન માતા અને બાળક બંને માટે કેમ છે ફાયદાકારક ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">