Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા

ડોક્ટરોનું કહેવું છે કે ખરાબ ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો સૂર્યપ્રકાશ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. તેથી તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી.

Health: વિટામિન Dની ઉણપથી છો પરેશાન ? આ રીતે દૂર થશે સમસ્યા
The body gets vitamin D by taking sunlight
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:10 PM

દેશની વસ્તીનો મોટો ભાગ વિટામિન (Vitamins)ની ઉણપથી પીડિત છે. આમાં સૌથી સામાન્ય વિટામિન ડી (Vitamin D)ની ઉણપ છે. તેની ઉણપ 18 થી 40 વર્ષની વયના લોકોમાં પણ જોવા મળે છે. આવુ એટલા માટે પણ હોય છે કે આ વય જૂથના લોકો સૂર્યપ્રકાશ (Sunlight)ને ખૂબ ટાળે છે. તબીબો (Doctors)નું કહેવું છે કે સૂર્યપ્રકાશ આપણા શરીરમાં વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

વરિષ્ઠ ચિકિત્સક ડૉ. આર.પી. સિંહ જણાવે છે કે લગભગ 50 થી 90 ટકા વિટામિન ડી સૂર્યપ્રકાશ અને અન્ય ખોરાકમાંથી મળે છે. એક કિશોરને 600 IU વિટામિન Dની જરૂર હોય છે. પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકોના શરીરમાં આ ધોરણ ખૂબ જ ઓછું હોય છે.

ડૉકટરના મતે, વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ આજના યુગમાં લોકોનો મોટાભાગનો સમય ફોન કે કોમ્પ્યુટર પર પસાર થાય છે. આવી સ્થિતિમાં, તેઓ પૂરતો સૂર્યપ્રકાશ મેળવી શકતા નથી. જ્યારે દરરોજ સૂર્યપ્રકાશ લેવાથી નબળાઇ, સ્નાયુઓમાં દુખાવો, કેન્સર અને ક્ષય જેવા રોગોથી બચી શકાય છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

અયોગ્ય આહાર પણ કારણ

ડૉ. આર.પી. સમજાવે છે કે અયોગ્ય ખોરાક ખાવાની આદતો પણ વિટામિન ડીની ઉણપનું કારણ બને છે. લોકોએ એવી વસ્તુઓ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય. શરીરને પનીર, ઈંડા, લીલા શાકભાજી, દૂધમાંથી વિટામિન મળે છે. તમારા આહારમાં આ વસ્તુઓ રાખવાનો પ્રયાસ કરવો.

ડૉક્ટરે જણાવ્યું કે શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે હાડકાં અને દાંત નબળા થઈ જાય છે. બાળકોમાં આ વિટામિનની ઉણપને કારણે રિકેટ્સની સમસ્યા પણ થઈ શકે છે. ઘણા લોકોમાં વિટામિન ડીની ઉણપ સ્નાયુઓને નબળા બનાવે છે.

આ સમયે સૂર્યપ્રકાશ લો

ડૉકટરના મતે સવારે સૂર્યપ્રકાશ લેવાથી વધુ ફાયદો થાય છે. બપોરે સૂર્યનો તડકો ન લેવો જોઈએ. આ સમયે તમારી ત્વચા તીવ્ર સૂર્યપ્રકાશને કારણે બળી શકે છે. જો તમને ગરમી અથવા પરસેવો થતો હોય તો લાંબા સમય સુધી તડકામાં ન બેસવું.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Winter Health : શિયાળામાં ટોન્સિલના ઈંફ્કેશનને દૂર કરવા આ રહ્યા સરળ ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચોઃ Pregnancy Care : ગર્ભાવસ્થામાં કાળી મરીનું સેવન માતા અને બાળક બંને માટે કેમ છે ફાયદાકારક ?

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">