AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જાણો કેળાના પાન પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?

તમે જોયું અને સાંભળ્યું હશે કે ઘણા વિસ્તારમાં લોકો કેળના પાનમાં ખોરાક ખાય છે. ચાલો આજે જાણીએ કે આ આદત કેમ ફાયદાકારક છે.

Health Tips : જાણો કેળાના પાન પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?
Health Tips: why eating food on banana leaves is beneficial for health?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:44 PM
Share

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે કેળના પાનમાં ઘણા પોષક તત્વો હોય છે. પૂજાના કામમાં કેળાના પાનનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે કારણ કે તે સૌથી શુદ્ધ માનવામાં આવે છે. એટલું જ નહીં, પહેલાના સમયમાં લોકો કેળના પાન પર ખોરાક ખાતા હતા. પરંતુ તે આજના જમાનામાં તે ભાગ્યે જ વપરાય છે.

કેળાના પાંદડાનો ઉપયોગ કેટલાક દક્ષિણ ભારતીય ઘરો અને રેસ્ટોરન્ટમાં થાય છે. જો કે, દક્ષિણ ભારતમાં હજુ પણ મહેમાનોને કેળના પાન પર ભોજન આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાના પાન પર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેળના પાન ખાવાના ફાયદાઓ વિશે.

આરોગ્ય માટે ફાયદાકારક છે

કેળના પાનમાં પોલીફેનોલ્સ નામના એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો ખાદ્ય પદાર્થોમાં સરળતાથી મળી જાય છે. તેમાં બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો છે જે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. આ બીમાર પડવાની શક્યતા ઘટાડે છે.

સ્વાદ વધારે છે

કેળના પાંદડામાં ખાદ્ય મીણનું પાતળું પડ હોય છે જેનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. જ્યારે કેળના પાન પર ગરમ ખોરાક પીરસવામાં આવે છે, ત્યારે તે પીગળે છે અને ખોરાક સાથે ભળી જાય છે. આ તેનો સ્વાદ વધારે છે.

પર્યાવરણ માટે સારું

પર્યાવરણ એ આજના સમયમાં મોટો મુદ્દો છે. સામાન્ય રીતે પાર્ટીમાં પ્લાસ્ટિક અથવા સ્ટાઇરોફોમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લેટ્સ ખાધા પછી નિકાલ કરવી મુશ્કેલ છે. તમે તેના બદલે કેળાના પાંદડા વાપરી શકો છો. કેળના પાનમાં વધુ જગ્યા હોય તો તેમાં સરળતાથી પીરસી શકાય છે. આ સિવાય કેળના પાનને સાફ કરવા માટે વધારે પાણીની જરૂર નથી. સાથે તે ખૂબ જ આરોગ્યપ્રદ છે.

રાસાયણિક મુક્ત

કેળના પાનમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી. જ્યારે પ્લાસ્ટિકની થાળીમાં ખોરાક પીરસવાથી પીગળેલા પ્લાસ્ટિકનો ભાગ આપણા પેટમાં જઈ શકે છે જે કેન્સર સહિત અન્ય રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં કેળના પાન ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા

આ પણ વાંચો: Health Tips: ઈંડાના શોખીન થઈ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ના બની જાય ઈંડાની આડઅસરો!

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
g clip-path="url(#clip0_868_265)">