AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : જાણો કેળાના પાન પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?

તમે જોયું અને સાંભળ્યું હશે કે ઘણા વિસ્તારમાં લોકો કેળના પાનમાં ખોરાક ખાય છે. ચાલો આજે જાણીએ કે આ આદત કેમ ફાયદાકારક છે.

Health Tips : જાણો કેળાના પાન પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?
Health Tips: why eating food on banana leaves is beneficial for health?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 7:44 PM
Share

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે કેળના પાનમાં ઘણા પોષક તત્વો હોય છે. પૂજાના કામમાં કેળાના પાનનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે કારણ કે તે સૌથી શુદ્ધ માનવામાં આવે છે. એટલું જ નહીં, પહેલાના સમયમાં લોકો કેળના પાન પર ખોરાક ખાતા હતા. પરંતુ તે આજના જમાનામાં તે ભાગ્યે જ વપરાય છે.

કેળાના પાંદડાનો ઉપયોગ કેટલાક દક્ષિણ ભારતીય ઘરો અને રેસ્ટોરન્ટમાં થાય છે. જો કે, દક્ષિણ ભારતમાં હજુ પણ મહેમાનોને કેળના પાન પર ભોજન આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાના પાન પર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેળના પાન ખાવાના ફાયદાઓ વિશે.

આરોગ્ય માટે ફાયદાકારક છે

કેળના પાનમાં પોલીફેનોલ્સ નામના એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો ખાદ્ય પદાર્થોમાં સરળતાથી મળી જાય છે. તેમાં બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો છે જે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. આ બીમાર પડવાની શક્યતા ઘટાડે છે.

સ્વાદ વધારે છે

કેળના પાંદડામાં ખાદ્ય મીણનું પાતળું પડ હોય છે જેનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. જ્યારે કેળના પાન પર ગરમ ખોરાક પીરસવામાં આવે છે, ત્યારે તે પીગળે છે અને ખોરાક સાથે ભળી જાય છે. આ તેનો સ્વાદ વધારે છે.

પર્યાવરણ માટે સારું

પર્યાવરણ એ આજના સમયમાં મોટો મુદ્દો છે. સામાન્ય રીતે પાર્ટીમાં પ્લાસ્ટિક અથવા સ્ટાઇરોફોમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લેટ્સ ખાધા પછી નિકાલ કરવી મુશ્કેલ છે. તમે તેના બદલે કેળાના પાંદડા વાપરી શકો છો. કેળના પાનમાં વધુ જગ્યા હોય તો તેમાં સરળતાથી પીરસી શકાય છે. આ સિવાય કેળના પાનને સાફ કરવા માટે વધારે પાણીની જરૂર નથી. સાથે તે ખૂબ જ આરોગ્યપ્રદ છે.

રાસાયણિક મુક્ત

કેળના પાનમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી. જ્યારે પ્લાસ્ટિકની થાળીમાં ખોરાક પીરસવાથી પીગળેલા પ્લાસ્ટિકનો ભાગ આપણા પેટમાં જઈ શકે છે જે કેન્સર સહિત અન્ય રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં કેળના પાન ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા

આ પણ વાંચો: Health Tips: ઈંડાના શોખીન થઈ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ના બની જાય ઈંડાની આડઅસરો!

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">