દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા

Health Benefits Of Parsley : કોથમીર વિટામિન કે અને વિટામિન સી તેમજ વિટામિન એ, ફોલેટ અને આયર્નનો સારો સ્રોત છે. રસોઈમાં સુગંધ ભેળવવા વપરાતી કોથમીર સ્વસ્થ માટે ફાયદાકારક છે.

દરરોજ રસોઈમાં સુગંધ માટે ભેળવતા હશો કોથમીર, પરંતુ નહીં જાણતા હોવ તેના આ અમુલ્ય ફાયદા
Health Tips: Know Health benefits of Parsley
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 11:06 PM

કોથમીર માત્ર રસોઈમાં સુગંધ માટે વપરાતો મસાલો જ નહીં પરંતુ લોકપ્રિય ઔષધિ છે. તેનો સ્વાદ હળવો, કડવો છે. તેનો ઉપયોગ સૂપ અને સલાડ જેવી વાનગીઓને સ્વાદ આપવા માટે થાય છે. માત્ર રસોઈમાં જ નહીં પણ રોગોને દૂર કરવામાં કોથમીર અસરકારક છે.

આનો ઉપયોગ એલર્જી અને બળતરાના રોગોની સારવાર માટે થાય છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

કોથમીરના આરોગ્ય લાભો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એન્ટીઓકિસડન્ટ્સ મેળવવા

કોથમીરમાં ફલેવોનોઈડ્સ, કેરોટીનોઈડ્સ અને વિટામિન સી હોય છે જે સેલ્યુલર ડેમેજ અટકાવે છે. કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનને રોકવા માટે શરીરને એન્ટીઓકિસડન્ટોની જરૂર છે. કોથમીર ફ્લેવોનોઇડ્સ, કેરોટીનોઇડ્સ અને વિટામિન સીનું પાવરહાઉસ છે. તે રોગોને રોકવામાં મદદ કરે છે. તમારી વાનગીઓમાં સુકી કોથમીર ઉમેરો કારણ કે તેમાં તાજા પાંદડા કરતા વધારે એન્ટીઓકિસડન્ટ હોય છે.

હાડકાં માટે ફાયદાકારક

તેમાં વિટામિન કે હોય છે. તે આપણા હાડકાં માટે ફાયદાકારક છે. આપણા હાડકાને મજબૂત રાખવા અને હાડકાના રોગોને રોકવા માટે ઘણા વિટામિન્સ અને ખનિજોની જરૂર પડે છે. કોથમીર વિટામિન K નો સમૃદ્ધ સ્ત્રોત છે. તે એક આવશ્યક પોષક તત્વ છે જે હાડકાં બનાવતા કોષો માટે ફાયદાકારક છે. અભ્યાસો અનુસાર વિટામિન કેથી સમૃદ્ધ આહાર હાડકાના ફ્રેક્ચરનું જોખમ ઘટાડી શકે છે.

આંખો માટે ફાયદાકારક

તેમાં કેરોટીનોઈડ્સ હોય છે જે આંખોનું રક્ષણ કરે છે અને દ્રષ્ટિ સુધારે છે. કોથમીરમાં લ્યુટીન, બીટા કેરોટિન અને ઝેક્સાન્થિન જેવા કેરોટીનોઇડ્સ હોય છે. તેઓ આંખના ચેપને અટકાવે છે. લ્યુટીન અને ઝેક્સાન્થિન વય સંબંધિત આંખની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. શરીર બીટા કેરોટિનને વિટામિન A માં રૂપાંતરિત કરે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

બ્લડ સુગરનું સ્તર ઘટાડવા માટે

ઘણી વખત સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે થાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અભ્યાસો અનુસાર, કોથમીરનો અર્ક લોહીમાં સુગર સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ માટે

કોથમીરનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખે છે. આ સિવાય તે હૃદય સંબંધિત રોગો માટે ફાયદાકારક છે. તે લીવર સંબંધિત રોગોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તે કિડનીનું પણ રક્ષણ કરે છે.

આ પણ વાંચો: Health Tips: ઈંડાના શોખીન થઈ જાઓ સાવધાન, તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યા ના બની જાય ઈંડાની આડઅસરો!

આ પણ વાંચો: Keto Diet: લોકો અપનાવી રહ્યા છે વજન ઘટાડવાનો આ શોર્ટકટ, પરંતુ શું તમે જાણો છો તે કેટલું છે જોખમી?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">